________________
કળશ-૧૬૭
રખડવાના છે. આ..હા...! આવી વાતું છે. આહા..હા...!
એમ કહ્યું કે મિથ્યાદૃષ્ટિ કર્તા છે,...' જોયું ? એમ કહ્યું કે, મિથ્યાદૃષ્ટિ રાગનો અને ૫૨ સામગ્રીનો આ હોય તો ઠીક' (એમ કરે છે માટે) ઈ કર્તા થયો. આત્માના સ્વભાવ સિવાય દયા, દાનના વિકલ્પની પણ જેને અભિલાષા છે એ એનો કર્યાં ઠર્યો. આહા..હા...! સમજાણું કાંઈ ? ઝીણી વાત, બાપુ ! શું થાય ? અરે......! કર્તા એટલે શું ? કહે છે.
‘ત્યાં ‘કરવું’ તે શું ?” “તત્ ર્મ જિન રાશે:’ જોયું ? ‘કર્મની ઉદયસામગ્રીનું ‘કરવું’...' એટલે શું ? તે વાસ્તવમાં કર્મસામગ્રીમાં અભિલાષારૂપ ચીકણા પરિણામ છે.’ એ કરવું છે. આહા..હા...! આત્મા સિવાયના પુણ્ય-પાપના ભાવ અને આ બહારની અનેક સામગ્રીને કરું એટલે મારા છે, મને લાભ થશે એવા એના મિથ્યાત્વના ચીકણા પરિણામ છે. આવું સાંભળ્યું નથી, સાંભળવા મળ્યું નથી. આહા..હા..! અરે....! એમને એમ જિંદગીયું જાય છે, ભાઈ ! આહા..હા...! ભલે દુનિયા માને, ન માને એની સાથે કોઈ વાત નથી. વસ્તુસ્થિતિ તો આ છે. આહા..હા..! ચીકણા પરિણામ કહ્યા, જોયા ? મિથ્યાત્વાના પરિણામ) લેવા છે ને ? રાગને, શુભભાવને પણ જે ઇચ્છે છે એણે શુભ ભાવને પોતાનો માન્યો છે એ મિથ્યાત્વના ચીકણા પરિણામ છે. આહા..હા...! છે ?
૨૦૫
‘ત્યાં ‘કરવું’ તે શું ? કર્મની ઉદયસામગ્રીનું ‘કરવું' તે વાસ્તવમાં કર્મસામગ્રીમાં અભિલાષારૂપ ચીકણા પરિણામ છે. કોઈ માનશે કે કર્મસામગ્રીમાં અભિલાષા થઈ તો શું....’ એ વિશેષ કહેવાશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર સુદ ૬, શુક્રવાર તા. ૧૬-૧૨-૧૯૭૭. કળશ-૧૬૭, ૧૬૮ પ્રવચન–૧૭૭
‘કળશટીકા’ ૧૬૮ કળશ છે. ‘વૃદ્ઘ તત્ અજ્ઞાનમ્' કહે છે કે, મિથ્યાદૃષ્ટિના પરિણામનું એક અંગ છે, મિથ્યાત્વના પરિણામનો એક ભાગ છે. મિથ્યાત્વના તો ઘણા પ્રકા૨ છે. એમાં આ એક મિથ્યાત્વના પરિણામનો ભાગ છે.
મુમુક્ષુ :- ‘કર્મસામગ્રીમાં અભિલાષા થઈ તો શું, ન થઈ તો શું ?” ઈ બાકી છે. ઉત્તર :– હા, ઠીક, ઈ બાકી છે, ઈ બાકી છે, ખરું.
કર્મસામગ્રીમાં અભિલાષારૂપ ચીકણા પરિણામ છે. કોઈ માનશે કે કર્મસામગ્રીમાં અભિલાષા થઈ તો શું, ન થઈ તો શું ? પરંતુ એમ તો નથી, અભિલાષામાત્ર પૂરો