________________
કળશ-૧પ૯
VISIT: (નિ ) નિશ્ચયથી (ત્મિન:) જીવદ્રવ્યના (જ્ઞાન પ્રાપIT:) શુદ્ધજ્ઞાનમાત્ર અર્થાત્ શુદ્ધચૈતન્યમાત્ર પ્રાણ છે; તત્ નાનુચિત્ર ’ (ત) શુદ્ધજ્ઞાન (નાતુ) કોઈ કાળે ન છિદ) વિનાશ પામતું નથી. શા કારણથી ? “સ્વયમ્ વ શાશ્વતતા' (વયમ્ પવી જતન વિના જ (શાશ્વતતા) અવિનશ્વર છે તે કારણથી. ભાવાર્થ આમ છે કે – બધાય મિથ્યાદૃષ્ટિ જીવોને મરણનો ભય હોય છે. સમ્યગ્દષ્ટિ જીવ એમ અનુભવે છે કે “મારું શુદ્ધચૈતન્યમાત્ર સ્વરૂપ છે તે તો વિનાશ પામતું નથી, પ્રાણ નષ્ટ થાય છે તે તો મારું સ્વરૂપ છે જ નહીં, પુગલનું સ્વરૂપ છે; તેથી મારું મરણ થતું હોય તો ડરું, હું શા માટે ડરું ? મારું સ્વરૂપ શાશ્વત છે.” ૨૭–૧૫૯.
કારતક વદ ૧૧, મંગળવાર તા. ૦૬-૧૨-૧૯૭૭.
કળશ-૧પ૯ પ્રવચન–૧૬૮
“કળશટીકા ૧૫૯ (શ્લોક). ધર્મને સમ્યફદૃષ્ટિને મરણનો ભય હોતો નથી. એ શ્લોક છે. प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणा: किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भी: कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२७-१५९ ।। - નિર્જરાનો અધિકાર છે ને ? એટલે સમ્યક્દષ્ટિ “સ: જ્ઞાન સા વિત’ અજ્ઞાની સદા વિકારને વેદે છે. શુભ-અશુભ રાગ (થાય છે) એના ઉપર દૃષ્ટિ હોવાથી અનાદિનો અજ્ઞાની વિકારને, રાગ-દ્વેષને, દુઃખને દુઃખી થઈને વેદે છે. દુઃખી થઈને એટલે ? જાણે કે, હું રાગી છું, હું દ્વેષી છું, હું કષાયવંત છું એમ અજ્ઞાની અનાદિથી માનીને વિકારને – દુઃખને વેદે છે.
અહીંયાં ધર્મી શુદ્ધ ચૈતન્ય જ્ઞાનસ્વરૂપ શાશ્વત જે આત્મા અથવા જ્ઞાન શાશ્વત છે) એને જેણે દૃષ્ટિમાં લીધો છે, આત્મભાવનું જેને અંતરમાં જ્ઞાન છે અને જેનું અંતરમાં વેદન છે. આહાહા..! એ સમ્યક્દૃષ્ટિ જીવ “શુદ્ધ ચૈતન્ય વસ્તુને...” શુદ્ધ ચૈતન્યવહુ છું. અનંત પવિત્ર ગુણનો પિંડ પ્રભુ (એવી) હું તો ચૈતન્યમાત્ર વસ્તુ છું. એને “નિરંતર આસ્વાદે છે.” છેલ્લું (ચરણ) લીધું. શ્રદ્ધે છે, જાણે છે અને આસ્વાદે છે. આહા..હા..!