________________
૩૫૪
કિલશામૃત ભાગ-૫
સમાધાન :- એટલું બધું નીકળ્યું એમાંથી. લોજીકથી ન્યાય સમજશે કે નહિ ? ન્યાય શબ્દમાં ‘નિ ધાતુ છે. “નિ’ ધાતુમાં ન્યાયનો નિ’ એટલે લઈ જવું. જેવું સ્વરૂપ છે તેમાં જ્ઞાનને દોરી જવું એનું નામ જાય. તમારા વકીલાત-બકીલાતના જાય એ જુદી જાતના, હોં ! એ તો સરકારે બાંધ્યા હોય એ પ્રમાણે તમારે કરાય. આ તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરના ન્યાય કે જે ન્યાયના “નિ ધાતુથી જેવું એ પ્રત્યક્ષ સ્વરૂપ છે. આહા...હા...! જ્ઞાનને ત્યાં દોરી જવું, લઈ જવું. આહાહા...! બાકી અપૂર્વ માર્ગ છે, પ્રભુ ! સાધારણ માર્ગ હોય તો અનંતકાળમાં કેમ પામ્યો નથી ? આહાહા....! એ પામવામાં) અપૂર્વ પુરુષાર્થ છે ! આહા...હા...!
પ્રશ્ન :- આગમજ્ઞાન સરળ છે કે આત્મજ્ઞાન સરળ છે ?
સમાધાન :- આત્મજ્ઞાન એ જ્ઞાન છે, આગમજ્ઞાનનું જ્ઞાન એ જ્ઞાન જ યથાર્થ નથી. આગમજ્ઞાન એ પરજ્ઞાન છે, પર તરફનું વલણ છે.
પ્રશ્ન :- બેમાં સરળ કોણ ?
સમાધાન :- આ જ વસ્તુ એક સરળ નામ સાચી આ ! અનાદિથી કરે છે તે સરળ છે પણ રખડવાની ! શાસ્ત્રજ્ઞાન અનંતવાર કર્યા, અગિયાર અંગ અનંતવાર ભણ્યો. એક આચારાંગ ભગવાને કહેલું, એક આચારાંગમાં અઢાર હજાર પદ અને એક પદમાં એકાવન કરોડ જાજેરા શ્લોક ! એવું એક અંગ, બે અંગ, ત્રણ અંગ ડબલ.... ડબલ.. ડબલ... એવા) અગિયાર અંગ અનંતવાર કર્યા. એ કંઈ વસ્તુ નથી. આ..હા...હા...! આત્મજ્ઞાનને જ્ઞાન કહીએ. ભગવાન જેમાં જ્ઞાન ભર્યું છે પ્રભુ ! એકલો જ્ઞાન... જ્ઞાન.... જ્ઞાન... જ્ઞાન... જ્ઞાન.... ચૈતન્યતેજ ! તેજ વસ્તુ વ્યક્ત પ્રગટ છે તેને પહોંચી વળવું... આહા..હા...એ સ્વરૂપને જ્ઞાનમાં જાણી લેવું એનું નામ આત્મજ્ઞાન છે. એ શબ્દો ટૂંકા છે પણ બાપા ! એમાં ભાવ બધા ઘણાં આકરાં છે ! ભાષા તો થઈ, લ્યો ! કે, આ આત્મજ્ઞાન છે, પણ બાપુ ! એ તો પુરુષાર્થ માગે છે. આહા..હા..! એના પર તરફના વલણવાળી દશાને છોડીને સ્વ તરફ દશા કરવી એ કંઈ વાતું છે ? આહા...હા...!
જ્યાં ભગવાન પૂર્ણ પડ્યો છે એના તરફ વર્તમાન દશાને વાળવી અને વર્તમાન દશા પરમાં અનાદિથી વળેલી છે. પુણ્ય અને પાપ ને બહારના ભાવમાં વળી ગયેલી છે. આહાહા...! એની દિશા બદલાવવી. દશાની દિશા બદલાવવી. વર્તમાન દશા જે પર્યાય છે એની દિશા પર તરફ છે. હવે એ પછીની દશાને ત્રિકાળી છે તે દિશામાં વાળવી. આ તો સાદી ભાષામાં વાત છે, બાપા !
પ્રશ્ન :- દિશા પલટાવવી કે દશા પલટાવવી ?
સમાધાન – ઈ દિશા પલટે ક્યારે? કે, દશાની દિશા પલટે ત્યારે. દશા ક્યારે પલટે ? કે, દિશા પલટે ત્યારે. વર્તમાન રાગની દશાની દિશા પર તરફ છે અને જ્ઞાનાનંદની પર્યાયની