________________
કળશ-૧૫૮
૭૯ શાશ્વત ચીજ છે. એને રાખું તો રહે એવું છે નહિ. ‘સહજ જ શાશ્વત છે;” સ્વભાવે જ એ શાશ્વત છે, સ્વભાવે જ એ કાયમી રહેલી ચીજ છે. એટલે સ્વભાવથી જ કાયમ રહેલી ચીજ છે અને હવે કોઈ રક્ષા કરનાર રહે તો (રહે, એવું કાંઈ છે નહિ. માટે ધર્મીને કંઈ ત્રાસ નથી. કોઈ રાખે તો રહે એવો ભય નથી. હું સદાય ત્રિકાળ રક્ષિત જ છું. સમજાણું કાંઈ ? આહાહા..!
અહીં તો મરતાં સુધી સગવડતા રાખો, મકાનની, પૈસાની, નોકરોની સગવડતા રાખો). છેલ્લે દેહ છૂટે ત્યાં સુધી આ બધી સગવડતા રહે. કાંઈ નહિ રહે, સાંભળને ! ત્યાં તારા મોઢા ફાટી જશે. આહા...હા.!
અહીં એ કહે છે, ધર્માત્માને (એટલે કે જેને આત્મજ્ઞાન થયું છે અને આત્મા શાશ્વત ભાસે છે. કોઈપણ રાગના કાળમાં પણ એ તો ભેદજ્ઞાનમાં આત્મા શાશ્વત ભાસે છે. સમજાણું કાંઈ ? શુભ અને અશુભ ભાવ હો પણ એ વખતે પણ આત્મા તો એનાથી ભિન્ન શાશ્વત ભાસે છે. આહા...હા...! એને પૂર્વના કર્મના કારણો આવે એ બધા ખરી જાય છે એમ કહે છે. આ નિર્જરા અધિકાર છે ને ? અશુદ્ધતા જરી થાય (એ) ખરી જાય છે. કર્મનો સંયોગ આવે એ છૂટો પડી જાય છે. પોતાની દૃષ્ટિ શાશ્વત ઉપર હોવાથી અશાશ્વત ચીજ એને સંયોગમાં) આવે તો એ) છૂટી પડી જાય, એની સાથે રહેતી નથી. એનું નામ ધર્મી અને નિર્જરા કહેવામાં આવે છે. વિશેષ લઈશું... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
(શાર્દૂતવિક્રીડિત)
स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यत् शक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः । अस्यागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२६-१५८ ।।
ખંડાન્વય સહિત અર્થ :- : સા સા વિતિ (સ:) સમ્યગ્દષ્ટિ જીવ (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ શુદ્ધ ચૈતન્ય વસ્તુને (સદ્દા વિખ્વતિ) નિરન્તર અનુભવે છે – આસ્વાદે છે. કેવું છે જ્ઞાન? “સ્વયં” અનાદિસિદ્ધ છે. વળી કેવું છે? “સ” શુદ્ધ વસ્તુસ્વરૂપ છે. વળી કેવું છે ? “સતતં’ અખંડધારાપ્રવાહરૂપ છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? “નિ:શં: “વસ્તુને