________________
કળશ-૧૬ ૨
૧૩૧
કારતક વદ ૧૪, શુક્રવાર તા. ૦૯-૧૨-૧૯૭૭.
કળશ-૧૬૨ પ્રવચન–૧૭૧
કળશટીકા' ૧૬ ૨ છેલ્લો કળશ. “નિર્જરા (અધિકાર)'નો છેલ્લો (કળશ).
रुन्धन् बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गः प्रारबद्धं तु भयमुपनयन्निर्जरोज्जृम्भणेन । सम्यग्दृष्टिः स्वमतिरसादादिमध्यान्तमुक्तं ज्ञानं भूत्वा नटति गगनाभोगरडंग विगाह्य ।।३०-१६२ ।।
‘ ષ્ટ: જ્ઞાને મૃત્વા નતિ’ “સમ્યગ્દષ્ટિ અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમેલો જીવ' આહાહા...! અનાદિથી અશુદ્ધ પરિણમનવાળો જીવ અને તે હું એમ માનનારો) મિથ્યાષ્ટિ (છે). આહાહા...! અશુદ્ધ વિકારનું, મિથ્યાત્વનું પરિણમન છે એ અશુદ્ધ પરિણમન તે હું એવો જે મિથ્યાત્વ ભાવ તેને એકલી અશુદ્ધ પરિણતિ જ હોય છે. સંસારમાં રખડવાની દશા (આને કહેવાય). એની સામે આ સમ્યકુદૃષ્ટિ (જીવની વાત કહે છે).
એ સમષ્ટિ શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમ્યો છે. દ્રવ્યનો જે પવિત્ર શુદ્ધ વસ્તુનો સ્વભાવ એ રૂપે જેનું પરિણમન થયું છે. આહાહા...! ત્રિકાળ અનંત ગુણનો પિંડ પ્રભુ! પવિત્રતાનો પિંડ છે. એની પવિત્રતાના દૃષ્ટિના લક્ષે જે પવિત્રતાનું વર્તમાનમાં પરિણમન – દશા થાય એને સમ્યકુદૃષ્ટિ કહે છે. આહા...હા...! એને પરિભ્રમણ રહિત કહે છે. સમજાણું કાંઈ ? અને જેને આત્મા શુદ્ધ ચૈતન્યઘન (છે) એનો જેને આશ્રય અને અવલંબન નથી અને એકલા પુણ્ય ને પાપના મિથ્યાત્વ ભાવના અવલંબનમાં પરિણમનમાં છે તે પરિભ્રમણમાં અનંત ભવમાં રખડનારો છે. આહા..હા..! આ (સમ્યકુદૃષ્ટિ જીવ) અનંત ભવના અભાવ સ્વભાવરૂપ છે. ઝીણી વાત છે. પેલું વેદાંતનું આવ્યું છે ને ? વ્યાખ્યાન પછી સાંભળવા જેવું છે.
પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. આહા...હા...! (નાને મૂવી) પહેલી વ્યાખ્યા તો કરી – સમ્યફદૃષ્ટિની વ્યાખ્યા કરી. “સીષ્ટિ: જ્ઞાનં પૃથ્વી નતિ' એટલે કે, સમ્યફદૃષ્ટિ શુદ્ધ સ્વભાવરૂપ થઈને “નતિ’ એટલે પરિણમે છે. આહાહા...! અજ્ઞાની વિકારરૂપે થઈને પરિણમે અને નાચે છે. આહા..હા..! ચાહે તો એ પંચ મહાવ્રતના પરિણામ હોય તોપણ)