________________
૧૯૨
છે. એ પાખંડને સેવે છે. આહા..હા...! ભારે કામ, ભાઈ !
મુમુક્ષુ :ગૃહસ્થાશ્રમમાં તો કંઈને કંઈ કરવું પડે, બાકી જંગલમાં ચાલ્યો જાય. ઉત્તર ઃ- ગૃહસ્થાશ્રમમાં પણ ઈ કરતો નથી. ઈં ગૃહસ્થાશ્રમમાં નથી, ઈ તો આત્મામાં છે. આહા..હા...! સમ્યક્ સત્ય દૃષ્ટિ પૂર્ણ આનંદનો નાથ ભગવાન ! એની જેને દૃષ્ટિ થઈને સમ્યક્ થયું છે એ તો આત્માના જ્ઞાન અને આનંદમાં છે. એ અંદર રાગ છે એમાં પણ નથી તો ૫૨ બાયડી, છોકરામાં છે કે ઘ૨માં છે, બિલકુલ વાત જૂઠી છે. આવું છે, પાગલ
કલશામૃત ભાગ-૫
-
જેવું લાગે એવું છે. અજ્ઞાની પાગલને (એમ લાગે કે) આ શું ? આ તો જગતથી બધી ઊંધી વાતું છે. બાપુ ! જગત ઊંધું છે તો એનાથી આ ઊંધું છે. આહા..હા...! મુમુક્ષુ :- બાકીનાને અમૃત લાગે છે.
ઉત્તર :– હા, છે તો એમ જ. આહા..હા....!
અંતરંગ રુચિપૂર્વક ગમે છે એમ પણ છે. આહા..હા...! જેને રાગ થાય અને બહા૨ની દેહની, સ્ત્રી આદિ ભોગની ક્રિયા થાય એને રુચિપૂર્વક ગમે છે અને માને છે કે હું એનો જાણના—દેખના૨ છું (એ વાતમાં) તદ્દન વિરોધ છે. આહા..હા...! અધ્યાત્મની વાતું ઝીણી બહુ, બાપુ ! છે ?
‘કર્મના ઉદયે હો છે જે ભોગસામગ્રી...' પૈસા, શરીર, આબરુ, સ્ત્રી, કુટુંબ વગેરે એને ‘અંતરંગ રુચિપૂર્વક ગમે છે...’ એને રુચિમાં ગોઠે છે (કે), આ ઠીક છે. એક વાત. એમ પણ છે તથા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે,...’ અને ઈ શુદ્ધ સ્વરૂપને અનુભવે છે અને રુચિપૂર્વક ગમે છે. એવું એક સ્થાનમાં બે હોય નહિ. શું કહ્યું ઈ ?
અંદર રાગ થયો, દયા, દાનનો રાગ આવ્યો. એને રુચિપૂર્વક ગમે છે અને એક કોર કહે કે, હું એનો જાણનાર-દેખનાર છું. એ વાત જૂઠી છે. એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહિ. આહા..હા...! આવી વાત છે, બાપુ ! દુનિયાથી તો જાત જુદી છે, ભાઈ ! બીજા બધા શું કહે છે ? ક્યાં કહે છે ? બધી ખબર છે, નથી ખબર (એવું નથી). આહા..હા...! મુનિઓને ખબર નથી ? છતાં મુનિઓ પોકા૨ ક૨ીને આમ કહે છે. એ પોકા૨ની વાણીનો પણ હું કર્તા નથી એમ કહે છે. આહા..હા...!
એટલે અહીં કહ્યું, શું કહ્યું ? કે, પૂર્વના કર્મના ઉદયે ભોગ સામગ્રી હોય છે. આબરુ, પૈસા, શરીર, વાણી એ ‘હોતી થકી અન્તરંગ રુચિપૂર્વક ગમે છે...' આ..હા...હા...! અંતરંગમાં એ ચીજમાં પ્રેમ છે અને રુચિપૂર્વક ગોઠે છે. એમ પણ છે તથા શુદ્ધ સ્વરૂપને અનુભવે છે,.’ અને હું તો શુદ્ધ સ્વરૂપને અનુભવું પણ છું. રુચિપૂર્વક આ વસ્તુ ગોઠે અને હું આત્માને ભોગવું છું. એ બન્ને વાત ખોટી છે. આહા..હા...!
સમસ્ત કર્મનિત સામગ્રીને હેયરૂપ જાણે છે એમ પણ છે. આમ કોઈ કહે છે તે જૂઠો છે;...' હું આત્માને જાણું છું, અનુભવું છું અને આ બહારની સામગ્રીનો પણ મને