________________
કળશ-૧૬૭
પ્રેમ છે. ‘સામગ્રીને હેયરૂપ જાણે છે...' રુચિપૂર્વક ગોઠે છે અને એમ માને છે કે મને હેય છે. આહા..હા...! આવી વાત છે. તે જૂઠો છે;...' કેમ જૂઠો છે ?
કારણ કે શાતા પણ અને વાંછક પણ – એવી બે ક્રિયા વિરુદ્ધ નથી શું ?” જાણનારો જ્ઞાતા પણ રહે અને વળી કરવાની પ્રીતિ અને રુચિ પણ રહે. બે વિરુદ્ધ નથી ? વિરોધ છે, એમ ત્રણકાળમાં હોઈ શકે નહિ. આહા..હા...!
પ્રશ્ન :- હેયપૂર્વક રાગ કરવામાં શું વાંધો છે ?
સમાધાન :– હેયપૂર્વક કરું છું એ જ હું નહિ. એ જ ઉપાદેય થઈ ગયો. કરવાલાયક એમ જ્યાં માન્યું એ જ ઉપાદેય થઈ ગયો, હેય કયાં રહ્યો ? આહા..હા...! આકરી વાત છે.
શાતા પણ અને વાંછક પણ એવી બે ક્રિયા વિરુદ્ધ નથી શું ? અર્થાત્ સર્વથા વિરુદ્ધ છે.’ દયા, દાનનો શુભ રાગ વાંછિત ઇચ્છાથી કરું છું અને વળી હું જ્ઞાતા રહું છું એ બન્ને વાત જૂઠી છે. આહા..હા...! જાણનાર હોય તે કરું છું તેની રુચિ નથી અને કરું છું તેને રુચિ છે, તેને જ્ઞાતાપણું રહેતું નથી. વિશેષ કહેશે...
(શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
-
૧૯૩
(વસન્તતિના)
जानाति यः स न करोति करोति यस्तु जानात्पयं न खलु तत्किल कर्मरागः ।
रागं त्वबोधमयमध्यवसायमाहु
मिथ्याद्दशः स नियतं स च बन्धहेतुः । । १६७ ।।
ખંડાન્વય સહિત અર્થ :- ય: નાનાતિ મ: ન નૈતિ (S:) જે કોઈ સમ્યગ્દષ્ટિ જીવ (નાનાતિ) શુદ્ધ સ્વરૂપને અનુભવે છે (સ:) તે સમ્યગ્દષ્ટિ જીવ (ન ોતિ) કર્મની ઉદયસામગ્રીમાં અભિલાષા કરતો નથી; તુ ય: જ્યોતિ અયં ન નાનાતિ” (g) અને (T:) જે કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ (રોતિ) કર્મની વિચિત્ર સામગ્રીને પોતારૂપ જાણીને અભિલાષા કરે છે (અયં) તે મિથ્યાસૃષ્ટિ જીવ (ન નાનાતિ) શુદ્ધસ્વરૂપ જીવને જાણતો નથી. ભાવાર્થ આમ છે કે – મિથ્યાસૃષ્ટિ જીવને જીવના સ્વરૂપનું જાણપણું ઘટતું નથી. ‘વસ્તુ” આમ વસ્તુનો નિશ્ચય છે. એમ કહ્યું કે મિથ્યાદૃષ્ટિ કર્તા છે, ત્યાં ‘કરવું’ તે શું ? તત્ ર્મ વિરત રા:’