________________
કળશ-૧૭૭
૩૪૯
જાય તો બીજા વીસ થાય. અનાદિથી મહાવિદેહમાં તીર્થકરો તો ચાલ્યા જ કરે છે. ત્યાં અનંતવાર ઊપજ્યો અને ભગવાનના સમવસરણમાં ગયો. એની વાણી સાંભળી, એની પૂજાઓ કરી, પણ એ તો શુભભાવ છે. આહા..હા...!
મુમુક્ષુ :- બીજા જે નહોતા જતા એના કરતાં તો સારું.
ઉત્તર :- એનો અર્થ શું ? ધર્મને માટે સારું નહિ. પાપ કરતાં પુણ્ય કરે એટલું ઠીક. પણ ઈ ધર્મ છે એમ નથી. એનાથી એને જન્મ-મરણ મટશે એમ નથી. એનાથી તો જન્મમરણ થશે. રાગ છે એ સંસાર છે. આહાહા..! આકરી વાતું, બાપુ ! સિદ્ધમાં રાગ છે? તો અહીં રાગ છે ઈ સંસાર છે. રાગરહિત (થવું) એ સિદ્ધ છે. આહાહા...!
એટલે અહીં કહે છે કે, જે રાગને પોતાનો કરીને અનુભવે છે પણ ઉપાધિ છે તેમ અનુભવતો નથી. ‘ત જાર: મવતિ “આ કારણથી રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા થાય છે. જોયું ? એ રાગના પરિણામનું કર્તવ્ય છે તે મારું છે એમ એ માને છે. આમ કર્તા, હોં ! ઈ અશુદ્ધ પરિણામ મારું કર્તવ્ય છે અને ઈ કરવાલાયક છે એમ કરીને કર્તા થાય છે. જ્ઞાનીને રાગ આવે પણ તેનું પરિણમન છે એ અપેક્ષાએ કર્તા છે), પણ કરવાલાયક છે એ બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. આહા..હા..! ઘણો ફેર પણ, ભાઈ ! વાતવાતમાં બહુ ફેર છે. કર્તા કીધો ને એક બાજુ કર્તા નથી કીધું અને એક બાજુ આપણે કર્તા આવશે. ઈ પરિણમે છે, જ્ઞાની છે, ધર્મી છે, રાગ પોતાનું સ્વરૂપ નથી એમ માને છે પણ રાગ આવે છે એટલું પરિણમન છે એથી એને જ્ઞાનની દૃષ્ટિએ પરિણમનનો કર્તા એમ કહેવામાં આવે છે. પણ આ કર્તવ્ય મારું છે અને કરવાલાયક છે એવી બુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. આહા...હા...! આવો બધો ફેર એટલે બધા રાડવું પાડે બિચારા ! એ...! ‘સોનગઢ તો એકલી નિશ્ચયની વાતું કરે છે, વ્યવહારથી થાય એ વાતું કરતા નથી. વ્યવહાર હોય પણ એનાથી થાય નહિ. આહાહા...! સમજાણું કાંઈ ? આહાહા...! છે ?
- કિર્તા...” (મતિ) જુઓ ! “રાગાદિ અશુદ્ધ પરિણામોનો એ અશુદ્ધ પરિણામના બે પ્રકાર – શુભ અને અશુભ. શુભભાવ અને અશુભભાવ બન્ને અશુદ્ધ છે. અને શુભ ને અશુભ રાગ અશુદ્ધથી ભિન્ન આત્માના આશ્રયે પરિણામ થાય તે શુદ્ધ છે. આહા...હા...! ભારે આવું કામ !
‘રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા થાય છે. ભાવાર્થ આમ છે કે – મિથ્યાદૃષ્ટિ જીવને.” દૃષ્ટિ જ મિથ્યાત્વ છે જ્યાં આત્મા શું ચીજ છે એની ખબર જ નથી અને રાગ શું ચીજ છે ? મારાથી ભિન્ન તત્ત્વ છે, પુણ્યનું તત્ત્વ અને પાપનું તત્ત્વ ભિન્ન છે). નવ તત્ત્વ છે ને ? તો પુણ્ય-પાપ ને આસ્રવ તત્ત્વથી જીવતત્ત્વ તો ભિન્ન છે. જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ (એમ) નવ તત્ત્વ છે. તો એમાં દયા, દાન, વ્રતના પરિણામ તો પુણ્યતત્ત્વ છે. હિંસા, જૂઠું, ચોરી, ભોગના, રળવાના, કમાવાના ભાવ પાપ છે.