________________
કળશ-૧૬૮
૨૧૩
મિથ્યાત્વ ભાવ છે). ઝીણી વાતું બહુ, બાપુ ! આકરું કામ, ભાઈ !
વીતરાગ જિનેન્દ્રદેવ પરમેશ્વર કેવળી તીર્થંકરદેવનો આ હુકમ છે ! આ..હા...હા...! કે, પરને હું જીવાડી શકું, મારી શકું, સગવડતા દઈ શકું, સગવડતા પ્રતિકૂળ દઉં, અનુકૂળ દઉં એ પ્રાણી પોતાના સ્વરૂપનો ઘાત કરનાર છે. ઈ (વાત) પછીના શ્લોકમાં આવશે. ‘૩માત્માનો મવન્તિ’ આ.હા..હા...હા...! પરદ્રવ્યને પરદ્રવ્યનો સંયોગ થવો કે ન થવો એ તો એના પુણ્યપાપને આધીન છે. એને ઠેકાણે આ કહે કે, હું અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ આપી શકું છું ! આહા...હા...!
આ પરને જીવાડી શકું છું એટલે ઈ જીવતો રહેશે તો બીજાને મારશે માટે પાપ થશે એમ નહિ. એને જીવાડી શકું છું એનું આયુષ્ય છે અને જીવે છે. એને ઠેકાણે આ માને છે કે, હું જીવાડી શકું છું એ અજ્ઞાનની માન્યતા છે. આહાહા....
મુમુક્ષુ :- આયુષ્ય છે માટે જીવે છે.
ઉત્તર :- પણ અહીં તો એ સિદ્ધ કરવું છે, અહીં તો એ સિદ્ધ કરવું છે. એના સંયોગમાં કર્મનું કારણ – નિમિત્તપણું છે. એના સંયોગમાં દેનારનું નિમિત્તપણું નથી એટલું સિદ્ધ કરવું છે. આ..હા...હા....! સમજાણું કાંઈ ? ઈ હમણાં કહેશે.
સદા, સર્વદા. ત્રણે કાળ અને સર્વ જીવોને – એ બે શબ્દ પડ્યા છે. હમણાં હેઠે આવશે. આમાં પહેલો આવ્યો હતો, જુઓ ! “સર્વ સર્વેવ પહેલો શબ્દ હતો. “સર્વ નવ નિયત મવતિ વીય- યા' આહા...હા...! એને નિમિત્તપણું કર્મ છે ઈ સિદ્ધ કરવું છે પણ આ કહે કે, મેં દીધું માટે હું એનો દેનાર કારણ (છું), એ જૂઠી વાત છે. આહાહા..! સ્ત્રીનું રક્ષણ કરી શકું છું, એને રોગ છે તો સારી દવા આપી શકું તેથી જીવતી રહે એવી જે માન્યતા એ તદ્દન અજ્ઞાન અને મિથ્યાત્વની છે. એને જીવતર તો એનું આયુષ્ય હોય તો રહે અને ન હોય તો મરી જાય. આહા..હા..! એ પણ એના આયુષ્યના ક્ષયે મરે છે. બીજો કહે કે, હું અને મારી શકું એ તદ્દન મિથ્યાત્વ ભાવ છે. આ તો સંસાર સાથે બધા વાંધા ઊઠે એવા છે ! આહાહા...! છોકરાઓ નાના છે માટે એને પાળીપોષીને મોટા કરું પછી આપણે નિવૃત્તિ લઈશું – એ તદ્દન મિથ્યાત્વ ભાવ છે. આહા..હા...! કોણ પાળે ? અને કોણ પોષે ? આવું કામ છે.
મુમુક્ષુ :- લોકવ્યવસ્થાનો લોપ થઈ જશે.
ઉત્તર :- લોકવ્યવસ્થા જ આ રીતે સૌના કર્મને લઈને ચાલે છે. એને ઠેકાણે આ કહે કે, મારે લઈને આ બધી વ્યવસ્થા ચાલે છે ! કામ એવું આકરું (છે), બાપુ ! વસ્તુનું
સ્વરૂપ જ એવું છે. ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે આમ કહેતા હતા. આહાહા..! એ વાત આ છે. આહા..હા..!
ભાવાર્થ આમ છે કે અજ્ઞાની મનુષ્યોમાં એવી કહેણી છે.” જુઓ ! છે ? “અજ્ઞાની