________________
કળશ-૧૭૩
૨૭૫
છું, એવી જે પરદ્રવ્યની ક્રિયાનો કર્તા માને છે તે મિથ્યાષ્ટિ મૂઢ પરને અને સ્વને એક કરીને, માનીને બેઠો છે. આહા...હા...!
જ્યારે પર અને આત્મા બન્ને ભિન્ન છે અને પરની કાંઈ ક્રિયા કરી શકતો નથી એમ જ્યારે પરમાત્માએ કહ્યું અને ધર્મીએ એ રીતે માન્યું.. એ. શેઠ ! આ બીડી આપી શકે, તમાકુ આપી શકે (એવું) કાંઈ નહિ, એમ અહીં તો કહે છે. ભાઈ ! એને શું હતું? જોડા ! શેના કહેવાય ? પ્લાસ્ટીક ! પ્લાસ્ટીકના ! થાણા... થાણા” ! આહા..હા..! અમારા આ ભાઈને લાદી(નું કામ) હતું. પથરાની મોટી લાદી, એનું કાંઈ પણ આત્મા કરી શકે એ વસ્તુસ્થિતિ નથી). આહા..હા...
એક ઠેકાણે પેલું “જામનગર’ છે ને ? ત્યાં એક ‘વઢવાણના જૈન છે ત્યાં એક ફેરી દૂધ પીવા માટે રોકાયેલા. મોટો સ્થાનકવાસી વેપારી છે. પણ અહીંનો પ્રેમ હોય એટલે ત્યાં એને ઘરે દૂધ પીવા (ગયેલા). શું કહેવાય ઈ ? લાદી ! લાદીમાં છાંટે. કોઈ પીળા, લીલા એવા (રંગ) લાદી સાફ કરવા. એ બધું આમ ગોઠવેલું. પછી એમ કહે, અમે આ બધું લાદીમાં છાંટ નાખીએ છીએ અને આ બનાવીએ છીએ.
અહીં કહે છે કે, એ અમે કરી શકીએ છીએ એ માન્યતા જ અજ્ઞાની મૂઢ જીવની છે. આહાહા...! કપડાને ધોઈ શકીએ છીએ, કપડાને સૂકવી શકીએ છીએ, કપડાને પહેરી શકીએ છીએ, કપડાને છોડી શકીએ છીએ... આહાહા...! દાળ, ભાત, રોટલાના પરમાણુ જડ છે તેને અમે ખાઈ શકીએ છીએ એવી જેને પરદ્રવ્યની સાથે એકત્વબુદ્ધિ છે તે તો મૂઢ જીવ, મિથ્યાષ્ટિ અજ્ઞાની છે). આહાહા..! જિનાજ્ઞા બહારની ક્રિયાને માનનારો છે. આ..હા...!
આચાર્ય એમ કહે છે કે, જ્યારે એવી પરદ્રવ્યની એકત્વબુદ્ધિનો અધ્યવસાયનો ત્યાગ કર્યો, કરાવ્યો તો એમાંથી તો હું એમ કહું છું કે, પદ્રવ્યને આશ્રયે. છે ? “સત્યરૂપ...” સત્યરૂપ. દયા, દાન, ભક્તિ, વ્રત, તપનો ભાવ શુભ રાગ, નામસ્મરણનો શુભ ભાવ, એ સત્યરૂપ.
અસત્યરૂપ...' જૂઠા બોલવા વગેરે ભાવ એ જૂઠા (ભાવ). એ “સત્યરૂપ અથવા અસત્યરૂપ વ્યવહાર અર્થાત્ શુદ્ધસ્વરૂપમાત્રથી વિપરીત.... આહા...હા...! ધર્માને તો એ વ્યવહાર પણ છોડાવ્યો છે, કહે છે. દષ્ટિના વિષયમાં ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ છે) એવી જ્યારે દષ્ટિ થઈ, એથી સમકિતીને – ધર્મીની ધર્મની પહેલી દૃષ્ટિવાળો (થયો), એને આ દયા, દાન, વ્રતના પરિણામને પણ દૃષ્ટિમાંથી છોડાવ્યા છે. આહા..હા...! ભારે આકરું કામ, બાપુ !
(એક ભાઈ) આવ્યા હતા ને ? વાત નીકળી ત્યારે એ કહે કે, પરને નિમિત્ત તો થાઈએ ને ? પરને નિમિત્ત તો થાઈને ? એમ કહેતા. ગુજરી ગયા, આવતા હતા, અહીં આવતા. “રાજકોટમાં (સંવત) ૧૯૯૯ની સાલમાં આવ્યા હતા). કોણ નિમિત્ત થાય ? ત્યાં