________________
૨૭૨
કલામૃત ભાગ-૫
મુમુક્ષુ - અનુકંપા તો સમ્યત્વનું અંગ છે ને ! ઉત્તર :- પણ ઈ અનુકંપા કઈ ? અકષાય ભાવની. આ..હા..
અહીં તો કહે છે કે, હું સુખી કરું....” એને સગવડતા મળે છે તો એના પૂર્વના પુણ્યના લઈને મળે છે. એને ઠેકાણે, હું આને સગવડતા આપું (એ) મિથ્યાત્વભાવ (છે), પરની સાથેની એકત્વબુદ્ધિનો ભાવ મહાપાપ (છે). આહાહા.
હું દેવ, દેવ.... દેવ, સ્વર્ગના દેવ થાય છે ને ? બહુ પુણ્ય કર્યા હોય તો સ્વર્ગમાં દેવ થાય. પણ દેવ ઈ આત્મા ક્યાં છે ? આહા...હા...! એ તો ગતિનો ભવ છે. હું દેવ છું, એ માન્યતા અધ્યવસાય એકત્વબુદ્ધિ મિથ્યાત્વ છે.
“મનુષ્ય' છું. લ્યો ! એ મૂઢ છે. મનુષ્ય કેવો ? આત્મા મનુષ્ય છે ? આ તો જડ માટીનું શરીર છે. એ તો એક કોર રાખો પણ અંદર મનુષ્યની ગતિનો ઉદય છે એ પણ હું નહિ. આત્મા તો અંદર મનુષ્યની ગતિ સિવાયની ચીજ આનંદકંદ પ્રભુ છે. એને ઠેકાણે હું મનુષ્ય છું, હું રાજા છું, હું ગરીબ છું, હું રંક છું.... આહાહા...! આ બધી માન્યતાઓ વિપરીત શ્રદ્ધાની છે. આહા..હા..! અધ્યવસાયની વાત કરી છે ને ?
ઇત્યાદિ છે જે મિથ્યાત્વરૂપ અસંખ્યાત લોકમાત્ર પરિણામ...” આ.હા..હા....! “તે સમસ્ત પરિણામ હેય છે.” પરને હું કરી શકું, એવા પરિણામને ભગવાન છોડવાલાયક કહે છે. છોડ એવા પરિણામ, માળા ! મૂઢ ! આહા...હા...! છે ? આ..હા...! કોણે કહ્યું આ? પરમેશ્વર કેવળજ્ઞાને બિરાજમાન...” એમણે કહ્યું. છે ને ? “નિને ૩વત્ત સર્વજ્ઞ પરમાત્મા જેને ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન થયું છે એવા સર્વજ્ઞ પરમાત્માનો આ હુકમ છે. એણે એમ કહ્યું છે. નિનૈ: ૩વર્ત’ કીધું ને ? આહા...હા....! તેમણે એમ કહ્યું છે. વિશેષ કહેશે...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર સુદ ૧૨, ગુરુવાર તા. ૨૨-૧૨-૧૯૭૭.
કળશ–૧૭૩ પ્રવચન–૧૮૨
કળશટીકા ૧૭૩ (કળશ ચાલે છે). અહીં સુધી આવ્યું છે. “નિને ’ છે ને? શું કહ્યું? જિનેશ્વર ભગવાન એમ કહે છે કે, જેને હું બીજાને જિવાડી શકું, મારી શકું, સગવડતા દઈ શકું, દુઃખી – અગવડતા દઈ શકું વગેરે મન, વચન ને કાયાથી કે શસ્ત્રથી બીજાને ઇજા પમાડી શકું કે સગવડતા દઈ શકું, એવી જેની માન્યતા છે એ મિથ્યાદૃષ્ટિ વિપરીત શ્રદ્ધાવાળો છે. એને સત્યશ્રદ્ધાની ખબર નથી. આહા...હા...! પણ જેને એ ભાવનો