________________
૩૬૧
ભગવાનઆત્મા પોતાના સ્વરૂપને ભૂલી અને એ પુણ્ય-પાપની ક્રિયાના રાગના સંબંધમાં પોતાને જોડ્યો હતો એ ઊંધા પુરુષાર્થથી પોતે જોડ્યો હતો, કોઈ કર્મે એને જોડાવ્યો છે એમ નહિ. ઈં હમણાં આગળ કહેશે. સંતતિનું આગળ (આવે) છે ને ? ‘અદ્વૈતુામ:' દૂ૨ ક૨વાનો કામી, કહેશે. આહા..હા...! બહુ ગાથા (−કળશ ઊંચો છે) ! એક એક શ્લોકમાં ઘણું ભર્યું છે ! આ તો અધ્યાત્મ વસ્તુ ! ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માના સંતો, કેવળજ્ઞાનીના કેડાયતો અંત૨માં ગયા છે અને કેવળજ્ઞાન પામવાની તૈયારી છે ! આ..હા..હા...! એવા સંતોની આ વાણી છે. દિગંબર સંતો જંગલમાં વસતા હતા. આહા..હા...!
કળશ-૧૭૮
અહીં સ્ફૂર્તિનો અર્થ આટલો કર્યો. ‘આત્મનિ નૈતિ” પરદ્રવ્ય સાથે સંબંધ છૂટ્યો. એ તો નાસ્તિથી કહ્યું. હવે, ‘જ્ઞાત્મનિ નૈતિ” એટલે ? પોતા સાથે સંબંધ જોડ્યો. એ સ્ફૂર્તિનો અર્થ કર્યો. પેલું તો સમજાવ્યું એટલું કે, ૫દ્રવ્ય સાથે સંબંધ છોડ્યો. એ તો સમજાવ્યું. હવે સ્ફૂર્તિ કહેવું છે એનો અર્થ (કરે છે). પોતા સાથે સંબંધ જોડ્યો એ સ્ફૂર્તિ. આહા..હા...! આ જ્ઞાયક ચૈતન્યજ્યોત સ્વરૂપ છે પ્રભુ ! એની સાથે સંબંધ જોડ્યો. એ સ્ફૂર્તિનો અર્થ (છે). પછી પ૨સંબંધ તોડ્યો એ તો સાથે નાસ્તિથી વ્યાખ્યા કરી. સમજાણું કાંઈ ?
કેવો છે ? પોતા સાથે સંબંધ રહ્યો. કેવો છે ? ‘ઉન્મૂતિતવન્ય:’ જેણે (ઉન્મૂતિત) મૂળ સત્તાથી દૂર કર્યો છે..' (વન્ય:) આહા..હા...! રાગનો જે બંધ – ભાવબંધ હતો, જડકર્મ – માટી તો એને કા૨ણે રહ્યા, પણ રાગના સંબંધમાં બંધ હતો, રાગમાં રોકાયેલો ભાવબંધ હતો એને મૂળ સત્તાથી દૂર કર્યો છે (વન્ય:) જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલદ્રવ્યનો પિંડ જેણે,...’ પણ એ કર્મની વાત કરી છે. પણ ખરેખર તો કર્મની સાથેનો સંબંધ છે એ મૂળમાંથી તોડી નાખ્યો છે. એટલે આઠે કર્મથી છૂટો પડ્યો, છૂટો થયો એમ કહેવાય છે. અરે..!
ફરીને, ‘કમ્યૂનિતવન્ધ:’ એમાં બે શબ્દ છે. ‘ઉન્મૂતિત” અને “વન્ય:’ ‘ઉન્મૂતિત’ (એટલે) ઉખેડી નાખ્યું છે. મૂળમાંથી રાગને ઉખેડી નાખ્યો છે. આહા..હા...! આ ગધેડા હોય છે ને ? એ ઘાસ ખાય ઈ ખેંચીને ખાય. મૂળને ખેંચીને ખાય. ગાયું એમ ન ખાય. ગાયું ખાય એ મૂળ રાખીને ઉ૫૨ ઉપરથી (ખાય). એને ગોચર કહેવાય. મુનિને ગોચરી કહે છે ને ? ગોચરી એટલે જે ગૃહસ્થાશ્રમમાં ગૃહસ્થોએ એના પોતા) માટે કરેલો હોય એમાંથી થોડું બચે એ પોતે ઉપરથી લ્યે. કરેલું (હોય) એ બધું ન લે. એમ ગાય પણ ખાય ત્યારે એના મૂળિયાં રાખીને ઉપરથી ખાય. એટલે પાછા મૂળિયાં વધે. અને ગધેડાનો સ્વભાવ એવો છે કે મૂળ ખેંચીને ખાય. એમ આત્મા, ધર્મી ગધેડા જેવો છે અને આ ડાહ્યો છે. રાગને મૂળમાંથી ઉખેડી નાખે છે. અને અજ્ઞાની રાગની કાંઈક મંદતા કરે એટલે એમ થઈ ગયું કે, જાણે મેં કાંઈક ધર્મ કર્યો. ઈ ગાયની પેઠે ગોચર (જેવો છે). ઉપર રાગ રાખે છે, મૂળ રાખે છે પણ દયા, દાનમાં કાંઈક (રાગની ક્રિયા) મંદ પાડે એટલે જાણે આપણે ધર્મ થયો (એમ માને). પણ એમ છે નહિ. આહા..હા..! આવું સ્વરૂપ કેવું ? અને તે બેસે એવું છે.