________________
કળશ- ૧૭૮
૩૫૧
આહા..હા..! અને સમદષ્ટિ ધર્મી જીવ કદાચિતુ પહેલાં કોઈ પાપના પરિણામ થઈ ગયા અને નરકમાં જાવું પડે તોપણ તે નીકળીને મનુષ્ય થઈને તીર્થકર કે કેવળી થાશે. આહા..હા..!
શ્રેણિકરાજા' ભગવાનનો ભગત ! સમકિતી, ક્ષાયિક સમકિતી ! “શ્રેણિકરાજા'! મુનિની અશાતના કરી હતી તો) પહેલાં નરકનું આયુષ્ય બંધાઈ ગયેલું પછી સમકિત પામ્યા. આત્મજ્ઞાન પામ્યા. રાગ, પુણ્ય હું નહિ, મારું સ્વરૂપ ભિન્ન (છે), પછી ભગવાનના સમવસરણમાં તીર્થકરગોત્ર બાંધ્યું. પણ પેલું નરકનું આયુષ્ય બંધાઈ ગયેલું એટલે અત્યારે નરકમાં ગયા. ચોરાશી હજાર વર્ષની સ્થિતિએ છે. ત્યાંથી નીકળીને આવતી ચોવીશીમાં પહેલાં તીર્થકર થવાના. આહા...હા...! કેમકે રાગને હેય માનીને આત્માના આનંદના સ્વરૂપના વેદનને ઉપાદેય માનીને ત્યાં પડ્યા છે. આહા...હા...! નરકમાં પડ્યા છે તોપણ અતીન્દ્રિય આનંદના વેદનમાં છે. રાગ આદિ આવે છે એનું દુઃખ થાય છે પણ એ હેય છે. આહા...હા...! અહીં મોટા શેઠિયા (હોય), કરોડોના બંગલા હોય અને અબજો રૂપિયાની મૂડી હોય તોપણ એ બધા પુણ્યના ફળમાં નવું પાપ બાંધે. અમે પૈસાવાળા, અમે આમ કરીએ છીએ, અમે ઘણાને નભાવીએ છીએ, હજારો માણસો અમારા કારખાનામાં નભે છે. ધૂળેય નથી, સાંભળને ! તારી મમતાને લઈને તું આ બધી વાતું કરે છે. સમજાણું કાંઈ? આવી વાતું છે. જગતથી ઊંધી છે. વીતરાગ ત્રિલોકનાથ તીર્થંકરદેવ સમવસરણમાં ઈન્દ્ર અને ગણધરોની સમક્ષમાં પ્રભુ આમ કહેતા હતા. આ...હા...હા...! એ વાત આ છે. આહા..હા..!
મિથ્યાદૃષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું છે, તેથી મિથ્યાદૃષ્ટિ જીવ કર્તા છે.' સ્વામિપણું છે માટે કર્તા છે એમ. જ્ઞાનીને રાગનું સ્વામિપણું નથી માટે કરવાલાયક છે એમ માનતા નથી માટે) અકર્તા છે. આહાહા! બહુ ફેર ! એ ૧૭૭ (કળશ પૂરો) થયો. ૧૭૮ કળશ.
(શાર્દૂતવિહિત)
इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात् तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकाम: समम्। आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति ।।१६-१७८ ।।
ખંડાન્વય સહિત અર્થ :- US માત્મા માત્માને સમુપૈતિ યેન કાત્મનિ
નંતિ