________________
કળશ-૧પ૯
૧૦૧
અજ્ઞાનીને મરણતણી બીક છે. જ્ઞાનીને આનંદની લહેર જો...... આહા..હા..! કેમકે આનંદનો નાથ – ધણી જેને અનુભવમાં આવ્યો છે. આ...હા...હા....! તેને દેહ છૂટે તોપણ આનંદની લહેર છે. દેહ રહે કે દેહ છૂટે... આહાહા...! એને તો – સમ્યક્દષ્ટિને તો આનંદની લહેર છે. આહા..હા..! આવો વીતરાગમાર્ગ ! આને સમ્યગ્દર્શન કહીએ, એને સત્યદર્શન કહીએ.
જેને સત્યસાહેબો પૂર્ણાનંદનો નાથ જેની દૃષ્ટિમાં, જ્ઞાનમાં સ્વીકાર થઈ ગયો છે. આહા..હા..! એને પર પ્રાણ મારા છે એ દૃષ્ટિ છૂટી ગઈ છે. રાગ મારો છે એ દૃષ્ટિ છૂટી (ગઈ) છે. રાગ થાય છે એની પર્યાયમાં, સમજાણું કાંઈ? કર્મને લઈને નહિ છતાં પર્યાયમાં થાય એ પણ વસ્તુની દૃષ્ટિએ જોતાં મારો નહિ. આહા...હા...! પોતાના અપરાધથી થયેલો વિકાર છે) પણ સ્વભાવદૃષ્ટિથી જોવે છે તો કહે છે, મારો નહિ. આહા..હા...! તો વળી પ્રાણ ને આ બાયડી, છોકરા, કુટુંબ ને તમારા માનવા)... અરે.રે...!
“પ્રાણ નષ્ટ થાય છે તે તો મારું સ્વરૂપ છે જ નહીં. આહાહા..! છે ? એ તો જડનું “પુદ્ગલનું સ્વરૂપ છે...” આહા..હા...! તેથી મારું મરણ થતું હોય તો ડરું...” “પુદ્ગલનું સ્વરૂપ છે; તેથી મારું મરણ થતું હોય તો ડરે, હું શા માટે ડરું ?” આ..હા...હા...! નિઃશંક છે, નિર્ભય છે. નિઃસંદેહ, નિઃશંક શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણ છું એમાં નિઃશંક, નિઃસંદેહ છે. તેથી તે નિર્ભય છે. સમજાણું કાંઈ ? આવી ધર્મની શરૂઆત ! એને લોકો કંઈક માનીને બેસે અને પછી કહે અમે સાધુ છીએ ને અમે આ છીએ. ભાઈ ! બાપુ ! આ તારા આત્માના હિતની વાત છે. તારા નાથનું અવલોકન ન કર. એટલે કે જેને જાણવું છે, જાણનારને જાણ નહિ અને બધી માથાકૂટ કરી. દયા પાળી ને વ્રત કર્યા ને અપવાસ કર્યા ને... (આવું સાંભળીને) એને આકરું લાગે છે કે, અમારી આ ક્રિયા પણ ધર્મ નહિ? ધર્મ નહિ તો ધર્મનું સાધન તો ખરું ને ? બહિરંગ ક્રિયા અંતરંગ (ક્રિયાનું સાધન તો ખરું ને ?) સાધન-બાધન કેવા? ભાઈ ! તને ખબર નથી. રાગથી ભિન્ન પાડવું પ્રજ્ઞાછીણી એ સાધન છે. રાગ સાધન નથી. આહા..હા...!
હું શા માટે ડરું ? આ.હા..હા...! સમજાવે છે ને ? સમજાવે કેવી રીતે) ? વાત કરે ત્યારે તો એમ જ કહે ને ?) નહીંતર હું શા માટે ડરું ? એવો વિકલ્પ પણ જેને નથી. આહા..હા...! આવું સ્વરૂપ શાશ્વત છે. આવું એટલે આવું મારું સ્વરૂપ શાશ્વત છે.” આ..હા..! અનાદિઅનંત ધ્રુવનો નાશ (થાય) કે એમાં ઘસારો થાય એવી હું ચીજ જ નથી. અભાવ તો નહિ પણ ઘસારો થાય, હીણું થાય એ હું નહિ. આહા...હા...!
એ આવે છે નહિ ? ક્યાંક આવે છે. હીણો ! એવી ભાષા ક્યાંક આવે છે. શાશ્વતને ઘસારો નથી, હીણું થાતું નથી. એવો શબ્દ ક્યાંક (આવે) છે. ત્યારે મગજમાં આવી ગયું હોય. આહા...હા...! વસ્તુ છે અને તેનો સ્વભાવ નિત્ય છે. નિત્ય દ્રવ્ય અને નિત્ય સ્વભાવમાં