________________
૩૫૬
કલશામૃત ભાગ-૫
સ્વરૂપથી ભ્રષ્ટ હતો અને રાગ ને પુણ્ય ને પાપના ભાવ જે સ્વરૂપમાં નથી તેને પોતાના) માનતો. એ અનાદિથી ચૈતન્ય વસ્તુ પ્રગટ વ્યક્ત હોવા છતાં તેનાથી અજ્ઞાની ભ્રષ્ટ હતો.
આહા..હા...!
—
તોપણ આ અનુક્રમથી પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયો,...' છે ? આહા...હા...! આ અનુક્રમથી એટલે ? રાગથી ભિન્ન પાડીને પોતાના અનુક્રમમાં સ્વભાવ છે તે જણાણો. આહા..હા....! શુભ-અશુભ રાગથી ભિન્ન પાડીને એ અનુક્રમ (છે). આહા..હા...! વસ્તુ છે, એની વર્તમાન દશામાં પુણ્ય ને પાપના ભાવ છે તેનાથી અનુક્રમ એટલે ભિન્ન પાડતાં પાડતાં, અંદર ભિન્ન પાડતાં ભેદજ્ઞાનથી એ આત્મા જાગ્યો. આહા..હા...! હજી તો અર્થ કરશે.
સ્વરૂપને પ્રાપ્ત થયો, જે સ્વરૂપની પ્રાપ્તિના કારણે...’ (આત્મનિ નૈતિ) આહા....હા...! પદ્રવ્ય સાથે સંબંધ છૂટ્યો, પોતા સાથે સંબંધ રહ્યો.’ એ ભાષા કરી. પેલામાં – સંસ્કૃત ટીકામાં તો એવો અર્થ કર્યો (કે), આત્મા ગયો ! અંદર ગર્જના થઈ કે, હું આનંદ છું ! જે પુણ્ય ને પાપના ભાવ વિકૃત અને દુઃખરૂપ હતા તેનાથી ભિન્ન પાડતાં આત્મા નૈતિ આત્મા સ્પૂનૈતિ” સ્ફૂર્તિમાં આવ્યો, પ્રગટ થયો, ગર્જયો, જાગ્યો. આવી વાતું છે આ !
જે રાગનો ગર્વ હતો, પુણ્ય ને પાપમાં ગર્વ હતો કે હું ચીજ છું અને મેં તો મોટા માંધાતાને પાડ્યા છે ! રાગ મારો એવી માન્યતાવાળાને મેં સ્વરૂપથી ભ્રષ્ટ કર્યાં છે (એમ) આસ્રવ કહે છે. એ આસ્રવથી ભિન્ન પડેલો પ્રભુ ! રાગથી ભિન્ન પડતાં... આ..હા..હા...! પ્રશ્ન :- કેટલા સમયમાં રાગથી ભિન્ન પડે ?
સમાધાન :- એક સમય. આહા..હા...! થઈ ગયો વખત ?
આવી ગયો.. વિશેષ આવશે...
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૪, ગુરુવાર તા. ૨૯-૧૨-૧૯૭૭. કળશ-૧૭૮ પ્રવચન-૧૮૮
‘કળશટીકા’ ૧૭૮ કળશ છે ને ?
ષ આત્મા આત્માનં સમુપૈતિ યેન આત્મનિ નૈતિ” એક લીટીનો અર્થ છે. 'एष' (અર્થાત્) આ આત્મા અર્થાત્ પ્રત્યક્ષ છે જે જીવદ્રવ્ય...’ વસ્તુ તરીકે પ્રગટ છે ને અંદર ? વસ્તુ તરીકે પ્રગટ (છે). ભેદજ્ઞાન જ્યોતિથી પ્રગટ કરતાં એ વસ્તુ અંદર પ્રગટ જ છે, વ્યક્ત છે. પર્યાયની અપેક્ષાએ ભલે એને અવ્યક્ત કહીએ પણ વસ્તુ તરીકે તો પ્રગટ જ છે. વસ્તુ