________________
કળશ-૧૭૩
૨૬૯ કેવો છે નિશ્ચય ? નિર્વિકલ્પ વસ્તુમાત્ર છે... આહાહા...! #શબ્દ છે ને? ટીકામાં એનો – એકનો અર્થ એવો કર્યો છે. સંસ્કૃત ટીકા ! પરની અપેક્ષા વિના – નિરપેક્ષ. ભાઈ ! એકનો અર્થ કર્યો છે. અંતર વસ્તુ ભગવાન આત્મા આનંદનો અનુભવ કરે, અતીન્દ્રિય આનંદને વેદે એમાં પરની કોઈ અપેક્ષા છે નહિ કે, આ વ્યવહાર કર્યો ને દયા, દાન, વ્રત પાળ્યા માટે અનુભવ થયો એમ છે નહિ. આહાહા..! એકનો અર્થ કર્યો છે, ભાઈ ! જરી જોયું હતું. એકનો અર્થ શુદ્ધ પણ થાય છે, નિરપેક્ષ થાય છે, અભેદ થાય છે. ઘણાં અર્થ થાય છે.
ચિબિંબ આનંદનો નાથ પ્રભુ અંદર...! આહા..હા...! એના અનુભવમાં ધર્મદશા પ્રગટ કરવામાં ધર્મી એવો આત્મા, સ્વભાવનો સાગર, એની દશા પ્રગટ કરવામાં પરની કોઈ અપેક્ષા નથી. આ રાડ પાડે છે ને લોકો ? વ્યવહાર કરતાં કરતાં થાય. ધૂળ પણ ન થાય, સાંભળને ! (લોકો એમ કહે છે કે, એ તો વ્યવહારનો નિષેધ કરશે, વ્યવહારનો નિષેધ કરશે. અહીં પ્રગટ્યો છે તેમાં વ્યવહારની અપેક્ષા નથી, એમ કહે છે. સમજાણું કાંઈ ? આવું છે જરી. આહા...હા...!
મુમુક્ષુ :- વ્યવહારનો અભાવ છે તેનો સદ્ભાવ માની લે.
ઉત્તર :- અહીં અંતરનો અભાવ થયો છે અને એની અપેક્ષા છે નહિ ત્યારે તેને એકપણું પ્રગટ્યું છે. આહા.હા....! વૈતપણું એટલે જે વ્યવહાર – દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ (થાય છે) એ પણ રાગ છે. આહા..હા...! એ રાગની અપેક્ષા જેને આત્માના અનુભવમાં નથી. આવી વાત છે.
મુમુક્ષુ - વિચારશ્રેણી ચાલે છે ત્યાં સુધી રાગ છે.
ઉત્તર :- વિકલ્પ છે. ઈ વિકલ્પ છે. એની એને અપેક્ષા નથી. એને છોડે ત્યારે અનુભવ). થાય. ઝીણું બહુ, બહુ ઝીણું, બાપુ !
આત્મા તો અનાદિઅનંત શાશ્વત છે. આ શરીરની ઉંમર કહેવાય કે, આ પચાસ થયા, સાંઈઠ થયા, સીત્તેર થયા, એસી થયા. એ તો શરીરને ને ? કે આત્માને ? આત્મા તો અનાદિનો છે, અનંતકાળ રહેવાનો છે. એની ઉંમર, એની સ્થિતિ હોય નહિ. આહાહા...! આ તો શરીરનો સંયોગ થયો ત્યારે કહ્યું કે, આ જન્મ્યો. છૂટ્યો ત્યારે મર્યો એમ કહે). એટલે એ તો એની સ્થિતિ – શરીરની સ્થિતિ છે. ભગવાન આત્મા તો અનાદિઅનંત એકરૂપ ચિદાનંદ પ્રભુ છે. આહાહા.! જેના અનુભવના જ્ઞાન માટે રાગ ને વ્યવહારના નિમિત્તની કોઈ અપેક્ષા છે નહિ.
મુમુક્ષુ :- “શ્રીમદ્દ તો કહે છે, “કર વિચાર તો પામ”.
ઉત્તર :એ વિચાર એટલે અંદર સ્થિરતા, વિકલ્પ નહિ. અહીં “કળશટીકામાં તો વિચારને વિકલ્પમાં લીધો છે. આહા...હા...! ‘કર વિચાર' (એટલે) આત્મા આનંદસ્વરૂપ છે