________________
૨૦૦
કલશામૃત ભાગ-૫ અનંતા દરિયા દ્રવ્યના ભર્યા એ અનંતા દ્રવ્યનું અહીં પર્યાયમાં જ્ઞાન થયું. આ..હા..! એ જ્ઞાની રાગને અને પરદ્રવ્યને મારા છે એમ તે અભિલાષા (કરતો) નથી. પરદ્રવ્યને જાણવાનું કામ થયું ત્યાં પરદ્રવ્ય મારા એમ કયાં આવ્યું હવે ? આહા...હા....! સ્વ અને પરને જાણે છે). ‘સ્વપર પ્રકાશક શક્તિ હમારી આહા..હા....! એ રાગને પ્રકાશે એવી શક્તિ સ્વતઃ છે. હવે એમ જ્યાં સ્વતઃ જ્ઞાનની, શ્રદ્ધાની પર્યાય સ્વતઃ પ્રગટી છે... આહાહા...! એને એ વ્યવહાર – રાગથી નિશ્ચય થાય, રાગ અલ્પ, વિકૃત, મર્યાદિત અવસ્થા (છે). આહાહા...! અને આ તો અપરિમિત શ્રદ્ધા, જ્ઞાનનો પર્યાય (છે). આહાહા..! વ્યવહારથી થાય થાય એ એને નથી, ભાઈ ! બાપુ ! વ્યવહારને પણ તે (નાનાતિ) જ્ઞાન જાણે છે. વ્યવહારને કરે છે અને વ્યવહારથી થાય છે એવું સ્વરૂપમાં નથી. આહા..હા..! ભારે કામ !
અલોકનો ક્યાંય અંત નહિ એને અહીંયાં રહેલા કાળાણુ નિમિત્ત કહેવાય, શું કહે છે ઈ ?! નિમિત્ત કહેવાય. એના પરિણમનના નિમિત્તથી પરિણમે છે એમ નહિ. આહા...હા...! નિમિત્ત પણ આ રીતે ઊડી જાય છે અને વ્યવહાર રત્નત્રયનો) રાગ આ રીતે ઊડી જાય છે. આહા..હા...! સમજાણું કાંઈ ? બેસે, ન બેસે જગત સ્વતંત્ર છે. આહા..હા...! આવો માર્ગ છે. વસ્તુની સ્થિતિની મર્યાદા જ આવી છે. આહા..હા.! સમજાણું કાંઈ ?
(નાનાતિ)નો અર્થ જ આટલો કર્યો કે), “શુદ્ધ સ્વરૂપને અનુભવે છે.” જાણે છે સાથે શ્રદ્ધે છે અને સાથે વેદે છે એટલે અનુભવ સાથે લીધો. સમજાણું કાંઈ ? આહા...હા...! જેવું એ સ્વરૂપ છે અમાપ... અમાપ.... પવિત્ર શક્તિને પર્યાયમાં વેદે છે (એમ) અહીં તો કહે છે. ઈ ચીજ ભલે અહીં ન આવે પણ એ સંબંધીનું વેદન, એ સંબંધીનું જ્ઞાન શ્રદ્ધામાં આવી જાય છે. આહા..હા..! વેદે છે એટલે ? એ વેદનપર્યાય છે એ વેદનની પર્યાયમાં કાંઈ અનંતા ગુણ છે ઈ અહીં વેદનમાં આવી જાય છે એમ નથી). પણ વેદનની પર્યાયની જ એટલી તાકાત છે કે, અનંત ગુણનો સાગર ભગવાનમાં એકાગ્ર થાય અને પર્યાયમાં અનંત ગુણના અંશનું વેદન આવી જાય છે. આ...હા...! સમજાણું કાંઈ ? તેથી અભિલાષા કરતો નથી. છે? આ કારણે કર્મના ઉદયથી મળેલી સામગ્રીને પોતે પોતાના જ્ઞાનમાં રહીને પરની અપેક્ષા રાખ્યા વિના પરને અને સ્વને જાણે છે. એવો જીવ કોઈ પર ચીજની અભિલાષા કરતો નથી. આહાહા...!
જે પર ચીજો અને પર ચીજના ગુણો અને પર્યાય, એ જ્યાં પોતાની જ્ઞાનની પર્યાયમાં જણાણા, સ્વનું જ્ઞાન કરતાં ઈ જણાય ગયા એને કોઈ પરની અભિલાષા (નથી). આહા...હા...! અને અભિલાષા હોય તો તે મિથ્યાદૃષ્ટિ છે એમ કહેશે. તે એણે આ અનંત અનંત ગુણનો ભગવાન દરિયો અને અનંત ગુણના બધા અનંતા દરિયાને એણે જાણ્યો નથી. આ.હા... તેથી એને અભિલાષા (રહે છે કે, આ રાગ કરું ને આ મેળવું ને આને લઉં (એવું રહ્યા કરે છે). આહાહા...! એ અભિલાષા મિથ્યાત્વ ભાવ છે. કેમકે એના જ્ઞાનસ્વભાવમાં તો