________________
કળશ-૧૭૯
૩૯૧
પરિણમનથી તે વસ્તુ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ ?
ભગવાન ‘અમૃતચંદ્રાચાર્ય મુનિ દિગંબર સંત ! મૂળ શ્લોકો કુંદકુંદાચાર્યના. પરમાગમમંદિરમાં) વચમાં બિરાજે છે. આ બાજુ ‘અમૃતચંદ્રાચાર્યદેવ” (બિરાજે છે). આ એના શ્લોક છે. દિગંબર સંત વનમાં આનંદમાં રહેતા. અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝુલતા હતા. આ હા...હા..!
પ્રશ્ન :- શરદી નથી લાગતી ?
સમાધાન :- શરદો-ફરદો ક્યાં હતો ? જેને રાગ અડતો નથી એને શરદી ક્યાં અડે છે ? ભાઈ ! આહા..હા..! પ્રભુ ! મારગડા જુદા, નાથ ! આહાહા...! આ..હા..હા...! મુનિઓ તો જંગલમાં આનંદ – અતીન્દ્રિય આનંદમાં મોજ કરતા ! અતીન્દ્રિય આનંદના સ્વાદમાં રસીલામાં પડ્યા હતા. આહા...હા...! એને પરિષહ અને ઉપસર્ગ ક્યાં છે ? એનું જ્ઞાન કરતાં પણ ખબર પણ નથી કે આ શું છે ? આ.હા..હા...! આ મુનિઓ – આ કુંદકુંદાચાર્યદેવ', આ “અમૃતચંદ્રાચાર્યદેવ', આ પદ્મપ્રભમલધારીદેવ', નિયમસારની ટીકાના) કર્તા, જેના મુખમાંથી પરમાગમ ઝરે છે ! આ.હા..હા..હા..! જેના મુખમાંથી પરમ-આગમ ઝરે, એમ પોતે લખ્યું છે ! પરમપારિણામિકભાવને એમણે મલાવ્યો છે ! પરમપરિણામિકભાવ એટલે ? ત્રિકાળી સ્વભાવ જે અનંત આનંદ અને જ્ઞાન, દર્શન ત્રિકાળી ધ્રુવ, તેને પરમપરિણામિક કહે છે. આહા..હા! ભેદજ્ઞાનીને જે સમકિત થાય તેને ધર્મની પહેલી દશા કહે છે. આહા..હા..!
અહીં કહે છે, એવું આવરણ) શુદ્ધ પરિણામથી મટે છે.” ઈ તો નાસ્તિથી વાત કરી. “વસ્તુસ્વરૂપ પ્રગટ થાય છે. એ અસ્તિથી (વાત) કરી. શું કીધું છે ? આહાહા..! એ શુદ્ધ શુદ્ધ ચૈતન્ય પ્રભુ ! પુણ્ય અને પાપના ભાવ તો અશુદ્ધ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના જે શુભભાવ છે એ અશુદ્ધ છે. એ મેલ છે, ભાઈ ! તને ખબર નથી, પ્રભુ ! એનાથી રહિત અંદર શુદ્ધ સ્વરૂપ છે તેની સન્મુખતાના પરિણામ થાય એ શુદ્ધ પરિણમનથી (કર્મબંધ મટે છે). શુદ્ધ પરિણામ કહ્યું ને ? (શુદ્ધ) પરિણામથી અશુદ્ધતા મટે છે. એટલે કર્મ મટે છે એટલે અશુદ્ધ ભાવકર્મ મટે છે અને “વસ્તુસ્વરૂપ પ્રગટ થાય છે.' અસ્તિ -નાસ્તિ કરી. આહા...હા...!
વસ્તુ અંદર પ્રભુ ચૈતન્ય ભગવંત જિનસ્વરૂપે બિરાજે છે. એ જિનસ્વરૂપનો અનુભવ કરતાં અશુદ્ધ પરિણામ અને કર્મ મટે છે અને શુદ્ધ વસ્તુ પ્રગટ થાય છે). આહા...હા...!
પ્રશ્ન :- સન્મુખ થવા માટે શું કરવું ?
સમાધાન :- આ અંદરમાં જવું એ. આહા...હા...! જ્યાં છે ત્યાં જાવું, એ કરવું. જ્યાં ધ્રુવસ્વરૂપ ભગવાન અંદર બિરાજે છે (ત્યાં જાવું). એ તો કહ્યું નહોતું ? “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જેન, પણ મતમદિરા કે પાન સોં, મતવાલા સમજે ન” “ઘટ ઘટ