________________
૩૨૪
કલશામૃત ભાગ-૫
મંદતામાં વસે એને અપવાસ કહીએ. આહા..હા...! સમજાણું કાંઈ ? આ વર્ષીતપ કરે છે ને ?
તે સમસ્ત પરિણામ હેય છે. આવ્યું ત્યાં ? જીવદ્રવ્ય સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપ નથી, તોપણ મોહકર્મનો ઉદય હોતાં..' હવે, આમાં જરી (વાંધા પાડે છે). મોહકર્મનો ઉદય જડમાં હોતાં જીવ પોતાની પર્યાયથી વિકા૨પણે પરિણમે છે. શબ્દ આવો છે કે, મોહકર્મનો ઉદય હોતાં...’ છે ? શું કીધું ? જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છે...’ કર્મનો ઉદય હોતાં આમ ભાષા (છે). જીવદ્રવ્ય પોતાના વિભાવપરિણામરૂપે પરિણમે છે...’ એટલે ? કર્મનો ઉદય હોતાં વિભાવપણે પરિણમે છે (એનો અર્થ એમ નથી કે) ઉદય થયો માટે વિભાવપણે પરિણમ્યો. સમજાણું કાંઈ ? પણ અહીં પરિણમવાની યોગ્યતા છે તેને કર્મનો ઉદય છે ત્યારે અહીં વિભાવપણે પોતાથી પરિણમે છે એમ લેવું. પણ એનો અર્થ એવો નથી કે, કર્મનો ઉદય હોતાં આત્મા વિભાવપણે પરિણમે જ. ત્યારે જ એને ઉદય કહેવામાં આવે. નહીંતર તો સ્વભાવસન્મુખ થાય તો એ ઉદય ખરી જાય છે. ત્યારે ઉદય કહેવામાં આવે (છે). આહા..હા...! સમજાણું કાંઈ ? ઝીણું તો ઘણું આવ્યું, ભાઈ ! માર્ગ એવો છે, બાપુ !
—
આહા..હા...! અનંત... અનંત... અનંત... જ્ઞાનની અપેક્ષાના સ્વભાવથી ભરેલો છે. આહા..હા...! જેના એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોક જણાય એવી અનંતી પર્યાયનો પિંડ તો એક જ્ઞાનગુણ છે. આ..હા..હા...! એવા અનંત ગુણનો પિંડ તો પ્રભુ એક દ્રવ્ય છે. આ..હા...!
અહીંયાં તો એમ સિદ્ધ કરવું છે – બે વાત (લીધી) કે, આત્મા પોતે સદાય પ્રગટમાન ઉદયમાન છે. એ કોઈ વિકારનું કારણ નથી. ત્યારે કહે છે, વિકાર છે તો ખરો. એનું કા૨ણ કોણ ? કે, એનું કારણ તું – તારી પર્યાય, દ્રવ્ય-ગુણ નહિ. પર્યાયની યોગ્યતાને કા૨ણે વિકા૨ થાય, કર્મ તેમાં નિમિત્ત કહેવાય છે. આહા..હા...! છે ?
મુમુક્ષુ :– બન્ને મળે તો પરિણમે.
ઉત્તર ઃએમ નથી. પરિણમે તો બે મળ્યા એમ કહેવામાં આવે. ઉદય આવ્યો અને પરિણમે નહિ તો થઈ રહ્યું, (કર્મનો ઉદય) છૂટી જાય છે. ઝીણી વાત છે ને ? ભાષા એવી
છે.
અહીં સિદ્ધ ઈં કરવું છે કે, અહીં વિભાવરૂપે પરિણમે છે ત્યારે ત્યાં કર્મનો ઉદય છે. બસ, એટલું સિદ્ધ કરવું છે. પણ ભાષા એમ લીધી કે, મોહકર્મનો ઉદય હોત.... વિભાવપરિણામરૂપે પરિણમે છે.’ આમ લીધું. સમજાણું કાંઈ ? એમ કહેવાનો આશય શું ? કે, વિભાવ પોતાના સ્વભાવના આશ્રયે થતો નથી. વિભાવ પોતાના સ્વભાવના આશ્રયે થતો નથી. મોહકર્મનો ઉદય હોતાં વિભાવરૂપે પરિણમે છે એમ કહ્યું પણ એનો અર્થ એવો નથી