________________
કળશ-૧૭૩
૨૮૧ છે. આહા..હા..! સમ્યગ્દર્શનને કાળે શુદ્ધ ઉપયોગ હોય છે. એ શુભ રાગ છે એ પણ હેય (છે), અશુભ – પાપ તો હેય જ છે, શુભ છોડવા લાયક છે તો વળી પાપ આદરવા લાયક (છે) એમ કોઈ દિ હોય ? આ..હા...! પાપનો ભાવ તો છોડવા લાયક, છોડવા લાયક, છોડવા લાયક છે), પણ પુણ્યનો – દયા, દાન, વ્રતનો ભાવ પણ સમ્યક્દષ્ટિને શ્રદ્ધામાંથી છોડવા લાયક છે. ભાઈ ! આવું છે. દુનિયામાં બધું જાણ્યું છે ને ! બાપુ ! બધી દુનિયા કેમ ચાલે છે ખબર છે). આહા...હા...! સંપ્રદાયમાં તો એ જ વાત ચાલે, આટલા અપવાસ કર્યા, આણે આઠ કર્યા, આ શેઠિયાની વહુ, એણે વર્ષીતપ કર્યા, એનું ઉજવણું કરો, દસવીસ હજાર ખર્ચો... એ... ધર્મ થાય ! ધૂળેય નથી હવે, મરી ગયા માળા ! ભાઈ ! બૈરાએ કોઈ દિ વર્ષીતપ કર્યા કે નહિ ? કર્યું હતું? કર્યું હશે. જે કહ્યું હોય, સાંભળ્યું હોય છે કર્યું હોય.
મુમુક્ષુ – સ્વ અને પરનો ભેદ ન સમજાયો. ઉત્તર :- વાત તો સાચી છે. વાત તો સાચી, બાપા ! શું કરીએ ? આહા...હા...!
અહીંયાં તો પરમાત્મા ત્રિલોકનાથ એમ ફરમાવે છે), આહા...હા...! કે, પરની – એક આત્મા સિવાય બીજા કોઈ આત્મા અને આત્મા સિવાય કોઈ રજકણથી માંડીને બધા પુદ્ગલોનું કાંઈ પણ કરી શકું છું. એવી એકત્વબુદ્ધિ તો મહા મિથ્યાત્વ ને પાપ છે. એ તો છોડાવી, છોડાવી ને છોડાવી, પણ હવે અંદરમાં એ છૂટી છતાં સત્ય બોલવાનો ભાવ, દાનનો ભાવ, દયાનો ભાવ આવે પણ એ પણ પુણ્યબંધનું કારણ છે માટે ધર્મીને તે હેય છે. આહા..હા..! છે કે નહિ એમાં ? - આ શું આવ્યું ? જુઓ ! કેવળજ્ઞાને બિરાજમાન, તેમણે એવા કહ્યા છે. શું કહ્યા છે ? હેય કહ્યા છે. માથે આવ્યું હતું ને ? “તે સમસ્ત પરિણામ હેય છે.” એમ બીજી લીટીમાં) કહ્યું હતું. પરનું કાંઈ કરી શકું એવી માન્યતાને ભગવાને હેય કીધી. તો આચાર્ય કહે છે કે, હું તો એથી વધારે હવે એમાં સમજું છું કે, પરમાત્માએ પરની એકતાબુદ્ધિનો તો ત્યાગ કરાવ્યો પણ પર આશ્રયે જેટલો એકત્વબુદ્ધિ સિવાય ભાવ થાય)... આહાહા..! ફક્ત પરની દયાનો, સત્ય બોલવાનો, શરીરથી બ્રહ્મચર્ય પાળવાનો (ભાવ આવે) એ બધો શુભ ભાવ (છે) એ પરાશ્રય છે એથી સમકિતીને તે પણ છોડવા લાયક છે, એ વ્યવહાર છોડવા લાયક છે. આહા...હા...! એમાં છે કે નહિ આ ? માથે ન કહ્યું ?
“વિનં પર્વ ત્યાખ્યું એમાં શું કીધું ? “રિત્ન પુર્વ ત્યાખ્યું એમાં શું કહ્યું ? કે, તારા આત્મા સિવાય, પર આત્માનું અને પર શરીરનું હલાવવું, ચલાવવું, આ આંગળી હલાવવી કે ટોપી પહેરવી કે ચમા પહેરવા, એ બધી પરની ક્રિયાઓ એકત્વબુદ્ધિથી તું માને છો એ છોડાવી. એ તારાથી કાંઈ ચરમો ઊંચો ચડીને અહીં ચડે કે હેઠે ઉતરે, એ તારાથી કાંઈ બને નહિ. આહાહા...! એ પરનું કરી શકું છું એવી એકત્વબુદ્ધિને પરમાત્માએ