________________
૨૩૦
કલશામૃત ભાગ-૫
પાઠ તો આવો છે. ‘આત્મહનો ભવન્તિ” છે ? ‘આત્મહનો ભવન્તિ” એનો અર્થ એટલો. આહા..હા...! એની પ્રગટ શાંતિ અને આનંદપર્યાય થવી જોઈએ એને ઘાત કરે છે. આહા..હા....! ઘાત કરીને તે દુઃખની, મિથ્યાત્વની પર્યાયને ઉત્પન્ન કરે છે. આવું આકરું કામ ! દુનિયા સાથે મેળ ખાવો (કઠણ છે).
એક જણો કહેતો હતો, તેરાપંથીઓ એમ કહે, બીજાને બચાવીએ એ પાપ છે. કારણ કે બચશે તો કાંઈક કામ લેશે. ત્યારે વળી આ સોનગઢિયા' એમ કહે છે કે, બીજાને બચાવવાનો ભાવ પાપ છે. (આ) તેરાપંથીનો જ મત છે. એક જણ એમ કહેતો હતો. અરે... ભગવાન ! આ તો અનંત તીર્થંકરો, અનંત કેવળીઓ, અનંત સંતો કહેતા આવે છે. વસ્તુની સ્થિતિ એ છે. આહા..હા...! સમજાણું ?
આહા..હા...! ‘આનંદઘનજી’માં આવે છે ને ? એક શબ્દ આવે છે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે,’ એ આનંદઘનના મતના સંગી છે. આનંદઘન એવો આત્મા ! આહા..હા...! ઈ એના અભિપ્રાય - એના પિરચયવાળા છે.
-
શ્વેતાંબરમાં આવે છે. આહા..હા...! હવે એને કેટલાક કાંઈક બીજું કહે છે. ઈ ‘આનંદઘનજી’ તો આવો થઈ ગયો છે. શું કંઈક હલકી ભાષા નથી કહેતા ? ભૂતડો... ભૂતડો ! ભંગડભૂત થઈ ગયો છે.’ (એમ) કહે છે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે’ લ્યો ! ‘બીજા દ્રવ્યલિંગી...’ તમારાને તમારામાં, એને ને એને કહેનારા નીકળે. અરે... ભગવાન ! બાપુ ! શું કરે છે તું ? ભાઈ !
આહા..હા...!
આત્માના જ્ઞાન અને સમ્યગ્દર્શન વિના સાધુપણું કેવું ? આહા..હા...! જ્યાં આવો ભાવ છે ત્યાં મિથ્યાષ્ટિ છે, ત્યાં સમકિત નથી ત્યાં વળી સાધુપણું ક્યાંથી લાવવું ? આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા...! ઝીણી વાતું છે, બાપુ ! વ્યવહાર હોય છે. બોલવાનો વ્યવહા૨ હોય છે, નિમિત્ત છે ખરું પણ નિમિત્ત પરમાં કરી શકે છે એમ નહિ. નિમિત્તથી એમ કથન બોલાય, હોય, નિમિત્તને સિદ્ધ કરવું છે તેથી (એમ બોલાય). વ્યવહા૨ છે ખરો, પણ એ વ્યવહા૨ ૫૨ને કાંઈ કરી શકે એવો વ્યવહાર નથી. આહા..હા...! આહા..હા...! એવું સાંભળવું મળવું મુશ્કેલ પડે અને જિંદગી ચાલી જાય. આહા...હા...!
પોતાના ઘાતનશીલ છે.’ છે ને ? ‘આત્મહન:’‘ઞભહન:’નો અર્થ એ (અર્થાત્) પર્યાય. આત્માની પર્યાય જે શાંતિ અને આનંદ ને સ્વચ્છતા આવવી જોઈએ એનો એ ઘાત કરે છે. કર્તા-કર્મમાં એવું આવે છે ને ? ભાઈ ! નહિ ? ૬૯-૭૦ (ગાથા). પર્યાયને ઉત્પન્ન ન કરતાં. ‘કર્તા-કર્મ (અધિકારની)’ ૬૯-૭૦ (ગાથામાં) આવે છે. (શ્રોતા : સહજ ઉદાસીન અવસ્થાનો...') ઘાત કરે છે). તો (શું) સહજ ઉદાસીન અવસ્થા હતી ? ત્યાં ૬૯-૭૦માં પાઠ એવો છે. ‘કર્તા માનીને સહજ ઉદાસીન અવસ્થાનો ઘાત કરે છે.’ સમજાણું ? ‘સમયસાર’