________________
કળશ-૧૭૮
૩૭૯
પહેલા લોટને ઘીમાં શેકે (એટલે) લોટ બધું ઘી પી જાય, પછી ગોળના પાણી નાખે તો શિરો થાય. આ તો મોંઘું પડે છે એમ સમજીને) કોઈ ડાહીની દીકરી એવી નીકળી કે આ તો મોંઘું પડે છે શું કરવું ? કે, ગોળના, સાકરના પાણી પછી નાખીએ છીએ ને તો સાકરના પાણીમાં પહેલાં) લોટ શેકો, પછી નાખો ઘી ! (એમ કરવા જઈશ તો) લૂપરી પણ નહિ થાય. તને ખબર નથી. આ ઉપરી નથી કહેતા ? પોટીસ... પોટીસ નહિ થાય. પોટીસ તો
ક્યારે થાય ? સાંભળેલું છે, આપણે કર્યું કાંઈ નથી પણ દુનિયાનું બધું સાંભળ્યું છે. બાયું વહુને કહે કે, વહુ ! જાતુંવળતું ઘી નાખજે. જાતુંવળતું એટલે ? પડ્યા વિના રહે નહિ અને ઝાઝું પડે નહિ. એમ બાયું કહે. અમારે કાઠિયાવાડમાં એ રિવાજ છે. પોટીસ કરવી હોય તો એમ કહે. જાતુંવળતું ઘી નાખજે એમ કહે. મેં કીધું, આ જાતુંવળતું શું હશે ? એટલે ઘી નાખતા ન પડે એમ નહિ અને ઝાઝું પડે નહિ એને જાતુંવળતું કહે. હવે જેને ઘીમાં લોટ શેકાતા મોંઘુ પડે ઈ કહે કે, પહેલાં ગોળના પાણીમાં લોટ શેકો ને પછી ઘી નાખો. (એમ કરીશ તો) તારા ત્રણેય જાશે. શિરો નહિ થાય પણ લોટ, ઘી અને સાકર ત્રણેય
જાશે.
એમ પહેલાં આત્મા જેવો છે એવો અનુભવ, દૃષ્ટિ કર્યા વિના પાછળથી તો પછી ચારિત્ર આવશે ને ? પણ ઈ ચારિત્ર કહ્યું ? સ્વરૂપમાં રમણતા ઈ ચારિત્ર. એમ કહે કે, પાછળ આ વ્રત ને તપ કરવા) કરતાં કરો પહેલાં ! અને પછી (સમકિત થશે). ધૂળેય નહિ થાય. સાંભળને ! સમજાણું કાંઈ ? આહા...હા.! આ વર્ષીતપ કરે છે ઈ બધી લાંઘણું
છે.
આત્મા અંદર આંનદનો નાથ પ્રભુ (છે) એ ક્રિયાકાંડના વિકલ્પથી ભિન્ન છે. એને જાણીને રાગને ટાળવો એનું નામ ભગવાન ધર્મ કહે છે. આહા...હા...! સમજાણું કાંઈ?
મુમુક્ષુ :- રાગ હોય ત્યારે રાગ ટળતો નથી.
ઉત્તર :- રાગ હોય ત્યારે ટળતો નથી, એનો અર્થ શું છે કે, રાગની ઉત્પત્તિ જ ન થાય. ટાળવાની વ્યાખ્યા તો એમ જ કહે ને)? ઉપદેશમાં શું કહેવાય? જ્યાં આત્મા આનંદસ્વરૂપ છે એના ઉપર એકાગ્ર થતાં રાગની જેટલી ઉત્પત્તિ ન થાય તેટલો રાગ ટાળ્યો એમ કહેવામાં આવે છે. સિદ્ધાંતને, ન્યાયને સમજો. અહીં તો લોજીકથી અને ન્યાયથી વાત
છે.
ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે, એમાં જેટલો એકાગ્ર થાય તેટલી રાગની ઉત્પત્તિ થાય નહિ. ઉત્પત્તિ ન થાય તેને ટાળ્યો એમ કહેવામાં આવે છે. આહા...હા...! ભારે વાતું, બાપુ ! કહો, સમજાય છે કે નહિ ? ભાઈ ! વર્ષીતપ કર્યા હતા કે નહિ ? તમારી બાએ (કર્યા છે) ? ઘણા કરે છે. બાપુ ! એ બધી લાંઘણું છે.
આ ભગવાન આત્મા ! એ ક્રિયાકાંડનો જે રાગ થાય એનું સ્વામિપણું છોડી અને આત્મા