________________
૧૫૪
કિલશામૃત ભાગ-૫
છે. આ..હા..! બંધ કહે છે કે, જ્યાં ત્યાં એના શુભ ભાવમાં, પાપના ભાવમાં મીઠાશ છે એવા અહંકારને ગર્વે મેં એને ચડાવી દીધો છે. આહા...હા...! અમે આટલું કમાણા, આટલા થયા. આહા...હા...! બાપ કાંઈ મૂકીને નહોતા ગયા, અમે બાવડે – બળે બધું ભેગું) કર્યું (એમ ગર્વમાં) મારી નાખ્યા છે ને ? બાપ પાસે કાંઈ નહોતું અને અમારી પાસે પાંચ કરોડ ઘયા, દસ કરોડ થયા, ધૂળ કરોડ થયા... આહાહા...! એ રાગના રસે અહંકારે ચડાવી દીધા છે. આવી વાતું ?
અબંધસ્વરૂપ ભગવાન શુદ્ધ ચૈતન્યઘન ! તેને ભૂલાવીને બંધ કહે છે કે, મેં મારા રાગના અહંકારે એને ચડાવી દીધો છે. આ અહં જે છે ત્રિકાળી આનંદનો નાથ અહં છે એવી સત્તાની દૃષ્ટિ છોડાવીને પુણ્ય અને પાપના રાગના રસે મેં એને ચડાવી દીધો છે, ત્યાં મારી જીત છે. આહા...હા...! આકરી વાતું બહુ ! યથાર્થ વસ્તુ આ છે, વસ્તુસ્થિતિ આવી છે, બાપુ ! લોકોને ન પકડાય કે ન સમજાય એથી વસ્તુ કંઈ બીજી થઈ જાય? અને લોકોને સહેલામાં ચડાવી દીધા છે કે, વ્રત કરો ને અપવાસ કરો કે તમારું કલ્યાણ થશે. મારી નાખ્યા છે ! બંધ અધિકાર કહે છે કે, મેં એને અહંકારે ચડાવી દીધા છે. એ તો રાગની ક્રિયા છે. આહા...હા..! એ તો બંધની ક્રિયા છે. એ કેમ બેસે ?
‘ભરેલો જે (મીનીટન) અનંત કાળથી માંડીને... આહા..હા...! છે ? “અખાડાનો સંપ્રદાય” એ નાચવાનો જ સંપ્રદાય છે કહે છે. વિકારના અહંકારમાં નાચવાનો જ એ સંપ્રદાય છે. આહા...હા...! (એટલે) આખો સમુદાય એમ કહે છે). આહા...હા...! સમજાણું કાંઈ ? ભગવાન આત્મા પુણ્ય-પાપના રાગથી રહિત પ્રભુ ! એને રાગના રસમાં મેં ચડાવી દીધો છે, કહે છે. અમે આ દયા પાળીએ છીએ, અમે વ્રત કરીએ છીએ, જાવજીવના અમે બ્રહ્મચર્ય પાળ્યા. જાવજીવ બ્રહ્મચર્ય તો શુભ રાગ છે, ઈ ક્યાં બ્રહ્મ – આત્માનું (આચરણ છે ? આહા..હા....! અમે બાળ બ્રહ્મચારી છીએ ! શું છે પ્રભુ તને ? જાવજીવ બ્રહ્મચારી તો વસ્તુ છે, આનંદમાં રમવું એ વસ્તુ છે અને આ બહારના એકલા ત્યાગમાં એને ચડાવી દીધો. છે ને ? ‘તેના વડે. શું કરીને આવો છે બંધ ?” એ વિશેષ કહેશે.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !).
માગશર સુદ ૨, સોમવાર તા. ૧૨-૧૨-૧૯૭૭.
કળશ-૧૬૩, ૧૬૪ પ્રવચન-૧૭૩
“કળશટીકા” ૧૬ ૩ કળશ(નો) છેલ્લો ભાગ છે ને ! “અનંત કાળથી માંડીને અખાડાનો સંપ્રદાય...” એટલે અહીંયાં એમ કહે છે કે અને રાગ અને દ્વેષ વિકાર એ અખાડો છે