________________
૩૧૦
કિલશામૃત ભાગ-૫
એમ કહે છે. આહા..હા... જેને અંતરમાં આવો પ્રશ્ન) થયો, પ્રભુ ! દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ રાગ (છે) એ શુદ્ધ ચેતના સ્વરૂપ ભગવાનથી બહાર છે, ભિન્ન છે. એ ભિન્ન છે તો એની ઉત્પત્તિ ક્યા કારણથી થઈ છે ? આત્માને કારણે થઈ છે કે કર્મને કારણે થઈ છે ? એમ પ્રશ્ન છે. આ..હા..સમજાણું કાંઈ ? આ અધિકાર તો બહુ સરસ આવ્યો છે ! કહો, ભાઈ ! તમારી ફિલ્મમાં પહેલો અધિકાર આવો આવ્યો ! આહા...હા..! આવી વાત છે. જગતમાં ક્યાંય સાંભળવા મળે નહિ. રાડેરાડ્યું પાડે, એ... આમ કરો ને આમ કરો ને આમ કરો... દેશસેવા કરો, ભૂખ્યાને આહાર દયો, તરસ્યાને પાણી લ્યો, રોગીને ઓડ દડ્યો... ભાઈ ! સાંભળ પ્રભુ ! ભાઈ ! એ બધી ચીજો તો જીવના પુણ્ય-પાપને કારણે મળે છે. તું દઈ શકે એ વાતમાં માલ છે નહિ.
અહીંયાં તો તારામાં જે રાગાદિ ભાવ થાય છે એ શું ચીજ છે ? આપ એક કોર બહાર છે એમ) કહો છો અને એક કોર તેને બંધનું કારણ કહો છો ? સમજાણું કાંઈ? આત્માથી પુણ્ય-પાપ, રાગાદિ બહાર છે એમ કહો છો). બહાર છે તેને વળી આત્માના બંધના કારણ (કહો છો તો તે છે કોનો ? તે વિકાર છે કોનો ? અને કેવી રીતે ઉત્પન્ન થયો છે ? આહા..હા...! આ શ્લોકની મોટી તકરાર છે. ૧૭૫ (શ્લોક).
(૩૫નાતિ)
न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककान्तः । तस्मिन्निमित्तं परसङ्ग एव વસ્તુસ્વમાવોયમુતિ તાવત્ ારૂ-૨૭૫TI
ખંડાન્વય સહિત અર્થ :- તાવ કયમ્ વસ્તુસ્વાવ: તિર (તાવ) પ્રશ્ન કર્યો હતો તેનો ઉત્તર આમ છે – (ત્રયમ્ વસ્તુસ્વમવ:) આ વસ્તુનું સ્વરૂપ (૩તિ) સર્વ કાળે પ્રગટ છે. કેવો છે વસ્તુનો સ્વભાવ ? ના ચાત્મા ગાત્મનઃ રતિનિમિત્તમવિમ્ ન યાતિ’ (નાતુ) કોઈપણ કાળે (માત્મા) જીવદ્રવ્ય (ાત્મનઃ રવિનિમિત્તાવ) પોતાસંબંધી છે જે રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણપણારૂપ ન યાતિ) પરિણમતું નથી. ભાવાર્થ આમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે : એક ઉપાદાનકારણ છે, એક નિમિત્તકારણ છે. ઉપાદાનકારણ એટલે દ્રવ્યમાં અન્તર્ગર્ભિત છે પોતાના પરિણામ-પર્યાયરૂપ