________________
૧૫૨
કલશામૃત ભાગ-૫
કોઈ દુ:ખ નથી, ત્યાં તો આત્મિક સુખ છે. અનાકુળ છે. એટલે નકારથી કહ્યું ને ? આકુળતા રહિત છે એમ કહ્યું, દુઃખ રહિત છે એમ કહ્યું. અસ્તિથી કહે તો સુખરૂપ છે પણ નાસ્તિથી (કહે તો) આકુળતા રહિત છે એટલે દુઃખ રહિત છે.
સર્વ દુઃખથી રહિત છે. વળી કેવું છે ?” જ્ઞાન. અહીં માથે જ્ઞાન આવ્યું છે ને ? ‘જ્ઞાનસમુન્મન્નતિ’ ત્યાંથી શબ્દ ઉપડ્યો છે. જ્ઞાન એટલે આત્મા. એટલે કેવું કેવું (છે) એમ કરીને જ્ઞાનને કહે છે. ની પધિ” “સમસ્ત કર્મની ઉપાધિથી રહિત છે.' આહા..હા...! ભગવાનઆત્મા અને એની પરિણિતમાં પણ એ જીવ સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. આહા..હા...! વસ્તુ છે એ તો સર્વ કર્મથી રહિત જ છે પણ જે વસ્તુની પરિણતિ પ્રગટ થઈ, દૃષ્ટિ (પ્રગટ થઈ) એ પર્યાય પણ સર્વ કર્મની ઉપાધિથી રહિત છે. આહા..હા...! જુઓ ! આ સંતોની વાણી તો જુઓ ! દિગંબર મુનિઓ.... આ..હા..હા...! અમૃતનો વારસો મૂકી ગયા છે ! આહા..હા...!
એનો બાપ પેલી ધૂળ – પૈસા મૂકી જાય. વારસો ! અને બે-ચાર છોકરા હોય તો મરતા કૂંચી રાખતો હોય ને ? મરી જાય (એટલે) તરત મોટો (દીકરો હોય એ) કૂંચી લઈ લે. આ થયું છે ને ? આ તો બધું થયેલાની વાત છે. નામ, ઠામ, ગામ બધી ખબર છે. આહા..હા...! બધા લૂંટારા છે. લૂંટારાની ફોજ છે. નિયમસાર'માં કહ્યું ને ? ધૃતારાની ટોળી છે. બાપને દીકરા ધૂતારાની ટોળી, દીકરાને બાપ ધૂતારાની ટોળી, બધી ધૂતારાની ટોળી છે. ભાઈ ! આહા..હા...! એને મોટો કર્યો, આ બધું કર્યું. શું કરવા ? હવે ઘડપણમાં અમને બરાબર પાળ, બધી સગવડતા દે. એક-બે નોકર રાખી દે, આમ કરી દે, આમ કરી દે. તારી મા મરી ગઈ છે તો એક રાંધણ રાખ અને બધી સરખાઈ કર. લૂંટારા આ છે. આહા..હા...! ‘નીરુધિ’‘સમસ્ત કર્મની ઉપાધિથી રહિત છે. શું કરતું થયું શાન પ્રગટ થાય છે ?” (જ્ઞાન) એટલે આત્મા. સમ્યાન અંદર પ્રગટ થાય તે. જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા કેવી રીતે પ્રગટ થાય છે ? આહા..હા...!
વન્થ ઘુનત્‘જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડરૂપ પરિણમન....' એટલે કર્મરૂપ પર્યાય. ‘તેને મટાડતું થયું.’ નિમિત્તથી કથન છે. ખરેખર તો અશુદ્ધતાને ટાળતું થયું. એટલે ત્યાં કર્મ એની મેળાએ ટળી જાય છે. પણ પાધરું સીધું કર્મ ટાળતું થયું એમ લીધું. સમજાણું કાંઈ ? આહા..હા...! આવી વ્યાખ્યા એને યાદ રહેવું મુશ્કેલ પડે. બાયડી ન આવી હોય અને ઘરે પૂછે કે શું સાંભળી આવ્યા ? (તો કહે), કોણ જાણે કાંઈ એવું કહેતા હતા, આમ છે ને તેમ છે ને તેમ છે... અરે... ભાઈ ! તારા ઘરની વાતું છે, પ્રભુ ! આ..હા...! તેં કોઈ દિ’ સાંભળી નથી. આહા..હા...! રુચિથી સાંભળી નથી. તત્પ્રીતિ વિતે આવે છે ને ? તેં પ્રીતિથી આવી વાત સાંભળી નથી અને પ્રીતિથી આવી વાત સાંભળે એને રુચિ થાય અને એ મોક્ષનું ભાજન થઈ જાય, એ સિદ્ધ થઈ જાય ! આહા..હા...!