________________
કળશ-૧૬૭
ઉત્તર :– બિલકુલ થાતું નથી, એનાથી થાતું નથી. રાગ તે વિકૃત છે એને પણ (નાનાતિ). સમ્યષ્ટિ (નાનાતિ). એને કરે છે, એના છે એમ નહિ. આહા..હા...! સમજાણું કાંઈ ? એ તો (નાનાતિ). છએ દ્રવ્ય, એના ગુણો, એની પર્યાય, પોતાનું દ્રવ્ય, એના ગુણ, એની પર્યાય... આહા..હા...! જેને જાણે છે ઈ પર્યાયની તાકાત કેટલી !! એ પર્યાય અક્ષય અને અમેય છે. આ..હા..હા...! એની પ્રતીતિ જે છે એ પણ અક્ષય અને અમેય છે. એણે કેટલાની પ્રતીતિ કરી !! આ..હા..હા...! જેનું માપ નથી એટલા અનંતા ગુણો ! એક (દ્રવ્ય) એવા અનંતા દ્રવ્યો અને એના દરેકના પાછા અનંતગુણા ગુણો ! આ..હા..હા...! એને સમ્યક્દષ્ટિ જીવ સમ્યજ્ઞાનમાં... આ..હા...! જાણે છે. ઝીણી વાત છે, પ્રભુ ! માર્ગ એવો છે. વીતરાગનો માર્ગ (આવે છે), આવી વાત બીજે ક્યાંય છે નહિ. આહા..હા..! અને જ્યાં છે એને પણ ખબરું ન મળે અને બહારથી આ વ્રત કરો ને અપવાસ કરો ને ભક્તિ કરો ને જાત્રા કરો, એમાંથી કલ્યાણ (થઈ જશે). પ્રભુ ! બહુ ઊંધાઈ થઈ ગઈ.
તારો જ્ઞાનનો પર્યાય અમાપ ગુણને જાણે, એને રાગથી લાભ થાય ! આહા..હા...! જેની પર્યાયમાં અનંતા ગુણો (કે) જેનું માપ નથી એનો પર્યાયમાં લાભ થયો છે. લાભ એટલે એનું જ્ઞાન. આહા..હા...! સમજાણું કાંઈ ? એમાં ગુણ આવ્યા નથી પણ ગુણનો લાભ એટલે જેટલી શક્તિની તાકાત છે એટલું આમાં જ્ઞાન આવી ગયું. આહા..હા...! એવી જ્ઞાનની પર્યાયની આગળ, એને એમ કહેવું કે, રાગ છે તેનાથી તે નિશ્ચય થશે, પ્રભુ ! મોટી વિપરીત વાત છે, ભાઈ ! આહા..હા...!
અપરિમિત ગુણને દ્રવ્યના જે પર્યાયે જાણ્યા એવી જાણવાની પર્યાયને, રાગની પર્યાયથી તે જાણવાની પર્યાય પ્રગટે (એમ માનવું તે મોટી વિપરીતતા છે). આહા..હા...! એનાથી તો ન પ્રગટે પણ અનંત ગુણ અને દ્રવ્ય છે એનાથી એની જાણવાની પર્યાય પ્રગટી નથી. આહા..હા...! પોતાની તાકાતથી પ્રગટી છે. જ્યારે અનંતા ગુણોને જાણે એ ગુણથી પણ એ પર્યાય થઈ નથી તો રાગ તો અલ્પ વિકૃત અવસ્થા (છે). આહા..હા...! દયા, દાન ને વ્રત ને ભક્તિ ને પૂજાનો ભાવ તો વિકલ્પ, રાગ, અલ્પ અવસ્થા છે. આહા..હા...! એનાથી જ્ઞાનની નિશ્ચયપર્યાય પ્રગટે (એમ માનવું એમાં તો) પ્રભુ ! ઘણો ફેર છે, મોટો ફેર છે. આહા..હા...! શ્રદ્ધામાં મોટું શલ્ય છે. આહા..હા...! સમજાણું કાંઈ ? અહીં તો સમજાય એટલું સમજવું, બાકી એનો પાર ન મળે, બાપા ! આહા..હા...! એની ગંભીરતા, એની ઊંડાઈ...
આ..હા..હા...!
૧૯૯
(નાનાતિ) એનો અર્થ કે શુદ્ધ સ્વરૂપને અનુભવે છે...’ આહા..હા...! તે સમ્યગ્દષ્ટિ જીવ કર્મની ઉદયસામગ્રીમાં અભિલાષા કરતો નથી;...' જોયું ? ભાષા શું કહે છે ? જેની પર્યાયમાં પોતાને જાણવું પ્રગટ્યું... આહા..હા...! એ જાણનારો સમિકતી કોઈ રાગની કે કોઈ ચીજની અભિલાષા કરતો નથી. અનંતો અનંતો ગુણ અને અનંતો દિરયો ભર્યો (છે) એવા