________________
૧૨૮
કલશામૃત ભાગ-૫
લાગે એમ નહિ. પણ સમકિતીને પણ જેટલો અશુદ્ધતા આદિ ચારિત્રદોષ છે એ જેટલી અશુદ્ધિ છે તે બંધનું કારણ છે. આવો માર્ગ છે, પ્રભુ ! ત્યારે પેલા એમ કહે કે, સમ્યગ્દર્શન વિના પણ અમે અપવાસ ને વ્રત કરીએ એમાં અમને નિર્જરા છે ! એ મિથ્યાત્વ છે. સમજાય છે કાંઈ ?
મુમુક્ષુ - દૃષ્ટિપ્રધાન કથન છે.
ઉત્તર – દૃષ્ટિપ્રધાન કથન છે. દૃષ્ટિનું જોર આપતા સમ્યગ્દર્શનનો વિષય આખો ભગવાન પૂર્ણ છે એની દૃષ્ટિનું જોર આપતા એના ભોગને નિર્જરા કીધી છે. પણ એમ માની લે કે, એનો ભોગ કર્મબંધનો હેતુ છે જ નહિ, નિર્જરાનો હેતુ છે, એમ છે નહિ. સમજાણું કાંઈ ? આવો માર્ગ છે, ભાઈ ! આહા..હા..! વીતરાગમાર્ગમાં આવી વાત છે, બીજે ક્યાંય કોઈ ઠેકાણે છે નહિ. આહા..હા..! ખરેખર આવી વાત તો શ્વેતાંબરમાં પણ નથી. કારણ કે (એમણે) તો કલ્પિત શાસ્ત્ર બનાવ્યા છે. દિગંબરમાંથી શ્વેતાંબર નીકળ્યા. બે હજાર વર્ષ થયા. આહા...હા...! એમાં પણ આ વસ્તુ નથી, કલ્પિત વસ્તુ છે.
આ તો અલૌકિક પરમાત્માની ત્રિકાળ દિવ્યધ્વનિ ! આ..હા..હા...! કહે છે કે, શુદ્ધતાના પરિણામથી બંધ નથી. ‘ત પૂર્વોપાત્ત મનુમવત: નિશ્ચિતં નિર્નરT Uવ' (ત) જ્ઞાનાવરણાદિ કર્મ – પૂર્વોપાત્ત) સમ્યકત્વ ઊપજ્યા પહેલાં અજ્ઞાન-રાગપરિણામથી બાંધ્યું હતું જે કર્મ – તેના ઉદયને (ઝનુમતિ:) જે ભોગવે છે.” ભોગવે છે એટલે ? એટલો રાગ હજી છે. છતાં અહીંયાં તેની ગણતરી નહિ ગણીને, ભોગવે છે એ નિર્જરા થઈ જાય છે, એમ કીધું. પણ જેટલો રાગનો ભોગવટો છે તેટલું એને હજી બંધન છે. જ્ઞાનાવરણીય (આદિ) આઠ કર્મ બંધાય છે. ચોથે, પાંચમે, છછું સાત-આઠ કર્મ બંધાય છે (એમ) નથી આવતું ? આયુષ્ય હોય તો આઠ કર્મ બાંધે અને ન હોય તો સાત બાંધે. ભાઈ ! આવી વાત છે, બાપુ !
પ્રશ્ન :- કર્મોની નિર્જરા થાય છે ?
સમાધાન :- જેટલી શુદ્ધતા છે તેટલા પ્રમાણમાં પૂર્વની નિર્જરા થાય છે. પણ પૂર્વનો ઉદય આવ્યો છે અહીં ભોગવે અને ભોગવે ઈ પાપ પરિણામ અશુદ્ધ છે એનું પણ બંધન ન થાય એમ નથી. આ ભગવાનનો સ્વચ્છન્દ માર્ગ નથી.
“પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં આવ્યું છે. જેટલે અંશે શુદ્ધિ એટલે અંશે નિર્જરા. જેટલા અંશે રાગ એટલા અંશે બંધ. “પુરુષાર્થસિદ્ધિ-ઉપાય ! “અમૃતચંદ્રાચાર્યદેવ ! આહા...હા....! ત્યાં તો ત્યાં સુધી કહ્યું છે કે, તીર્થકરગોત્ર બાંધે તે પણ અપરાધ છે. શુભ ભાવ છે ને ? પુરુષાર્થસિદ્ધિ-ઉપાયમાં અપરાધ ગણ્યો છે. ‘અમૃતચંદ્રાચાર્યદેવ'(નો) મૂળ પાઠ (છે). તીર્થકરગોત્ર બાંધે ઈ ભાવ શુભ છે ને ? ઈ કંઈ શુદ્ધ નથી. શુદ્ધથી બંધન થાય ? શુભથી બંધન છે. (જેટલો) શુભ છે તેટલો રાગ છે. આહાહા...! સમજાણું કાંઈ ? એટલો અપરાધ છે. સમ્યક્દૃષ્ટિને પણ શુભ ભાવમાં તીર્થકરગોત્ર બંધાય તેટલો અપરાધ છે. પુરુષાર્થસિદ્ધિ