________________
૨૭૬
કલશામૃત ભાગ-૫
=
કાર્ય એનાથી થાય છે એ કાળે – સ્વકાળે તેના કાર્ય થાય તેને હું નિમિત્ત થઈને કરું (એ માન્યતા મિથ્યાત્વ છે). સમજાણું કાંઈ ? આહા..હા...! આવી વાત છે. નિમિત્ત તો એને કહીએ કે જ્યાં જે કાર્ય થતું હોય ત્યાં હોય એને નિમિત્ત કહીએ. પણ કાર્ય થાય છે તો એનાથી – પરથી. એને ઠેકાણે (માને કે), અમે નિમિત્ત થઈએ તો કાર્ય થાય, ત્યાં અનુકૂળ કાર્ય થાય એ માન્યતા તદ્દન સત્યથી વિરોધ દૃષ્ટિ છે. આહા..હા...!
અહીં તો આચાર્ય મહારાજ – ‘કુંદકુંદાચાર્યદેવ’ અને ‘અમૃતચંદ્રાચાર્ય’ સંતો આત્માના અનુભવી ચારિત્રના, હોં ! આ..હા..હા...! અતીન્દ્રિય આત્માનો આનંદ જેને પ્રગટ થયો છે), પર્યાયમાં પ્રચુર સ્વસંવેદન વેદાય છે. આ..હા..હા..હા...! એ સંત એમ કહે છે, ભગવાને ૫૨ની એકત્વબુદ્ધિના (આવા પ્રકાર કહ્યા છે). આ બધી એકત્વબુદ્ધિ થઈને ? જિવાડું, મારું, આ પહેરું, કપડા છોડું... આ..હા...! વાસણને ઉપાડી શકું, વાસણને નાખી શકું, વાસણને ઘડી શકું, પતરાના જેવા વાસણ બનાવવા હોય તેવું કરી શકું એ બધી માન્યતાઓ મિથ્યાદૃષ્ટિ મૂઢની સંસારમાં ચોરાશીના અવતા૨ ક૨વામાં મિથ્યાત્વના બીજડાં સેવના૨ છે). ભાઈ ! તમારે શું ધંધો છે ? એને શું ધંધો છે ? ઝવેરાત ! ઠીક ! ઈ ઝવેરાતને આમ લઈ શકું, દઈ શકું તે પરની ક્રિયામાં મારો અધિકાર છે, હું હોશિયાર માણસ છું, પાવરધો છું માટે બધા કામ હું પ્રવીણતાથી કરી શકું. વિચક્ષણતાથી અને ડહાપણભર્યા કામથી એ બધા કામ કરી શકું. આ..હા..હા..! એને પરમાત્મા કહે છે કે, તું તારું તત્ત્વ અને બીજા તત્ત્વને બેને કરનારો તેં માન્યો તો એકત્વબુદ્ધિ છે, ૫૨ સાથે તારી એકત્વબુદ્ધિ છે. ભિન્ન વસ્તુ છે તેની બુદ્ધિ ન રહેતાં તને એકત્વબુદ્ધિ થઈ. આહા..હા...!
એ (અભિપ્રાય) જ્યારે છોડાવ્યો અને હેય કહ્યો તો પછી હું એમ કહું છું કે, આ આત્મામાં જેટલો પરને આશ્રિત ભાવ થાય, પેલો તો એકત્વબુદ્ધિનો ભાવ હતો, જિવાડું, મારું, કરી દઉં એ તો એકત્વબુદ્ધિનો (ભાવ હતો), હવે આ એકત્વબુદ્ધિ નહિ પણ પ૨ને આશ્રયે જેટલો દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ થાય એ બધા ૫૨ આશ્રિત છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગ વાસના, એ બધા ભાવ ૫૨ આશ્રિત છે. એની વાત તો અત્યારે છોડી ક્યો. પણ પ૨ આશ્રિત જેટલો સત્ય, દત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એવો શુભ ભાવ થાય... આહા...હા...! ભગવાન એમ કહે છે કે, મારું સ્મરણ કરવામાં તને જે શુભ ભાવ થાય એ પણ પરાશ્રિત હોવાથી સમ્યક્દષ્ટિને તેનો હેયભાવ ત્યાગભાવ છે. અરે...! આવી
વાતું છે.
—
-
ભગવાન એમ કહે કે, અમે તારાથી ૫૨ – ભિન્ન છીએ અને અમારા સ્મરણમાં તું આવ તો તને રાગ થાશે અને રાગ છે તે બંધનનું કારણ છે. આહા..હા...! તેથી ભગવાને પરને આશ્રયે થયેલો સત્ય શુભ વ્યવહાર, શુભના અસંખ્ય પ્રકાર છે દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, નામસ્મરણ, શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર શ્રવણ, એ બધા શુભ ભાવ છે એને ભગવાને