________________
૪૦૪
કલામૃત ભાગ-૫
આહા..હા..! મોક્ષની વ્યાખ્યા છે ને ?
ફર્નન્ન” શક્તિમાં – સ્વભાવમાં જે કેવળજ્ઞાન અને કેવળ આનંદ હતો એ પર્યાયમાં ૩નૈન' ઉલ્લસી નીકળ્યો ! ફાટીને બહાર આવ્યો !! આહા..હા..! હવે અધોમાં નહિ જાય. એ ઊર્ધ્વમાં રહેવાનો. એવો આત્મધર્મ પૂર્ણ પ્રગટ્યો. ‘૩ન્મm” આહા..હા....! સહજ પરમાનંદ ! કેવો છે ?
દ્રવ્યના સ્વભાવરૂપે પરિણમતું અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ” આહાહા..! જે આનંદ અંતરમાં શક્તિરૂપે હતો, અતીન્દ્રિય અનાકુળ આનંદ હતો) એ પર્યાયમાં ઉલ્લરી નીકળ્યો. ‘૩ન્મજ્ઞ' ઉલ્લસી નીકળીને... આહા...હા...! ‘દ્રવ્યના સ્વભાવરૂપે પરિણમતું અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ, તેનાથી સંયુક્ત છે.” “સર એ આનંદના રસથી સહિત છે એવો ભાવ પ્રગટ્યો. આહા..હા..! “સરસ સરસ.. સરસ નથી કહેતા ? આ સરસ છે, આ વાત સરસ છે, આ વસ્તુ સરસ છે. આહા...હા...! અહીં એટલો “સરસં' છે. પેલું સરસ.. સરસ.. એટલું. અહીં “સર છે. રસ સહિત ! આનંદના રસથી ભગવાન પ્રગટ્યો. આ.હા...હા..! પર્યાયમાં પૂર્ણ આનંદ સરસપણે પ્રગટ્યો. આહા...હા...! આનું નામ મુક્તિ અને મોક્ષ કહેવાય. ઉપર જાય અને મોક્ષ થાય, એ તો વ્યવહારની વાતું (છે). મોક્ષ તો અહીં જ થઈ ગયો, પછી તો એક સમયમાં ઊર્ધ્વ જાય. મોક્ષ અહીં થઈ ગયો.
“સર “મન્નત્આ..હા..હા.! પરિણમનમાં અતીન્દ્રિય આનંદનો રસ પ્રગટી ગયો. આહા...હા..! જે અનાદિ કાળથી રાગના દુઃખનું પરિણમન હતું એનો નાશ થઈને અતીન્દ્રિય આનંદના સુખનું પરિણમન થયું. આહા...હા...! આ મોક્ષતત્ત્વ ! સમજાણું કાંઈ ? છે પર્યાય, પણ અનંત આનંદના રસવાળી પર્યાય છે. આહા..હા....! “સરસં' “સંયુક્ત છે.”
ભાવાર્થ આમ છે કે મોક્ષનું ફળ અતીન્દ્રિય સુખ છે.’ લ્યો ! મોક્ષનું ફળ શું પણ? અતીન્દ્રિય આનંદ ! આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વભાવ (છે) તે પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો લાભ તેનું નામ મોક્ષ. અતીન્દ્રિય આનંદ મુક્ત સ્વરૂપ તો છે. એની પર્યાયમાં મુક્તપણે રાગના સંબંધ વિના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય) તે આત્મલાભ, તે મુક્તિ. આ...હા...હા...! એક તત્ત્વ, હવે આવું તત્ત્વ ! આહા..હા..! એના ઉપાય કેવા હોય ? આહાહા..! સ્વભાવનું સાધન (કેવું હોય)? સ્વભાવ, એનું સાધન એ સ્વભાવની પૂર્ણ મુક્તિનું કારણ (છે). આહા...હા...! વચ્ચે રાગાદિની કંઈ વાત જ નહિ. ત્રિકાળ જિનસ્વરૂપ, એની પરિણતિમાં જિનસ્વરૂપ – મોક્ષમાર્ગ, વીતરાગી મોક્ષમાર્ગ, એના ફળરૂપે વીતરાગી સુખ પ્રગટે). આહા..હા..!
પ્રશ્ન :- વીતરાગી સુખ એટલે રાગવાળું સુખ હોય ?
સમાધાન – હા, દુનિયા રાગમાં (સુખ) માને છે ને ? રાગભાવનું દુઃખ છે પણ માને છે ને અમે સુખી (છીએ). સુખી છીએ ! પૈસા-બૈસા, છોકરાઓ બધાથી સુખી છીએ. ધૂળમાંય