________________
કળશ- ૧૭૬
માગશર વદ ૨, મંગળવાર તા. ૨૭-૧૨-૧૯૭૭. કળશ-૧૭૬ પ્રવચન-૧૮૬
इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः । रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः । ।१४-१७६ । ।
૩૨૯
‘સમ્યગ્દષ્ટિ જીવ...’ શું કહે છે ? પહેલામાં એમ આવી ગયું હતું કે, વિકારનો કર્તા આત્મા શુદ્ધ ઉપાદાન તરીકે નથી. નિમિત્ત શબ્દ હતો પણ ત્યાં ઉપાદાન લેવું. નિમિત્ત શબ્દ છે ને ? ને નાતુ વિનિમિત્તમાવ’ ૧૭૫ (શ્લોક). એ નિમિત્તભાવનો અર્થ ત્યાં ઉપાદાન લેવું. આત્મા શુદ્ધ ઉપાદાન તરીકે વિકારનું કારણ નથી. સમજાય છે કાંઈ ? સંસ્કૃતમાં લીધું છે, સંસ્કૃત. ત્યાં નિમિત્તનો અર્થ ઉપાદાન કર્યો છે. છે ને, એ કારણ છે ને ? શું કહ્યું ઈં ?
આત્મા જે શુદ્ધ ચૈતન્ય છે, પવિત્ર છે એનું શુદ્ધ ઉપાદાન તો પવિત્ર છે. તે શુદ્ધ ઉપાદાન વિકારનું કારણ ન થાય. નિમિત્તનો અર્થ ત્યાં ઉપાદાન લેવો છે. એ ઉ૫૨થી કહે છે ને ? કે, આત્મા નિમિત્ત નથી, કર્મને નિમિત્તે વિકાર થાય. એમ કરીને એનો (લોકો) અર્થ કરે છે. પણ એમ નથી. અહીંયાં તો આત્મા શુદ્ધ ચૈતન્યવસ્તુ છે, વિકૃત પર્યાય અને વિકૃત વિનાની ચીજ (છે), એ ચીજ છે તેને અહીં નિમિત્તે કીધું છે. નિમિત્ત એટલે કારણ, ઉપાદાન કારણ.
શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકભાવ ધ્રુવ ! એ કોઈ વિકારનું મૂળ શુદ્ધ ઉપાદાન કારણ નથી. સમજાય છે કાંઈ ? એમાં અર્થની મોટી ગડબડ છે. પરસંÇ’માં પણ ગડબડ છે અને આ અર્થમાં પણ ગડબડ છે. ૫૨સંગમાં પણ એમ કહે છે કે, ૫૨ને લઈને વિકાર) થાય. એ કાલે આપણે આવી ગયું છે. એમ નથી. એનો અર્થ એ છે કે... તેથી કહે છે ને ? “કૃતિ વસ્તુસ્વભાવ સ્વ જ્ઞાની નાનાતિ” એનો સરવાળો અહીં ૧૭૬(માં) છે.
વસ્તુસ્વભાવ ચૈતન્યમૂર્તિ શુદ્ધ ચૈતન્ય આનંદઘન એ વસ્તુ છે, એ વસ્તુનો સ્વભાવ છે. એ ‘વસ્તુત્વમાનું સ્વ” (એટલે) પોતે જ્ઞાની નાનાતિ” પોતે જ્ઞાનથી જાણે છે (કે) આ શુદ્ધ ચૈતન્ય છે. જેની જ્ઞાનની પર્યાયનો શુદ્ધ ચૈતન્ય તે જ્ઞેય છે. ધર્મીની જ્ઞાનપર્યાયનો શેય શુદ્ધ ચૈતન્ય છે. તેથી જ્ઞાની શુદ્ધ ચૈતન્યને જાણતો થકો... આહા..હા..! અજ્ઞાની શુદ્ધ ચૈતન્યને જાણતો નથી. તેથી શુદ્ધ ચૈતન્ય છે એ એને નિમિત્તકા૨ણ એટલે વિકારનું કારણ કહ્યું નથી.