________________
કળશ-૧૭૩
૨૮૭ મારી ચીજ ભિન્ન છે અને મારાથી પર ચીજ ભિન્ન છે તો ભિન્ન પદાર્થનું) હું કંઈ કરી શકતો નથી. આ.હા..હા....!
મુમુક્ષુ :- એકબીજાને મદદ કરો.
ઉત્તર :– કોણ મદદ કરી શકે ? એ તો નિમિત્તની અપેક્ષાએ ઉપગ્રહ કહેવામાં આવ્યું છે. પરસ્પર ઉપગ્રહો ! એ તો તેને કારણે ત્યાં થાય છે ત્યારે નિમિત્ત હોય તેને કહેવામાં આવે છે કે, આ નિમિત્ત છે, બસ ! પણ એનાથી પરમાં થયું છે એમ નથી), કિંચિત્ માત્ર થતું નથી. આહા...હા..! અરે..!
અહીંયાં પ્રભુ તો એમ કહે છે કે, મિથ્યાભાવ જેને છૂટી ગયો.” જેની મિથ્યાશ્રદ્ધા છૂટી ગઈ... આહા..હા...! અને જેને અંદર સમ્યગ્દર્શન – ધર્મની પહેલી સીડી પ્રગટ થઈ, એ છ ઢાળામાં આવે છે “મોક્ષ મહેલ કી પહેલી સીઢી આહાહા...! એ સમ્યગ્દર્શન અપૂર્વ ચીજ છે ! ભાઈ ! દેવ-ગુરુ-શાસ્ત્રને અમે માનીએ છીએ, નવ તત્ત્વને ભેદથી માનીએ છીએ તે સમ્યગ્દર્શન છે, એવી ચીજ નથી. આહાહા...!
અહીંયાં તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ ! એ પૂર્ણ આનંદ અને પૂર્ણ દ્રવ્યની દૃષ્ટિ જેને અંતરમાં થઈ, એવા સમ્યગ્દષ્ટિને એ સર્વ વ્યવહાર હેય કહેવામાં આવ્યો છે. આ હા.! આવી વાત છે. આકરું બહુ ! છે અંદર ?
‘મિથ્યાભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો છે એમાં ? આ કળશ અમૃતચંદ્રાચાર્યદેવનો છે. દિગંબર (સંત) ! મૂળ શ્લોક કુંદકુંદાચાર્યદેવના છે અને આ કળશ છે એ “અમૃતચંદ્રાચાર્યદેવના છે. એની ટીકા ‘રાજમલજીએ કરી છે. રાજમલ જૈન ધર્મના મર્મી હતા. તેમાંથી બનારસીદાસે’ ‘સમયસાર નાટક' બનાવ્યું.
અહીંયાં કહે છે કે, જેને મિથ્યાત્વ છૂટી ગયું... આહા...હા...! “તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો... આહાહા...! દૃષ્ટિમાંથી પરની એકત્વબુદ્ધિ તો છૂટી ગઈ પણ પરના આશ્રયે જે વ્યવહાર દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત આદિના ભાવ (થાય) તે પણ દૃષ્ટિમાંથી છૂટી ગયો. વ્યવહાર છોડવા લાયક છે, આદરવા લાયક છે નહિ. આહા...હા..! સમ્યગ્દષ્ટિને વ્યવહાર આવે છે પણ તેને હેય તરીકે માને છે. ઉપાદેય તરીકે ગ્રહણ કરવા લાયક છે એમ આદર નથી કરતા. મિથ્યાદૃષ્ટિ જેને જેનની ખબર નથી કે શું ચીજ છે ? એ શુભ ભાવને આદરણીય માનીને તેનાથી મને પરંપરા કલ્યાણ થશે એમ માનનાર મિથ્યાદૃષ્ટિ વ્યવહારને આદરણીય માને છે. સમજાણું કાંઈ ? એક લીટીમાં તો ઘણું (ભરી દીધું છે).
ભાવાર્થ આમ છે કે પૂર્વોક્ત મિથ્યાભાવ જેને છૂટી ગયો તેને સમસ્ત વ્યવહાર છૂટી ગયો,....દૃષ્ટિમાં કોઈપણ વ્યવહારનો આદર રહ્યો નહિ. આહા..હા...! આવી વાત છે. આ શ્લોક જ એવો ઊંચો છે !! “કારણ કે મિથ્યાત્વના ભાવ તથા વ્યવહારના ભાવ એક વસ્તુ છે. આ..હા..હા...! ગજબ વાત છે, પ્રભુ ! જેટલી પરની એકતાબુદ્ધિ મિથ્યાત્વ છે એ વ્યવહાર