________________
૪૨૧
કળશ-૧૮૧ એમ છે. શુદ્ધ પરિણમનથી સહિત છે એમ કહીને એમ કહ્યું કે, શુદ્ધ સ્વરૂપનો જે અનુભવ છે) એ અશુદ્ધ પરિણમનથી રહિત છે. એથી એને અહીંયાં સહિત કહેવામાં આવ્યું.
ફરીને, અહીંથી સિદ્ધાંત આપ્યો છે ને ? “શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ...” એટલે આત્મા તે મોક્ષનું કારણ છે. તેનું સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે...” આત્મા એટલે જ્ઞાન. જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા, એ શુદ્ધ સ્વરૂપનો જે અનુભવ કરવો – નિર્વિકલ્પ (અનુભવ કરવો). રાગના અવલંબન વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો એ શુદ્ધ સ્વરૂપના પરિણમનથી સર્વથા સહિત છે. આ..હા..હા..! એક શબ્દમાં કેટલું નાખ્યું છે, જુઓ ! સમજાણું કાંઈ ? માર્ગ તો આવો છે. અત્યારે તો એમ કહે કે, આ વ્રત ને તપ ને પૂજા કરો, કરતાં કરતાં કલ્યાણ થાશે. એ તદ્દન મિથ્યાશ્રદ્ધા છે. કહો, સમજાણું કાંઈ ?
આ શું કહે છે ? આ ક્યાંનું છે ? ‘રાજમલની ટીકા છે, શ્લોક તો “અમૃતચંદ્રાચાર્યનો છે. દિગંબર મુનિ ! એનો અર્થ કરતાં ‘રાજમલજી' એમ કહે છે કે, આ ભગવાન જે આત્મા ! શુદ્ધ ચૈતન્યઘન છે તેનો અનુભવ, શુદ્ધ પરિણમનથી સહિત છે તે મોક્ષનું કારણ છે. આહા...હા....! એમ બે વાત કેમ કરી ? પહેલા તો કહ્યું હતું. ‘જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ,...” એમ. આત્મા પોતાના આત્માને શુદ્ધરૂપે પરિણમાવે. એ દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામથી રહિત છે). આહા..હા...! છે ? એ પરિણમાવે એટલે શું? એમ કહે છે.
“શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ છે જે.’ આત્મા. એટલે જ્ઞાન. ‘તે, જીવના શુદ્ધત્વપરિણમનથી સર્વથા સહિત છે. કોઈ એમ કહે, કથંચિત શુદ્ધનો અનુભવ (અને કથંચિત અશુદ્ધ ભાવ પણ સહિત છે, દયા, દાન રાગ આદિ પણ સહિત છે. (તો) એમ નથી. સમજાણું કાંઈ? શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય વ્યવહાર રત્નત્રયના વિકલ્પ જે રાગ, એનાથી પણ ભિન્ન બતાવવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ, એ શુદ્ધ પરિણમનથી સર્વથા સહિત છે. કથંચિત અશુદ્ધપણું પણ ભેગું છે એમ નહિ. છે એમાં ? ભાઈ ! છે એમાં ? છે કે નહિ ? ત્યાં કોઈ દિ વાંચ્યું છે કે નહિ ? શું કહ્યું?
આહા..હા...! ગજબ વાત છે ! વસ્તુની – સત્યની સ્પષ્ટતા આ રીતે કરે છે. આહાહા.! સત્ પ્રભુ ! સત્ સાહેબ ચૈતન્યપ્રભુ ! એ તો શુદ્ધ પવિત્ર આનંદકંદ છે. એનો અનુભવ કરવો એ શુદ્ધ પરિણમનવાળું છે. તેનો અનુભવ શુદ્ધ પરિણમનવાળો છે. કેમ ? કે, શુદ્ધ સ્વરૂપનો અનુભવ એટલે જ્ઞાન, તે શુદ્ધ પરિણામથી સર્વથા સહિત છે. અશુદ્ધ પરિણામથી સર્વથા રહિત છે. આહા...હા...! એક વાક્યમાં કેટલું કહ્યું ! આ..હા...હા...! સમજાણું કાંઈ? આ મોટા વાંધા અત્યારે કરે છે ને ? સમ્યગ્દર્શન વિના જે આ વ્રત પાળે, અપવાસ કરે, તપસ્યા કરે, નગ્નપણું ઘે) એ પણ મોક્ષનું કારણ છે. ત્રણકાળમાં નથી. આહા..હા...! સમજાણું