________________
૧૬૪
કિલશામૃત ભાગ-૫
ભર્યો છે કહે છે. આહાહા....! “તે પણ બંધનો કર્તા નથીએ કામણવર્ગણા બંધનું કારણ નથી. આહા..હા...!
‘સમાધાન આમ છે કે જો રાગાદિ અશુદ્ધ પરિણામો વિના કામણવર્ગણામાત્રથી બંધ થતો...” નથી. રાગની એકતાબુદ્ધિ વિના કાર્મણવર્ગણાના ઢગલા પડ્યા છે પણ તે બંધનું કારણ નથી. આહાહા..! આવો વીતરાગ માર્ગ ! વીતરાગે પાછી વસ્તુ રાખી છે, કાર્મણવર્ગણા યોગ્ય પરમાણુ છે એ વાત રાખી છે. બીજે એવી (વાત) ક્યાંય નથી. આહાહા...! કર્મ થવાને લાયકના સમૂહના ઢગલા આખા લોકમાં ભર્યા છે. એ સર્વજ્ઞ સિવાય આ વાત બીજે ક્યાંય છે નહિ. સમજાણું કાંઈ ? આહા...હા..! કર્મની વર્ગણા. વર્ગણા એટલે સમૂહ, ઢગલો. એ તો આખા લોકમાં ભર્યો છે. જ્યાં સિદ્ધ ભગવાન છે ત્યાં પણ કાર્મણવર્ગણા પડી છે, ત્યાં બિરાજે છે. આ..હા...! ઈ કહેશે.
જો રાગાદિ અશુદ્ધ પરિણામ છે તો જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે....” સમજાણું ? કેમકે (રાગાદિ અશુદ્ધ) પરિણામો વિના કામણવર્ગણામાત્રથી બંધ થતો....નથી. (જો અશુદ્ધ પરિણામ વિના પણ બંધ થાય તો) જે મુક્ત જીવો છે તેમને પણ બંધ થાય. મુક્ત જીવ છે,
જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે) ત્યાં કામણવર્ગણાનો ઢગલો પડ્યો છે. જો એ બંધનું કારણ હોય તો એને બંધ થાય. રાગની એકતાનું કારણ નથી એટલે એ બંધનું કારણ છે નહિ. આહાહા..! આહા..હા..! છે ને ?
મુક્ત જીવો છે તેમને પણ બંધ થાત. કાર્મણવર્ગણા ભરેલી છે એનાથી જો બંધ હોત તો મુક્ત જીવને (પણ) બંધ થાત. જ્યાં સિદ્ધ બિરાજે છે, (સિદ્ધ ભગવાન તો) અરૂપી ઘન છે, એના આત્માની અંદરમાં ત્યાં અનંતી કર્મની વર્ગણા પડી છે. આહા.હા...! સમજાણું કાંઈ ? અને એનું જે આખું જ્ઞાનશરીર આવડું મોટું છે તેના અંદરમાં તો અનંતા કર્મની વર્ગણા પડી છે. અનંતા નિગાદજીવો ત્યાં પડ્યા છે. આહા...હા...! પણ એ નિગોદના જીવ રાગની એકતા કરે છે માટે કર્મનું બંધ છે. કર્મવર્ગણાથી બંધ હોય તો તો સિદ્ધને હોવો જોઈએ. સમજાણું કાંઈ ? આહાહા..! આવી વાતું સાંભળવા પણ નવરાશ ન મળે અને હોહા (કરીને) એમને એમ જિંદગી ચાલી જાય છે. આહા..હા..!
છે ? “મુક્ત જીવો છે તેમને પણ બંધ થાત. ભાવાર્થ આમ છે કે – જો રાગાદિ અશુદ્ધ પરિણામો છે તો જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે, તો પછી કાશ્મણવર્ગણાનો સહારો કાંઈ નથી.” આહા..હા.. બંધમાં એની કાંઈ મદદ નથી. આહા...હા....! આ..હા...હા...! બે બે વાત લેશે, હોં ! બળે ! શું બે બે ? કે, અશુદ્ધ રાગાદિ પરિણામ છે તો બંધ છે. જ્ઞાનાવરણાદિ (કર્મનો) સહારો કાંઈ નથી. હવે વિશેષ (અર્થ) કરે છે. - જો રાગાદિ અશુદ્ધ ભાવ નથી તો કર્મનો બંધ નથી, તો પછી કાર્મણવર્ગણાનો સહારો કાંઈ નથી.” આહાહા....! બબ્બે વાર એક વાતને સિદ્ધ કરે છે. શું કીધું ઈ ? કે, જો રાગાદિ