________________
કળશ-૧૬ ૭
૧૯૭
(સમ્યક્દષ્ટિ જીવ) કર્મની ઉદયસામગ્રીમાં અભિલાષા કરતો નથી.” જોયું ? આ..હા....! આહાહા..! જેને શ્રદ્ધામાં, અનુભવમાં, જ્ઞાનમાં વસ્તુના અમાપ સ્વભાવનું જ્ઞાન (અને) શ્રદ્ધા થઈ એ હવે ક્ષણિક રાગને કરતો નથી. કેમકે કરવું (એ) એના કોઈ સ્વભાવમાં નથી. આહાહા...! આમાં તો ઈ શ્લોક નથી પણ આમાં તો ઈ આવ્યું છે કે, “નાનાતિ :
રોતિ પણ પેલા કર્તા-કર્મ (અધિકાર)માં આવ્યું છે ને ? કર્તા-કર્મ ! કરે કર્મ સો હિ કરતારા” ઈ શૈલી આમાં છે. શ્લોક ત્યાંનો છે. “કરે કર્મ સો હિ કરતારા' (અર્થાતુ) જે કોઈ રાગને કરે. આહા..હા..! ક્ષણિક વિકૃત અવસ્થાને કરવામાં રોકાય.. આ..હા...હા...! ‘કરે કર્મ સો હિ કરતારા, જો જાને સો જાનનહારા આહા..હા..! જ્ઞાનીને રાગ આવે, એને હોય પણ તે તો તેનો જાણનાર છે. આહા..હા...આવો ધર્મ છે, બાપા ! આવી ચીજ
સર્વજ્ઞ પરમેશ્વર, એ સર્વજ્ઞસ્વભાવ છે એમાંથી સર્વજ્ઞ થયા અને એ સર્વજ્ઞમાં જે જાણવામાં આવ્યું એ વાણીમાં અનંતમાં ભાગે આવ્યું. આહા...હા...! એટલું અનંત અનંતગણું અંદર રહી ગયું ! અને જે વાણીમાં આવ્યું એના અનંતમે ભાગે તો સાંભળનારને જણાય. આહાહા..! શું કહે છે આ ?
એક પરમાણુમાં પણ એટલા ગુણોની સંખ્યા (છે). ક્ષેત્ર તો એક આટલું છે પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એક એક સમયમાં પરમાણુનો એક ગુણ કહેવા માગે તો ત્રણ કાળથી અનંતગણો કાળ હોય તોપણ કહી શકાય નહિ. એટલા એક પરમાણુમાં ગુણ છે ! ઈ શું કહે છે આ ?
મુમુક્ષુ :- તો તો રૂપિયામાં ઘણા ગુણ થઈ ગયા !
ઉત્તર :- રૂપિયાના એક પરમાણુમાં ઘણા ગુણ છે. શેના ? એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના. બીજાને પૈસો મળે એટલે લાભ થાય એવો ગુણ એમાં નથી. રૂપિયામાં ગુણ છે (ખરા), પણ શેના ? એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ એક એક પરમાણમાં અનંતા ગુણો (છે). એવા તો રૂપિયાની એક નોટમાં એથી અનંતગુણા વિશેષ છે. આહા..હા..! પરમાણુ, હોં ! ગજબ વાત છે, બાપુ !
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની દ્રવ્યની આખી ચમત્કૃતિ બતાવી છે ! છએ દ્રવ્ય ચમત્કારિક છે ! આહાહા...! દ્રવ્ય પણ ચમત્કારિ, ગુણ પણ ચમત્કારિ અને પર્યાય પણ (ચમત્કારિક) ! બાપુ ! એ કોઈ તર્કથી બેસે એવી સાધારણ વાત નથી. આહા..હા....! એવી ચમત્કૃતિ વસ્તુ છે ! કોને બેસે ?
એક પરમાણુમાં ત્રણ કાળથી અનંતગુણા (ગુણ છે). આકાશના પ્રદેશથી અનંતગુણા તો ગુણ (છે). ક્ષેત્ર એક અંશ ! આહાહા....! એવી કોઈ ચમત્કૃતિક ચીજ (છે), જડનો ચમત્કાર છે ! ભગવાનના જ્ઞાન અને આનંદનો ચમત્કાર છે ! એમ કાળાણુ એ રીતે (છે).