________________
૨૬૪
કિલશામૃત ભાગ-૫ ગઈ. એ અંદરમાં સ્થિરતા કેમ ન કરે ? શું શું કહે છે ? ટીકામાં શબ્દ ઈ વાપર્યો છે. સ્થિરતારૂપ સુખને કેમ ન કરે ?” આ.હા..હા..! અતીન્દ્રિય આનંદ સ્વરૂપ છે એ આનંદને કેમ ન અનુભવે ? એમ કહે છે. ઝીણી વાત છે, ભાઈ !
જગતને જાણીએ છીએ ને ! જગત કેવી રીતે છે એ બધાને જાણીએ છીએ. ૬૪ વર્ષ તો દીક્ષા લીધા થયા. પરમ દિ નોમે ૬૫મું (વર્ષ) બેઠું. ‘ઉમરાળા... ઉમરાળા' ! અમારા ‘ઉમરાળાના પટેલ આવ્યા છે. અમારા જન્મગામના પટેલ આવ્યા હતા. માગસર સુદ નોમે (સંવત) ૧૯૭૦ના હાથીના હોદ્દે ‘ઉમરાળામાં તે દિ દીક્ષા હતી. એને ૬૪ વર્ષ થયા, દીક્ષા લીધા ૬૪ (વર્ષ) થયા. આ માગસર સુદ નોમે ૬ પમું બેઠું. આ શરીરને ૮૮ (મું વર્ષ ચાલે છે. નેવમાં બે કમ –ઓછા). સાડી ત્રેવીસ વર્ષે ઘરે દીક્ષા લીધી હતી. મોટાભાઈએ ઘરે દિીક્ષા આપી હતી. ‘ઉમરાળા' ! અમારું જન્મગામ ‘ઉમરાળા' છે ને ? આહા...હા...! બધું જોયું, વેપાર પણ કર્યા ને વેપાર પણ જોયા. “પાલેજ ! અમારી દુકાન પાલેજ છે ને ? આ.હા..! બાપુ ! આ માર્ગ કોઈ જુદી જાતનો છે.
મુમુક્ષુ – એક વકીલાત નથી કરી. ઉત્તર :- બધા વકીલોને જોયા છે. આહા...હા...!
આહા...હા...! અહીં પ્રભુ એમ કહે છે, સર્વજ્ઞ પરમાત્મા જગતને જાહેર કરે છે, પ્રભુ ! તું અતીન્દ્રિય આનંદસ્વરૂપ છો એમ નક્કી કર, નિર્ણય કર ! તું રાગ નહિ, પુણ્ય નહિ, શરીર નહિ, વાણી નહિ, આ દેશ-બેશ નહિ. આહા..હા..! તારો દેશ તો અંદર છે ને, પ્રભુ ! આહાહા..! જેમાં અનંતી શક્તિઓ વસેલી છે. વસ્તુ છે ને ? વસ્તુ ! તો વસ્તુમાં અનંત ગુણો – શક્તિ વસેલી છે, અંદર રહેલી છે. આહાહા...! એવા આત્માની જેને મહિમા આવી, હવે કહે છે, એ સુખને કેમ ન કરે ? એટલે શું? એ આત્માના આનંદના અનુભવમાં કેમ ન જાય ? આ..હા..હા...! ઝીણી વાતું છે, બાપા ! ઈ તો ખબર છે ને ! આહા...હા...!
અહીં પ્રભુ એમ કહે છે, એકવાર સાંભળ તો ખરો, ભાઈ ! આહા..હા...! નાની નાની ઉંમરમાં જુઓને મરી જાય છે ! આહાહા..! નાની નાની ઉંમરમાં દેહ છૂટી જાય છે. આયુષ્ય થોડું હોય તો વીસ વર્ષની ઉંમરે દેહ છૂટી જાય. જેટલું આયુષ્ય હોય તેટલું રહે. એમાં એક સમય વધે નહિ અને ઘટે નહિ. આહાહા...! એ પહેલાં આત્મા કોણ છે ? જો એને જાણ્યો નહિ અને એની મહિમા ન આવી તો અંદર અનુભવમાં ઈ નહિ જઈ શકે. અંતરમાં સુખના અનુભવમાં નહિ જઈ શકે, એમ કહે છે. આહાહા...! આ બહારના તો બધા દુઃખના અનુભવ છે, બાપા ! આ વિષય ને ભોગ ને સ્ત્રી ને કુટુંબ ને ખાવા ને પીવા ને રળવા. ધૂળના પૈસા ભેગા કરવા એ તો દુઃખના અનુભવ છે). ભાઈ આ ભાઈને જાણો છો ને ? એક લાખ રૂપિયા આપ્યા હતા ને ? “ભાવનગર’ ! એક લાખ આપ્યા હતા. વીસ હજાર હમણાં અહીંયાં શાસ્ત્રની રચનામાં આપ્યા હતા. ઈ તો ધૂળ છે. લાખ હોય કે કરોડ