________________
૩૩૮
કલશામૃત ભાગ-૫
વેદવામાં (આવે છે એમ) કહેવામાં આવે છે. આહા..હા...! અને જો એ વેદન ન હોય તો તો પૂર્ણ આનંદનું વેદન જોઈએ. સાધકને પૂર્ણ આનંદ તો નથી ત્યારે એનો અર્થ એ થયો કે, કંઈક આનંદ પણ છે અને કંઈક દુ:ખ પણ છે. એ રાગ આદિ દુઃખ છે. આહા..હા...! આવું છે. કેટલા પડખાં યાદ રાખવા આમાં ? માર્ગ એવો છે, બાપુ ! આહા....હા...!
મુમુક્ષુ :- ‘સમયસાર'માં તો એમ આવે છે કે, બળજોરીથી આવી પડે છે.
ઉત્તર :- બળજબરી નહિ, પોતાના પુરુષાર્થની કમીથી આવે છે. બળજબરી કહ્યું છે એનો અર્થ ઈ કે, વિકારનો પુરુષાર્થ છે એનું નામ બળજોરી. આહા..હા...! તે તે વિકાર તે તે ક્ષણે, તે તે ઉત્પત્તિનો કાળ છે, જન્મક્ષણ છે. એ પોતાને કારણે. ૫૨ને શું છે ? ૫૨ અડતું નથી ત્યાં પરને શું ? પ૨ તો બહાર લોટે છે. આવે છે ને ગાથા ? ‘હિરલોટન્તિ” ! એક દ્રવ્યની બહાર (બીજું) દ્રવ્ય બાહ્ય લોયંતિ. સ્પર્શતું નથી - અડતું નથી. આહા..હા...! નિમિત્ત કહેવામાં આવે એ તો જ્ઞાન કરાવવામાં માટે બીજી ચીજ છે. એનાથી આમાં કાંઈ થાય છે એમ જરીયે નથી. આહા..હા...! એ કહ્યું ને ? કે, નિમિત્તભાવ શુદ્ધ ઉપાદાન પોતે થતો નથી, પણ કર્મ નિમિત્ત થાય છે એમ કીધું. તો એનો અર્થ શું થયો ? કર્મ નિમિત્ત થાય છે એટલે ? કર્મ ચીજ છે તેનો એ સંગ કરે છે એટલે અશુદ્ધ ઉપાદાન અહીં થાય છે ત્યારે પેલાને નિમિત્ત કહેવામાં આવે છે. આહા..હા...! આવું સ્વરૂપ છે.
મુમુક્ષુ :- ઉપાદાન-નિમિત્તની ચોખવટ વધારે...
ઉત્તર ઃ- આ વધારે ચાલે છે ને, જુઓને ! શુદ્ધ ઉપાદાન તરીકે કરતો નથી. અશુદ્ધ ઉપાદાન તો પર્યાય થઈ એ તો. શુદ્ધ ઉપાદાન દ્રવ્ય ત્રિકાળ થયું. એ રીતે શુદ્ધ ઉપાદાન તરીકે આત્મા વિકારનું કારણ નથી પણ અશુદ્ધ ઉપાદાન એટલે તો પર્યાય થઈ. પર્યાયમાં ૫૨નો સંગ કરે છે માટે વિકારનો કર્તા-ભોક્તા થાય છે. કર્તવ્ય તરીકે ભોગવવા લાયક છે માટે (કર્તા છે) એમ નહિ પણ એનું પરિણમન છે માટે (કર્તા છે). પરિણમે તે કર્તા એમ લઈને ત્યાં કર્તા કહેવામાં આવે છે. આવું છે. અહીં તો વીતરાગનો માર્ગ છે, પ્રભુ ! આ આખી શ્રદ્ધા અને પ્રરૂપણામાં બહુ ફેર પડી ગયો છે. વર્તન તો ભલે ઓછું-વત્તું કાચું હોય પણ મૂળ શ્રદ્ધા અને પ્રરૂપણામાં ફેર પડી ગયો. આ..હા...!
મુમુક્ષુ :- પ્રરૂપણા તો શ્રદ્ધા હોય એવી જ થાય ને !
ઉત્તર :– હા, આમ તો શાસ્ત્રમાં એમ કહે છે કે, અંતર હોય ચોથે ગુણસ્થાને સમ્યક્દષ્ટિ અને બાહ્ય ક્રિયા હોય મુનિની. તો એને પણ દ્રવ્યલિંગી કહેવાય. દ્રવ્યલિંગીના પ્રકાર છે. મિથ્યાદષ્ટિ હોય અને પંચ મહાવ્રત, નગ્નપણા આદિની મુનિની ક્રિયા બરાબર ચોખ્ખી (પાળતો હોય) તો એ પણ દ્રવ્યલિંગી (છે). સમ્યગ્દર્શન હોય, છઠ્ઠું ગુણસ્થાન ન હોય અને છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયા હોય. ‘રાજવાર્તિક’માં છે. ‘રાજવાર્તિક'માં દ્રવ્યલિંગની વ્યાખ્યા છે. સમજાણું કાંઈ ? એને પણ દ્રવ્યલિંગી કહેવાય પણ એની પ્રરૂપણા, શ્રદ્ધા બરાબર હોય. વિકાર છે