________________
૩૩૪
કલામૃત ભાગ-૫
પ્રશ્ન :- બન્નેને સાથે જાણે શું વાંધો ?
સમાધાન :- જાણે પણ કઈ રીતે બન્નેને જાણે ? જાણે કહ્યું. પણ કઈ રીતે ? પોતાના આનંદના સ્વાદ સાથે પોતાને જાણે અને પ૨ને આશ્રયે થયેલો રાગ છે એને જ્ઞાતા તરીકે ૫૨ તરીકે જાણે. ૫૨ તરીકે જાણે અને સ્વાદ અનુભવને સ્વ તરીકે જાણે. વાત તો જેમ છે એમ હોય ને, બાપુ ! કઠણ પડે અને સમાજને ન સમજાય માટે કંઈ બીજી ચીજ થઈ જાય ? વસ્તુ તો આ છે. ભલે પંડિતો ન માને એથી શું કરીએ ? બાપુ ! વસ્તુ કંઈ ફરી જાય એવી છે ? ભગવાન આનંદનો નાથ ! આહા..હા...! સ્વં” શબ્દ ઉ૫૨ આ વ્યાખ્યા ચાલી. ‘સ્પં’પોતાનું શુદ્ધ ચૈતન્ય...’ તેને આસ્વાદે છે. જોયું ? ૫૨ શુદ્ધ છે એને આસ્વાદતો હોય નહિ. એનું લક્ષ કરે તો રાગ થાય.
આહા..હા...! શું વાણી છે ને ! મુનિઓની વાણી તો જુઓ ! વીતરાગી વાણી છે! આહા..હા..! આ શાંતિના કામ છે, બાપા ! આ ઉતાવળે આંબા પાકે એવું નથી. આ તો ધીરજથી... ધીરજથી... આહા..હા...! ધ્રુવને ધ્યેય બનાવીને ધીરજથી ધખતી ધૂણી ધખાવવી. આવી ગયા છે ને એ શબ્દો ? એ આસ્વાદ. આહા..હા...! ‘આત્મધર્મ'માં આવી ગયું છે, હિન્દીમાં આવી ગયું છે, ગુજરાતીમાં આવી ગયું છે. તે૨ બોલ છે. ધીરજથી ધ્રુવને ધ્યેયમાં લઈ ધખતી ધખતી ધૂણી અંદર વેદનની પકાવે. શાંતિ... શાંતિ... શાંતિ... શાંતિ... શાંતિના રસનો સ્વાદ લેવો. આ..હા..હા...! એ તો પર્યાયમાં છે. વસ્તુનો કંઈ સ્વાદ નથી. સમજાણું ?
એ તો અલિંગગ્રહણના વીસમાં બોલમાં વાત થઈ. પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે દ્રવ્યસામાન્ય તેને નહિ આલિંગિત કરતો આત્મા, તેને નહિ આલિંગન કરતો આત્મા શુદ્ધ પર્યાય છે. વીસમાં બોલમાં એમ કહ્યું. શું કહ્યું ઈ ? કે, પ્રત્યભિજ્ઞાનનું કારણ જે પહેલો હતો તે આ છે, તે આ છે એવું જે ધ્રુવ પ્રત્યભિજ્ઞાનનું કારણ, એવું જે દ્રવ્ય એને આત્મા નહિ સ્પર્શતો, તેને આત્મા નહિ આલિંગન કરતો. આત્મા દ્રવ્યને નહિ આલિંગન કરતો... આહા..હા...! શુદ્ધ પર્યાયસ્વરૂપ આત્મા છે. એ વેદનમાં આવ્યો એ આત્મા છે, (એમ) કહે છે. આહા..હા...! વેદનમાં ધ્રુવ નથી આવતું. સમજાણું કાંઈ ? ત્યાં વીસમા (બોલમાં) તો આત્માનો શુદ્ધ પર્યાય છે એમ લખ્યું છે. એટલે કે આત્મા વેદનમાં ધ્રુવને સ્પર્શતો નથી.
પહેલી વાત તો એમ થઈ ગઈ કે, ધ્રુવ છે તે પર્યાયને સ્પર્શતો નથી. આહા..હા...! પછી કહ્યું કે, પર્યાય છે તે પોતાના ધ્રુવને સ્પર્શતું નથી. કેમકે વેદનમાં તો પર્યાય આવે છે અને વેદનમાં ધ્રુવ આવતો નથી. ધ્રુવનું જ્ઞાન આવે પણ ધ્રુવનું વેદન ન હોય. તેથી આનંદનું વેદન જેની મહોરછાપ છે તે આત્મા પર્યાય છે. તે આત્મા પર્યાય છે, બસ ! આહા..હા...! સમજાણું કાંઈ ? ઝીણું બહુ, ભગવાન ! માર્ગ એવો છે.
મુમુક્ષુ :- અબાધ્ય અનુભવ જે રહે...
ઉત્તર :– હા, એ તો વળી જુદું. એ તો એમાંથી કાઢી નાખતાં નાખતાં.. પણ અહીં
—