________________
કળશ-૧૬ ૨
અંદર પકડીને, અંદર જઈને પરિણમન કરવું. આહા..હા...! આવો માર્ગ છે.
(વિાદ્ય) ‘અનુભવગોચર કરીને...' એટલે ? અનુભવગમ્ય કરીને. અનુભવમાં જણાય જાય એમ કરીને. આહા..હા...! એ ત્રિકાળી ચીજ આનંદનો નાથ પ્રભુ ! એમાં (વિાદ્ય) (એટલે) અનુભવ કરીને. એટલે તેને બરાબર જ્ઞાનમાં લાવીને. આહા..હા...! એ સ્વરૂપમાં જઈને અથવા જ્ઞાનની પર્યાયમાં એને લાવીને. આવી વાતું છે. આહા..હા...! વીતરાગ સર્વજ્ઞ ૫રમેશ્વર થવાનો માર્ગ, થયેલાઓ થવાનો માર્ગ કહે છે. પૂર્ણ સ્વરૂપ વીતરાગ મોક્ષની મુક્ત દશા પામેલા – ભાવમુક્તિ પામેલા) તે મુક્ત થવાનો આ ઉપાય છે) એમ વર્ણવે છે.
આહા..હા...!
મુમુક્ષુ :– લીલાલહેર છે !
ઉત્તર :- આહા..હા...!
૧૩૫
‘અનુભવગોચર કરીને,...’ એટલે ? એ વસ્તુ જે અનાદિથી અગમ્ય હતી એને વર્તમાન જ્ઞાનમાં ગમ્ય કરીને. વર્તમાન જ્ઞાન તેમાં જઈને એ વસ્તુ ગ્રાહ્ય થઈ જાય, ગમ્ય થઈ ગઈ. જ્ઞાનની પર્યાયમાં એ ચીજ કેવડી છે, કેવી છે એ ખ્યાલમાં આવી ગયું. આહા..હા...! આવી વાતું છે. લોકોને આકરું લાગે. આ વ્રત ને તપ ને ભક્તિ કરતાં કરતાં (થાય એમ) એને સાધન કહો, નહીંતર તમારો એકાંત છે એમ (લોકો) કહે છે. આહા..હા...! કાંઈ નહિ, બાપુ ! એને બેઠું હોય ઈ કહે. માર્ગ તો આ છે. આહા..હા...! વ્રત ને તપ ને ભક્તિ એ તો વિકલ્પ રાગ (છે). એ તો સ્વરૂપમાં નથી અને અહીં સ્વરૂપને ગ્રાહ્ય કરવું છે એમાં રાગનું કામ (નથી), વ્યવહારનું ત્યાં કામ જ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? પહેલો નિર્ધાર – નક્કી તો કર. આહા..હા...! કે, જ્ઞાનની વર્તમાન પર્યાયને ત્રિકાળીમાં (વાઘ) એટલે ત્રિકાળીનો પર્યાયમાં અનુભવ કરીને. આહા....હા....!
‘એવી છે જ્ઞાનમાત્ર વસ્તુ.' એટલે શું કીધું ? અનુભવગમ્ય થાય એવી છે જ્ઞાનમાત્ર વસ્તુ. આહા..હા...! એ જ્ઞાનની પર્યાયથી અનુભવ થઈ શકે અને ગમ્ય થઈ શકે એવી વસ્તુ છે. રાગ અને પુણ્યથી ગમ્ય થઈ શકે એવી એ ચીજ નથી. આહા..હા..! અહીંયાં તો ભગવત સ્વરૂપ, બધા પરમાત્મસ્વરૂપે અંદર છે. એને અવગાહે જા ! (એમ) કહે છે. સમુદ્રમાં જેમ મોતી લેવા જાય છે ને ? અંદર પેસે છે. આહા..હા...! ધ્રુવ આદિ-મધ્ય-અંત રહિત, આદિ-મધ્ય-અંતથી મુક્ત છે, રહિત છે. એવી શાશ્વત વસ્તુ ભગવાનઆત્માનું વિદ્ય) એને ગ્રાહ્ય કર વિશેષે ગ્રહણ કર. એટલે તેનો અનુભવ કર. આહા..હા...! અને તે અનુભવગમ્ય થઈ શકે એવી એ ચીજ છે. સમજાણું કાંઈ ? એ વ્યવહા૨ દયા, દાનના વિકલ્પો છે એનાથી આત્મા ગમ્ય થઈ શકે એવી (એ) ચીજ નથી. આહા..હા...! અરે......! વ્યવહારના મોટા વાંધા. ક્યાંક સાધન કહ્યું હોય તો (એને) વળગ્યા. પણ બાપુ ! ઈ તો જેને અંતર સાધન થઈ ગયું છે એને એ રાગની મંદતાનો આરોપ દઈને સાધન કહ્યું છે. શું થાય પણ ?