________________
૨૩૨
કલશામૃત ભાગ-૫
જ્ઞાનાવરણાદિ કર્મબંધનું કારણ થાય છે. શા કારણથી ? “વિપર્યયાતિ' કારણ કે એવો પરિણામ મિથ્યાત્વરૂપ છે. “: ઇવ યમ્ અધ્યવસાય:’ ‘આને મારું, આને જિવાડું' એવો જે મિથ્યાત્વરૂપ પરિણામ તે જેને હોય છે “અસ્ય જ્ઞાનાત્મા દૃશ્યતે” (ગસ્થ) એવા જીવનું (જ્ઞાનાત્મ) મિથ્યાત્વમય સ્વરૂપ () જોવામાં આવે છે. ૮–૧૭૦.
માગશર સુદ ૮, રવિવાર તા. ૧૯-૧૨-૧૯૭૭.
કળશ-૧૭૦, ૧૭૧ પ્રવચન–૧૭૯
કળશટીકા ૧૭૦ કળશ છે.
मिथ्याद्दष्टेः स एवास्य बन्धहेतुर्विपर्ययात्। य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य द्दश्यते ।।८-१७० । ।
શું કહે છે ? આ બંધ અધિકાર છે. “અસ્થ મિષ્ટિ સ. પુર્વ વન્યતઃ મવતિ ‘આ મિથ્યાદૃષ્ટિ જીવને...” (અર્થાતુ) જૂઠી દૃષ્ટિ છે, પાપ દૃષ્ટિ છે, અધર્મ દૃષ્ટિ છે એને મિથ્યાત્વસ્વરૂપ જે પરિણામ. શું ? કે, “આ જીવે આ જીવને માર્યોઆને માર્યો –
એ અભિપ્રાય અધર્મીનો અધર્મ-અભિપ્રાય છે. કેમકે પરને મારી શકતો નથી. છતાં એમ માને કે, મેં આને માર્યો, એવો જે મિથ્યાત્વરૂપી અધર્મ-પરિણામ તે તેને બંધનું કારણ છે. આહા..હા...!
મેં આને જિવાડ્યો. “આ જીવે આ જીવને જિવાડ્યો...” મેં એનું જીવન જિવાડ્યું, બચાવ્યો. મુમુક્ષુ :- માખીને પાણીમાંથી કાઢીને બચાવી.
ઉત્તર :- માખી પાણીમાંથી કાઢે અને આ બધા કાર્યકર્તાઓ છે ને ? બધી વ્યવસ્થા કરીને અમે જગતને સવળે રસ્તે ચડાવીએ છીએ – એ અભિપ્રાય અધર્મ-અભિપ્રાય (છે), એ પાપનું મૂળ છે. આહા...હા...! આકરી વાતું છે, ભાઈ !
પોતે આત્મા, પોતાના પરિણામની વિપરીતતા કે અવિપરીતતા કરી શકે. એ સિવાય પરપદાર્થનું કાંઈ પણ કરી શકે નહિ). આ દીકરાઓને મેં પોષ્યા, પાલન કર્યું, ભણાવ્યા ને કેળવણી આપી – એ અભિપ્રાય પાપ, મિથ્યાત્વ અને અધર્મ-અભિપ્રાય છે. આવી વાત છે. દુનિયાથી ઊલટી છે. છે ?