________________
કળશ-૧૬૭
૧૯૫
એક સમયમાં એક ગુણ કહે તો ત્રણ કાળમાં એના ગુણ કહી શકાય નહિ એટલા ગુણો એમાં છે ! આ..હા...હા...! એક સમયમાં એક ગુણ કહે... અરે..! એક મિનિટમાં એક ગુણ કહે તોપણ એના અનંત ગુણ એટલા છે. આહા..હા...! કે, ઈ એક એક મિનિટમાં એક ગુણ કહે તોપણ ત્રણ કાળમાં કહી શકે નહિ એટલા ગુણો છે !! સમજાણું કાંઈ ? આહા...હા...! એવા અનંત ગુણોની જે સંખ્યા, જેને ત્રણ કાળમાં એક એક ગણતરીથી કહી શકાય નહિ.. આહા..હા...! એવા શુદ્ધ ગુણોની જે અમાપ અનંત સંખ્યા (છે).... આહા..હા..! એને જે અનુભવે છે. આહાહા..! એની અનુભવની પર્યાયમાં પણ કેટલી તાકાત !! કે જે આવા અમાપ અનંત શુદ્ધ સ્વભાવને એક સમયમાં વેદે, એક સમયમાં તેને જાણે, એક સમયમાં તેને શ્રદ્ધ. ઈ શ્રદ્ધા અને જ્ઞાનની પર્યાયની કિંમત કેટલી !! આ..હા...હા...! સમજાણું કાંઈ ? વસ્તુ એવી બહુ મોંઘી છે ! છે તો પોતાની પાસે પણ (અંદર) જાય ત્યારે ને ? આહાહા...!
એ વસ્તુમાં જે અનંત ગુણો છે) એનું પર્યાયમાં જ્ઞાન થવું એ જ્ઞાનની પર્યાય (અક્ષય, અમેય છે). શાસ્ત્રમાં તો એમ કહ્યું કે, ચારિત્રની પર્યાય અક્ષય, અમેય (છે). કેમકે અનંત અનંત ગુણો જે ત્રણ કાળના સમયથી પણ અનંતગુણા (છે)... આહા...હા...! અને આકાશના પ્રદેશથી અનંતગુણા ! જેનો અંત નથી ! આ..હા...હા...! આકાશનો ક્યાંય દશે દિશાએ (અંત નથી). આ લોક તો અલોકની અપેક્ષાએ તો એક રાય જેટલો છે ! કારણ કે આ લોક તો અનંતના અનંતમાં ભાગનો છે. આ...હા...! એવા અલોકના પ્રદેશોનો પણ જ્યાં અંત નથી, એથી પણ અનંતગુણા એક આત્મામાં ગુણો છે !! આહાહા...! એવા અનંત ગુણોનો અંશ એક સમયમાં વેદાય છે, દરેક ગુણનો વ્યક્ત અંશ (વેદાય છે). આહા...હા...! એથી એને અક્ષય અને અમેય કહ્યું. એ પર્યાયને અક્ષય અને અમેય કહી. આહા..હા..!
પ્રશ્ન :- વીર્ય પણ અક્ષય અમેય છે ?
સમાધાન :- દરેક પર્યાય અક્ષય અમેય છે). રાત્રે તો કહ્યું હતું, શ્રદ્ધા ને જ્ઞાન ને (બધું અક્ષય અમેય છે). ઈ બધું આવે ત્યારે આવે ને ? રાત્રે તો ઘણું આવ્યું હતું ! આહા..હા...
એક શ્રદ્ધાની પર્યાય અનંતા ગુણોને (કે જી ત્રણ કાળના સમયથી અનંતગુણા આકાશના પ્રદેશ અને એથી અનંતગુણા (ગુણ), એવા અનંત ગુણનું એકરૂપ દ્રવ્યનું જ્ઞાન થતાં તે પર્યાય પણ અક્ષય, અનંત પર્યાય થઈ. અમેય એટલે જેની મર્યાદા નહિ એવી પર્યાય ! મર્યાદા વિનાના ગુણોનું જ્ઞાન કર્યું ને ? (એટલે પર્યાય પણ અમેય થઈ). આહાહા..! માર્ગ બહુ ઝીણો, બાપુ !
આહા...! જેના ગુણોની સંખ્યાનું માપ નથી. અનંત.. અનંત... અનંત.... અનંત.. અનંત. અનંત... અનંત... અનંત. અનંત. અનંત... સંખ્યાએ ગણતાં ગણતાં ક્યાંય અનંત ચાલ્યો જાય તોપણ પૂરું ન પડે !! એવા અનંત ગુણોને જે જ્ઞાનની પર્યાય જાણે એ પર્યાયમાં