________________
કળશ-૧૬૩
૧૫૧
સ્વભાવમાં તો અતીન્દ્રિય આનંદનો ઢગલો પડ્યો છે. ભર. ભર ! “ભર' શબ્દ આવે છે ને ? આપણે ગાડાનો ભર નથી કહેતા ? ગાડામાં ભર ભર્યો છે. એ “ભર’ શબ્દ આપણે આવે છે. શાસ્ત્રમાં તો બધા શબ્દો છે. એમ ભગવાન આનંદનો ભર છે. આહા..હા..! અતીન્દ્રિય આનંદનો ભર – આખું ગાડું ત્યાં ભર્યું છે. આહા..હા..! એને સમ્યફદૃષ્ટિ જીવ પર્યાયમાં પરિણમાવે છે. જેટલા ગુણો છે તેટલાનું શુદ્ધ પરિણમન અંશે બધું પરિણમે છે. તેથી એમ કહ્યું ને ? સમ્યક્રદૃષ્ટિ – “સર્વ ગુણાંશ તે સમ્યફ “શ્રીમદ્ એમ કહ્યું અને ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જ્ઞાનાદિ એકદેશ પરિણમે છે). એકદેશ એટલે બધા ગુણોનો એક ભાગ જેને પ્રગટ થયો છે. સર્વજ્ઞને જ્ઞાનાદિ પૂર્ણ ગુણની પૂર્ણ પર્યાય જેને પ્રગટ થઈ છે. આહા..હા..!
અહીંયાં કહે છે કે, સમ્યક્દૃષ્ટિ જીવ “સહનાવસ્થા' સહજ સ્વરૂપ જે પ્રભુ ધ્રુવ નિત્યાનંદ ! એને પર્યાયમાં પરિણમાવે છે. આહાહા..! એને શુદ્ધ પરિણમન વહે છે. આહા..હા..!
“વળી કેવું છે ?” કેવું છે આત્માનું સ્વરૂપ ? ધીરઉદાર, ધીર (અર્થાતુ) જેની અવિનાશી સત્તા છે. ધીર એટલે જેની અવિનાશી સત્તા છે, ધીરું છે. જેની સત્તા એટલે ભગવાન આત્માનું હોવાપણું અવિનશ્વર છે, ધીરું છે, શાશ્વત છે. આહા...હા...! સમજાણું કાંઈ ? આ.હા...! ધીરું છે. ભગવાન આત્માનું સ્વરૂપ ધીરું છે. ધીરું એટલે જેમ ધીરજવાળો માણસ છે એમ આ ધીર છે, ધ્રુવ છે. ભગવાનઆત્માનો સ્વભાવ અવિનશ્વર છે. આહાહા...! એવી સત્તા છે. નાશ ન થાય એવી એની સત્તા છે. નાશ ન થાય એવું જેનું હોવાપણું છે. આહા..હા..!
આ મરતા કહે ને ? એ. જીવ ગયો, મરી ગયો. મરે કોણ ? (શ્રોતા : પાછો થયો). પાછો થયો એટલે આ ભવમાંથી નીકળીને બીજા ભવનમાં ગયો, એને પાછો થયો એમ કહે. રખડવા માટે) બીજે ગયો એમ. આહા...હા...! અહીં માણસ હોય ને મરીને પાછા કૂતરાના કુંખે બચ્ચે થાય. અર..૨.૨..! એણે આવા અવતાર કર્યા, બાપા ! તેને મટવાનો ઉપાય અહીં કહે છે. પહેલાં બંધનો નાશ કરનારો કેવો છે એની વાત કરી). બંધને રાખનારો તો કેવો છે ? ઈ તો મિથ્યાદૃષ્ટિ અનાદિથી છે, કહે છે. આહા...હા...! ભાવબંધ છે ને ? એને નાશ કરનારો ભગવાન છે કેવો ? આહા...હા...! કેવો છે ? ધીર છે.
(૩ઢાર) “ધારાપ્રવાહરૂપ પરિણમનસ્વભાવ છે.” ત્રિકાળી સત્તા છે અને વર્તમાનમાં પરિણમનની શુદ્ધ અખંડ ધારા વહે છે. શુદ્ધ જીવ પ્રગટ્યો છે ને ? એટલે અખંડ ધારા ધારાપ્રવાહરૂપ પરિણમનસ્વભાવ છે.” વસ્તુ તો અવિનાશી છે પણ પર્યાયમાં ધારાપ્રવાહ રૂપે બદલવું – પરિણમવું એ એનો પર્યાયસ્વભાવ છે. આહા..હા...સમજાણું કાંઈ ?
“વળી કેવું છે ? આ જ્ઞાન અટલે આત્મા. “મની “સર્વ દુઃખથી રહિત છે.” આહા..હા...! જેમાં શારીરીક, માનસિક કોઈ દુઃખ જેમાં નથી. આ..હા.. જેમાં આત્માનું સુખ છે, આત્મિક સુખ છે. એમ કહે છે ને ? આ શારીરીક દુઃખ, માનસિક દુઃખ. એ