________________
કળશ-૧૭૩
અંદરમાં સ્થિરતા કેમ ન કરે ? એમ કહે છે. ઝીણી વાત તો છે, પ્રભુ ! આહા..હા...! બહારની ભક્તિ, પૂજા, વ્રત આદિના ભાવ એ બધો રાગ છે, એમ કહે છે. એ વૃત્તિનું ઉત્થાન થાય છે) વૃત્તિ ઊઠે છે. એ વસ્તુનું સ્વરૂપ નથી. આહા..હા...! અંદરમાં જે આત્મા આનંદનો નાથ પ્રભુ બિરાજે છે) એનું જેને જ્ઞાન થયું. આહા..હા...! એ ‘સ્થિરતારૂપ સુખ...' દેખો ! ભાષા શું છે ? અતીન્દ્રિય સુખસ્વરૂપ પ્રભુ છે. એવું જેને જ્ઞાન થયું એ અંદર સુખમાં સ્થિરતા કેમ ન કરે ? એમ કહે છે. આહા..હા...!
આ (અજ્ઞાની જીવ) પુણ્ય અને પાપના ભાવમાં અનાદિથી સ્થિરતા કરે છે. આહા..હા...! પૈસા મારા, બાયડી મારી, છોકરા મારા, કુટુંબ મારું. મરી ગયો, ઈ તારા ક્યાં હતા ? ઈ તો જુદી ચીજ છે. એની મમતામાં જેમ સ્થિર થઈને દૃઢ થઈ ગયો છે... આ..હા..હા...! અરે..! ભૂલી ગયો, ભૂલી આખો ! આહા..હા...! અરે..! એની સ્થિરતામાં જેમ દૃઢતા હતી (કે), એ હું છું, સ્ત્રી હું, કુટુંબ હું, પૈસા હું, આબરુ, પૈસા બધા મારા – એવી મમતામાં જે દૃઢપણે સ્થિર હતો એ મૂઢ ચોરાશીના અવતારમાં રખડતો હતો. આહા..હા...!
હવે, કહે છે કે, જેને આ આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે, પવિત્રતાનો પિંડ છે, અતીન્દ્રિય આનંદનો સાગર છે... આહા..હા...! દરિયો હોય ને ? પાણીનો ભરેલો મોટો દિરયો ! એને કાંઠે ચાર હાથ કપડું આડું હોય તો માણસની નજર ઈ કપડા ઉપર જશે. કારણ કે પોતે ચાર હાથનો ઊંચો અને ત્યાં કપડું પણ ચાર હાથનું હોય એટલે એને) આખો દરિયો નહિ દેખાય. સમજાય છે કાંઈ ? એમ... એ તો દૃષ્ટાંત છે. એમ જેને અંદરમાં પુણ્ય અને પાપના ભાવના રાગની જેણે આડ મારી છે, એ પાપના ભાવ અને પુણ્યના ભાવની રુચિમાં પડ્યો છે, એની આડમાં અંદર ભગવાન આનંદનો નાથ ઝળહળ જ્યોતિ ચૈતન્યસાગર (બિરાજે છે ઈ) એની નજરમાં એક આવતો નથી. સમજાણું કાંઈ ? આવી વાતું છે, બાપા ! આહા..હા...! શરીર મારું, પુણ્ય મારા, પાપ મારા એવી માન્યતાની આડમાં ભગવાન અંદર દિરયો છે, અંદ૨ આનંદનો સાગર છે એ એને નજરમાં નથી આવતો. આહા..હા...! પણ જેણે એ નજરમાં લીધો. એમ કહે છે, સમજાણું કાંઈ ? આહા..હા...! વાતું આવી છે, બાપા !
આહા..હા...!
અંતર વસ્તુ આત્મા...! દેહ છૂટે ત્યારે માણસ કહે છે ને ? એ.. જીવ નીકળી ગયો ! દેહ છૂટે (ત્યારે) જીવ નીકળી ગયો એમ કીધું ને ? કે, જીવ મરી ગયો (એમ કહે છે) ? જીવ મરે ? આત્મા કહો કે જીવ કહો, એ તો અનાદિઅનંત શાશ્વત વસ્તુ છે. એ મરે નહિ, જન્મે નહિ. શરીરનો સંયોગ થાય ત્યારે અજ્ઞાની એમ કહે કે, આ જન્મ્યો, શરીરનો વિયોગ થાય ત્યારે કહે કે, મરી ગયો. એ તો શરીનો સંયોગ અને વિયોગ થયો. આત્મા તો અનાદિઅનંત નિત્ય શાશ્વત વસ્તુ છે. આહા..હા..! એવી ચીજનું જેને અંત૨માં અનુભવમાં ભાન થઈને મહિમા આવી... આ..હા..હા...! એને બહારના બધા પદાર્થોની મહિમા ઊડી
-
૨૬૩