________________
૨૯૬
કિલશામૃત ભાગ-૫
સમ્યગ્દર્શનમાં આનંદનું જે ભાન થયું. આહાહા...! એમાં અંદર આનંદમાં જેટલી સ્થિરતા થાય એનું નામ ચારિત્ર છે. આહાહા...! પંચ મહાવ્રતના પરિણામ એ કંઈ ચારિત્ર નથી, એ તો રાગ છે, આસવ છે. અરે...! વાતની ખબર પણ નહિ ત્યાં શું થાય ? અનંતકાળ એમને એમ ગયો. આહા..હા..!
ધર્મ મેં ઢંકે ન કર્મ સો રકત હૈ “બનારસીદાસ' કહે છે કે, સમકિતી તો પોતાના સ્વરૂપમાં અંદર ઠુકતે હૈં. “ન કર્મ સો રકતે હૈં રાગમાં રોકાતો નથી. આવી જાય છે પણ અંદર જાય છે. આહા...હા...! સ્વરૂપ આનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદનો કંદ આત્મા ! તેમાં ટુકત હૈ. આહા..હા..! ધર્મીનું વલણ અને ઝુકાવ આનંદ ઉપર છે. રાગ આવે છે પણ ઝૂકાવ અને આશ્રય છે નહિ. આહા..હા..! ભારે કામ, ભાઈ ! છે ? આ (કળશનો) ઈ શ્લોક છે, હોં ! આ આપણે ચાલે છે ઈ.
(અહીંયાં કહે છે), કેવો છે વ્યવહાર ? હવે મિથ્યાત્વ ભાવ અને વ્યવહાર એક કહ્યો એ આ અપેક્ષાએ. પોતાના માને ઈ અપેક્ષાએ. ત્યારે (કહે છે), કેવો છે વ્યવહાર ?’ છે ? કન્યાશ્રય: ત્યાન: આહા...હા...! કેમકે વ્યવહાર છે એ અન્યનો આશ્રય છે. એમાં સ્વનો આશ્રય નથી. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ ! નિત્યાનંદ સહજાત્મ સ્વરૂપ પ્રભુ ! એનો આશ્રય લે તો ધર્મદશા થાય છે. વ્યવહાર પરઆશ્રયે છે. આહા...હા..!
ભાવપાહુડમાં ૮૩ ગાથામાં કીધું છે. “ભાવપાહુડ ! “અષ્ટપાહુડ' છે ને ? કુંદકુંદાચાર્યદેવ'નું “અષ્ટપાહુડ' ! પૂજા અને વ્રત એ જૈનધર્મ નહિ. એમ ૮૩ ગાથામાં લખ્યું છે. ધર્મ તો મોહ ને ક્ષોભરહિત આત્માના પરિણામને ધર્મ કહે છે. મિથ્યાત્વ અને રાગ રહિત અંદરની દૃષ્ટિ અને સ્થિરતાને ભગવાન ધર્મ કહે છે. આહા...હા...! સાધારણ સમાજને વાત બેસે નહિ. એટલે ઉડાડી દીધી કે, “નહિ.. એકાંત છે. વ્યવહારથી પણ થાય છે અને નિશ્ચયથી પણ થાય છે, એ અનેકાંત છે.” એમ નથી. અંતરના આશ્રયે જ ધર્મ થાય છે, પરના આશ્રયે નહિ તેનું નામ અનેકાંત છે. સમજાણું કાંઈ ? આહા...હા...! અનેકાંતને એકાંતમાં ખતવી નાખ્યું અને એકાંતને અનેકાંતમાં ખતવી નાખ્યું). વ્યવહારથી પણ કલ્યાણ થશે અને નિશ્ચયથી પણ થશે, બન્ને સાધન છે. અહીં તો ના પાડે છે. આહા...હા...!
ન્યાશ્રય:' કહે છે કે, વ્યવહાર અને મિથ્યાત્વ એક કેમ (કહ્યા) ? કેમકે વ્યવહાર અન્યના આશ્રયે થાય છે. દયા, દાન, પૂજા, ભક્તિ એ તો અન્યના – પરના લક્ષે થાય છે, એ સ્વના લક્ષે થતા) નથી. અને અન્ય આશ્રય હોવાથી તે ત્યાજ્ય છે. સ્વનો આશ્રય હોય તે ઉપાદેય છે. આહાહા..! સમજાણું કાંઈ ? આ તો બે લીટીમાં, ત્રણ લીટીમાં બધું સમાઈ ગયું ! આવું છે. ન બેસે એને એમ લાગે કે, આ તો એકાંત છે, એકાંત છે, એમ કહે છે ને ? લોકો કહે છે. એકાંત તો એને કહીએ કે, વ્યવહાર છે જ નહિ અને એકલો નિશ્ચય છે તો. વ્યવહાર વ્યવહારના સ્થાને છે પણ તે ત્યાજ્ય છે. ધર્મીને વ્યવહાર આવે