________________
કળશ- ૧૬૪
૧૬૩
તને ખબર નથી. આહા..હા..! તું કોણ છો અંદર ? અને ક્યાં તે પોતાનું માનીને પડ્યો
છો ? આહા..હા..! તને ખબર નથી (એમ) અહીંયાં કહે છે. આહા..હા..! એ તો જાણનારદેખનાર ચેતન, ચેતનભૂમિકા, એ તો સર્વસ્વ ચૈતન્ય છે. આ..હા...હા...! એના પરિણામ તો એકલા જાણવા-દેખવાના હોવા જોઈએ. એટલું ન કરતાં એને રાગ ને દયા, દાન, વ્રતાદિ પરિણામ સાથે એકતા કરે છે). મૂળ તો ભૂલ ત્યાં છે ને ? પાપના પરિણામ તો ઠીક. આહા..હા...! શુભરાગને પોતાના વીતરાગમૂર્તિ પ્રભુ સાથે એકપણે કરે છે, માને છે, શ્રદ્ધ છે. આહા..હા...! એ એક જ બંધનું કારણ છે.
“બીજું તો કાંઈ નથી;” છે ને ? આ તો એકાંત કરી નાખ્યો ! બંધના કારણે પાંચ છે ને ? અહીં અત્યારે મુખ્ય બંધનું કારણ એક જ લીધું છે. અવ્રતના પરિણામ અલ્પ છે એને અલ્પ સ્થિતિ, રસનો બંધ પડે છે. ઈ કંઈ સંસારને વધારનારો નથી, ભવ વધારનારો નથી. આહા...હા...!
પ્રશ્ન :- થોડો બંધ થાય છે ને ?
સમાધાન – એ બંધ થાય છે પણ પછી નિર્જરવા માટે બંધ થાય છે. એમ ગણીને અહીંયાં (એક જ બંધનું કારણ કહ્યું). છતાં પછી આગળ કહેશે કે, એમ માનીને તું સ્વચ્છન્દી, થઈ જા કે, અમારે તો વિષયભોગ ભોગવતાં પણ નિર્જરા છે. તો તને એ ભોગવવાનો ભાવ થયો છે કે લુખાપણે રહ્યો છો ? (ભોગવવાનો ભાવ) થયો તો થઈ રહ્યું ! મિથ્યાત્વ થયું છે અને બંધનું જ કારણ છે. વિષયના ભોગમાં રસ આવ્યો તો એ મિથ્યાત્વ જ છે. આહા...હા...! આ તો કહેશે કે, વિષયભોગ સમકિતી ભોગવે છતાં તેને એ ભોગ નિર્જરાનો હેતુ છે, બંધનું કારણ નથી. કેમકે રાગને પોતાના ઉપયોગમાં ભેળવતો નથી. આ.હા...હા...હા...! આવો માર્ગ છે. એટલે વાત ન બેસે એને એકાંત લાગે એવું છે ને આ ? અહીં એકાંત જ કીધું. આહા..હા..! એમ કહે છે.
“બીજું તો કાંઈ નથી;...” એમ કહે છે. “ર્મવ« નાત્ ન વ ત્ વા વર્તનાત્મ कर्म न बन्धकृत् वा अनेककरणानि न बन्धकृत वा चिदचिद्धधः न बन्धकृत्' આહાહા...! શું કહે છે ? જુઓ ! “જ્ઞાનાવરણાદિ કર્મરૂપે બંધાવાને યોગ્ય છે જે કામણવર્ગણા,...” કર્મ થવાને યોગ્ય પરમાણુનો સમૂહ આખા લોકમાં ભર્યો છે. તેમનાથી (વહુનં) વૃતઘટની માફક...” (અર્થાતુ) જેમ ઘીનો ઘડો આખો ભર્યો હોય એમ એ કર્મવર્ગણાથી ભરેલો આખો લોક (છે), આખો ઘટ છે. આહા..હા.! કર્મ થવાને લાયક સમૂહ, વૃતઘટની પેઠે આખો લોક ભરેલો છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
ત્રણસો તેતાલીસ રાજુપ્રમાણ લોકાકાશપ્રદેશ....” કાર્મણવર્ગણા ભરી પડી છે, આખા લોકમાં ભરી પડી છે. જ્યાં સિદ્ધ ભગવાન છે ત્યાં પણ કામણવર્ગણા ભરી પડી છે. કર્મ થવાને લાયક, કર્મ નહિ. આહાહા...! કાશ્મણવર્ગણાનો સમૂહ ત્રણસે તેંતાલીસ રાજુલોક આખો