________________
૩૨૨
કલશામૃત ભાગ-૫ (એના ટૂકડા આત્માથી થાય) ? તો કહે, ના, એ આંગળી તણખલાને અડી જ નથી અને એના બે કટકા થયા છે એમાં આત્માની ઇચ્છા થઈ માટે થયા જ નથી. આવી વાતું છે. ઈ વસ્તુનું સ્વરૂપ જ એવું છે, પ્રભુ ! ઈ ચમત્કારિક દ્રવ્ય છે. કોઈ પરમાણુ કહો, આત્મા કહો, છ દ્રવ્ય કહો વસ્તુસ્થિતિ એવી છે. આ તો લોકોમાં ન ચાલતું હોય એટલે એને નવું લાગે. બાકી નવું કંઈ છે નહિ. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. આહાહા...!
એ તો કહ્યું નહોતું ? આ ઠવણીના આધારે પુસ્તક રહ્યું જ નથી. ઠવણીના આધારે પુસ્તક રહ્યું નથી. કેમકે એ પરમાણુમાં દરેકમાં આધાર નામની શક્તિ છે. એક એક પરમાણુમાં આધાર નામની શક્તિ છે. એમ આત્મામાં પણ આધાર નામનો એક ગુણ છે પણ ઈ જે આધારગુણ છે એ નિર્મળપણે પરિણમે તેને ગુણ કહેવામાં આવે છે. વિકારપણે પરિણમે ઈ તો એનું લક્ષ પર્યાયમાં જાય છે. ગુણ પોતે આધાર છે એ વિકારપણે પરિણમે એ ગુણનો સ્વભાવ નથી. આહાહા...! એ વિકારપણાની પર્યાય થવામાં એની પર્યાયની યોગ્યતા તે સમયની તેની દ્રવ્ય-ગુણની અપેક્ષા રાખ્યા વિના (થાય છે). સમ્યગ્દર્શનની પર્યાય થાય એ પણ ખરેખર નિશ્ચયથી તો દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા જેમાં નથી. આહા..હા..! કર્મના અભાવની જેમાં અપેક્ષા નથી. એ જી સમ્યગ્દર્શનની પર્યાય (થાય), એ પર્યાયમાં ષષ્કારકની શક્તિ પોતામાં પડી છે. જે સમ્યગ્દર્શનની પર્યાય (થઈ) ઈ પર્યાય પોતે કર્તા (છે), દ્રવ્ય-ગુણ નહિ. એ સમ્યગ્દર્શનની પર્યાય પોતે કાર્ય - કર્મ (છે), દ્રવ્ય-ગુણ નહિ. કર્મ તો નહિ, કર્મનો અભાવ (થયો) માટે સમ્યગ્દર્શનનું કાર્ય થયું એ તો નહિ. આહા..હા..! સમજાણું કાંઈ ? આવી વાતું છે.
પ્રશ્ન :- પર્યાયમાં સુધાર પણ કેવી રીતે થાય ?
સમાધાન :- આ દ્રવ્યનો આશ્રય કરે એટલે એનું લક્ષ કરે તો સુધરે. એનો અર્થ દ્રવ્યથી સુધરતું નથી પણ પર્યાય પરનું લક્ષ છોડીને અહીં જાય તો એ પર્યાય પોતાથી સુધરી જાય છે. આહા...હા...!
મુમુક્ષુ – સુધરે પોતાથી પણ લક્ષ દ્રવ્યનું.
ઉત્તર :- આશ્રય કીધો ને ? આશ્રય લે છે). દ્રવ્ય-આશ્રય કીધું ને? “મૂલ્યસિલો નુ સમ્માદિ દ્રિ નીવ' (પર્યાય) આશ્રય (લ્યું છે) છતાં પણ એ સમકિત દ્રવ્યને અડતું નથી. આવો માર્ગ છે, ભાઈ ! બહુ ઝીણો માર્ગ, પ્રભુનો એવો માર્ગ છે. વીતરાગ સિવાય એ વાત ક્યાંય છે નહિ). સમય સમયની સ્વતંત્રતા ! બીજાને અડ્યા વિના (કાર્ય થાય), આવી ચીજ ક્યાં છે ? ભાઈ ! આહાહા..! પેલા તો કહે, ઈશ્વર જગતનો કર્તા છે. અરે..! બધું ઊંધું છે !
અહીં તો કહે છે), પર્યાયનો કર્તા દ્રવ્ય પણ નહિ. આહા..હા.! પર તો નહિ પણ દ્રવ્ય-ગુણ પણ પર્યાયનો કર્તા નહિ ને ! દ્રવ્ય-ગુણ કર્તા અને પર્યાય કર્મ, એ પણ ઉપચારથી