________________
કળશ- ૧૭૯
૩૮૩
માગશર વદ ૬, શનિવાર તા. ૩૧-૧૨-૧૯૭૭.
કળશ–૧૭૯ પ્રવચન–૧૯૦
કળશટીકા ૧૭૯ (કળશ) ફરીને (લઈએ). આ બંધ અધિકારનો છેલ્લો કળશ છે. તત્ જ્ઞાનજ્યોતિ તદન્ સર્ગદ્ધમ્ તત્ જ્ઞાનજ્યોતિ:) “આ જ્ઞાનજ્યોતિ અર્થાત્ સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્યવહુ...” શું કહે છે? આ બંધને ટાળનાર આત્મા શુદ્ધ ચૈતન્યવસ્તુ પુણ્ય અને પાપના ભાવથી રહિત, એવો જે શુદ્ધ ચૈતન્ય આનંદકંદ પ્રભુ ! એના અનુભવથી કર્મનો નાશ થાય છે.
પ્રશ્ન :- કર્મ પુદ્ગલો અને અનુભવ જીવની પર્યાય ? સમાધાન – કર્મના નાશનો અર્થ અશુદ્ધ પરિણતિ. અશુદ્ધ પરિણતિનો નાશ થાય છે.
પહેલો તો શુદ્ધ આત્મા જ્ઞાન, આનંદ, ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિ કરીને અનુભવ કરતાં મિથ્યાત્વની અશુદ્ધ પરિણતિનો નાશ થાય છે. એ ભાવબંધ છે. વાત ભલે કર્મથી લીધી. ચૈિતન્ય વસ્તુ છે એ શુદ્ધ ચૈતન્ય છે. આવ્યું ? જુઓ! “જ્ઞાનજ્યોતિ અર્થાત્ સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્યવહુ.” છે. શું કીધું ઈ ?
ચૈતન્ય જે દ્રવ્ય સ્વભાવ, શુદ્ધ ચૈતન્ય એ અનુભવગમ્ય છે. કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામથી તે પ્રાપ્ત થાય એવી એ ચીજ નથી. આહા...હા...! આ જ્ઞાનજ્યોતિ.” એટલે “સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્ય વસ્તુ” એમ. જ્ઞાનજ્યોતિ એટલે આ જ્ઞાનસ્વરૂપ ભગવાન, ચૈતન્યસ્વરૂપ. એટલે? “સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્ય વસ્તુ...” આહા..હા...! એ શુદ્ધ ચૈતન્ય વસ્તુ સ્વઅનુભવથી ગમ્ય છે. એના સન્મુખ થઈને નિર્મળ વીતરાગી પરિણતિ થાય એ સ્વ-અનુભવગમ્ય એ વસ્તુ છે. આવી વાત છે. બંધ અધિકારનો) છેલ્લો કળશ છે ને ?
અનંતકાળથી (એ) અશુદ્ધ પરિણતિ કરી રહ્યો છે. વસ્તુ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે). વસ્તુ શુદ્ધ ચૈતન્યવસ્તુ (છે) પણ એને ભૂલીને અશુદ્ધ મિથ્યાત્વ આદિના પરિણામથી પરિણમી રહ્યો છે, થઈ રહ્યો છે. એને સ્વાનુભવગોચર શુદ્ધ ચૈતન્ય વસ્તુના અનુભવથી તે અશુદ્ધ પરિણતિનો નાશ થાય છે. આહાહા...! લ્યો ! આ બધા પ્રશ્નોનો ઉત્તર. આહા...હા...! ઝીણી વાત છે, ભાઈ !
કર્મનું બંધન એ તો નિમિત્તથી, વ્યવહારથી વાત છે, પણ ખરેખર તો એની અશુદ્ધ મલિન પરિણતિ (છે) એ એને ભાવબંધ છે. પોતે જ પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી અશુદ્ધ