________________
૩૬ ૨
કિલશામૃત ભાગ-૫ ન્યાયથી – લોજીકથી તત્ત્વનો) જરીક વિચાર કરે, મંથન કરવું જોઈએ, ભાઈ ! દુનિયાના મંથનમાં કેટલા કાળ ગાળ્યા, જુઓને ! ચારે કોર કષાયની અગ્નિની હોળી સળગે છે. આ વકિલાતમાં વકિલાત કરે એમાં શું હતું ? કષાય હતો ત્યાં. ભાઈ ! એ બધું કુશાન હતું અને કષાય હતો. આહા..હા...!
આ સુજ્ઞાન અને અકષાય ! આહા..હા...! કહે છે, “યૂનિતવશ્વ:” જેણે રાગથી ભિન્ન પાડીને સ્વભાવની દૃષ્ટિ કરી છે... આહા..હા..! એણે રાગની એકતાને મૂળમાંથી છેદી નાખી છે. સમજાણું કાંઈ ? આહા...હા..! ખરેખર તો એટલું બધું કહેવા માગે છે કે, રાગને મૂળમાંથી છેડ્યો છે અને હવે રાગ થવાનો નથી. પડવાના નથી, એ શૈલિ છે. આ.હા...હા...! દિગંબર સંતોની અપ્રતિહત વાત તો જુઓ ! આહાહા...!
કહે છે કે, મેં કર્મનો નાશ કર્યો. એ તો કર્મ તો જડ છે. એ તો એને કારણે નાશ થાય. એ કંઈ આત્માને કારણે નાશ) ન થાય. આત્મામાંથી રાગનો નાશ થાય. ત્યારે રાગનો નાશ થતાં કર્મ એની મેળાએ નાશ થઈ જાય. એ તો જડની સ્વતંત્ર દશા છે. ત્યારે આ જીવે કર્યું શું ? કે, રાગની જે એકતા હતી એને મૂળમાંથી ઉખેડી નાખી અને મૂળ સ્વરૂપ જે ભગવાન છે તેને એણે પકડ્યું. આહા..હા....
પ્રશ્ન :- મૂળ સ્વરૂપ ધ્રુવ કે બીજું કાંઈ ?
સમાધાન – ધ્રુવ ! મૂળ ધ્રુવ છે, ધ્રુવ. અહીંથી મૂળ ઉખેડડ્યું અને અહીં મૂળને પકડ્યું. ચૈતન્યસત્તા ધ્રુવ અનાદિઅનંત છે. એ કંઈ નહોતી અને તથઈ) છે એમ છે ? અનાદિથી છે અને અનંત કાળ રહેશે. ઉત્પત્તિ અને વિનાશ વિનાની એ ચીજ છે. ઉત્પન્ન થાય અને નાશ થાય એવી ચીજ નથી. એ તો ત્રિકાળ ધ્રુવ છે. એની પર્યાયમાં અવસ્થા બદલે પણ વસ્તુ છે એ તો ધ્રુવ છે. આહા..હા...! એટલે કહે છે કે, જેણે અંદરમાં... આહા...હા...! આ એની વિધિ છે કે, રાગનો સંબંધ તોડી અને સ્વભાવનો સંબંધ કરવો, ભેદજ્ઞાન કરવું એમાંથી આત્માની પ્રાપ્તિ થાય ત્યારે આત્મા આનંદ અને જ્ઞાનની પરિણતિના વેદનમાં આવે, ત્યારે એ ગર્જયો કહેવાય કે, અંદર પર્યાયમાં આનંદ આવ્યો અને જ્ઞાનની પર્યાય અતીન્દ્રિય આવી ત્યારે આ આખો આત્મા આવો છે એમ એને આત્માની પર્યાયમાં ગર્જના (થઈ), ફૂર્તિ (થઈ, આવું ભાન થયું. આહાહા...! અરે...! સમજાણું કાંઈ ?
‘૩ન્યૂનિવ:” અબંધસ્વરૂપ ભગવાન આત્મા. અબંધસ્વરૂપ પ્રભુ આત્મા ધ્રુવ સ્વરૂપ છે એ તો અબંધ છે. એ અબંધને પકડતાં બંધનો જે રાગનો ભાવ એને મૂળમાંથી ઉખેડી નાખ્યો. આહા..હા...! આ સમ્યગ્દર્શનની દશા ! સમ્યક્ હજી તો ધર્મની પહેલી – પ્રથમ સીડી. આહા...હા...!
પ્રશ્ન :- પહેલો માનવધર્મ હોય કે આત્મધર્મ હોય ? સમાધાન :- આત્મધર્મ. માનવધર્મ કેવા ? મનુષ્યનો વ્યવહાર બંધનું કારણ નથી કહ્યું?