________________
૩૮૪
કલામૃત ભાગ-૫
પરિણતિરૂપે દશા કરે છે. એક શબ્દમાં તો કેટલું કહ્યું ! આહા...હા...!
જ્ઞાનજ્યોતિ...” (ત સન્નદ્ધ) એ તત્ સન્નમ) એટલે પોતાના બળ-પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ.” આ...હા...હા...! આ આત્મા ચૈતન્યસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવથી રહિત એ ચીજ છે. એ ચીજ પોતે પોતાના સ્વાનુભગમ્ય થઈ શકે છે. આહાહા...! અંતરના અનુભવગમ્ય એ વસ્તુ, શુદ્ધ ચૈતન્યને અનુસરીને થતી નિર્મળ પરિણતિ – પર્યાય દ્વારા એ ગમ્ય છે. આહા..હા...! સમજાણું કાંઈ ? આવી વસ્તુ
“પોતાના બળ—પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ..” પાછી એમ ભાષા છે). આહા..હા..! એ શુદ્ધ ચૈતન્યવસ્તુમાં અનંત બળ – વીર્ય પડ્યું છે. એ અનંત બળથી પ્રગટ થઈ છે. કોઈ કર્મનો નાશ થયો અને અભાવ થયો માટે પ્રગટ) થઈ છે એમ નહિ. આહાહા...! પોતાના બળ-પરાક્રમથી..” શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા, જ્ઞાનનું બળ – પરાક્રમ. એ પુરુષાર્થથી પ્રગટ થઈ છે એમ કહે છે. સમજાણું કાંઈ ?
(તત્ સત્રમાં પોતાના બળ-પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ... આહાહા....! સ્વાનુભવગમ્ય તો કહ્યું પણ સાથે બળ – પરાક્રમથી પ્રગટ થઈ એમ કીધું. આહાહા..! ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ ! શુદ્ધ ચૈતન્યદ્રવ્ય સ્વભાવ પવિત્ર (છે) એ પોતાના બળ – પરાક્રમથી અનુભવથી પ્રગટ થઈ. આહા...હા..!
ત્યારે એમ કહે છે ને ? જે સમયે પર્યાય થવાની તે થવાની. એમાં આ બળ – પરાક્રમ ક્યાં આવ્યું ? પણ થવાની તે થવાની, એનો નિર્ણય કોણે કર્યો ? આત્માની સન્મુખ થઈને બળ - પરાક્રમથી નિર્ણય કરે ત્યારે થવાનું તે થાય, તેનો એ જ્ઞાતા રહે. આહા...હા...! ક્રમબદ્ધમાં આવવું હશે ને થવાનું હશે એમ થશે, એમ કહીને પુરુષાર્થ ઉડાડી દે (તો) એમ નથી. ક્રમબદ્ધમાં આવવાનું હશે, થશે તો એમ જ પણ એનો નિર્ણય કરીને અને જાણે કોણ ? અંતર આનંદસ્વરૂપમાં બળ – પરાક્રમથી પુરુષાર્થ કરીને સ્વભાવનો અનુભવ કરે ત્યારે એને ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય. આહાહા...! આવી વાતું ! લોકોને મુશ્કેલી પડે. પરિચય નહિ અને બહારની વાતુંમાં પડ્યા.
અનંત અનંત કાળ થયો. “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો મુનિવ્રત પણ ધારણ કર્યા, પંચ મહાવ્રત અનંત વાર (લીધા). કેમકે એ તો રાગની ક્રિયા, પુણ્યની ક્રિયા છે, એ કંઈ ધર્મ નથી. આહા...હા...! આત્મજ્ઞાન - રાગથી ભિન્ન પડી એ છેલ્લે કહેશે. જે રાગ છે, ચાહે તો દયાનો, દાનનો, વ્રતનો, ભક્તિ-પૂજાનો એ રાગ છે. એ રાગથી ભિન્ન પડીને સ્વ-અનુભવગમ્ય પોતાના બળ – પરાક્રમથી વસ્તુ પ્રગટ થઈ છે. વસ્તુ તો વસ્તુ હતી, વસ્તુ તો વસ્તુ હતી પણ બળ – પરાક્રમ વડે પર્યાયમાં પ્રગટ થઈ. આવી વસ્તુ છે. સમજાણું કાંઈ ? આચાર્યોના ટૂંકા શબ્દોમાં ઘણું ભર્યું છે. છે ?