________________
કળશ-૧૫૭
અને ચાર લાખ (બીજા ભાઈએ) નાખ્યા.
મુમુક્ષુ :– કરોડ રૂપિયા કીધા પછી એને ધૂળ કહેશો મા ! ઉત્તર ઃધૂળ છે, માટી છે. આ તો ભાઈને ઓળખાવ્યું. બેંગ્લોર’ છે ને ? ત્યાં બાર લાખનું દિગંબર મંદિર કર્યું. પોતે) છે શ્વેતાંબર દેરાવાસી અને પેલા (બીજા ભાઈ) નહિ ? મુંબઈ” ! માર્કિટ નહિ ? મહાવી૨’ માર્કિટ ! એની પાસે એક કરોડ રૂપિયા (છે), એ સ્થાનકવાસી (છે) પણ બન્ને અહીંના પ્રેમી છે. એણે ચાર લાખ નાખ્યા, આણે આઠ લાખ નાખ્યા. બાર લાખનું મંદિર બનાવ્યું. તે દિ' અમે ત્યાં હતા ને ? ત્યાં પ્રતિષ્ઠા કરી. હવે પાછા વિનંતી કરવા આવ્યા છે. શું કરવું ત્યારે ? એ શુભ ભાવ છે, એ કંઈ ધર્મ નથી. પ્રશ્ન :- કરવું શું અત્યારે ?
?
સમાધાન :- એ ધર્મનું ભાન થયું એને પણ એ શુભ ભાવ આવે પણ એ જાણે કે આ ધર્મ નથી.
પ્રશ્ન :- પણ કરવું શું અમારે ?
સમાધાન :– કરવાનું રાગથી ભિન્ન પડીને આત્મા શાશ્વત ચીજને અનુભવવી. એ કરવાનું છે. આહા..હા...!
૬૯
મુમુક્ષુ :– એ સમજાવો....
ઉત્તર :– આવે છે ને હજી હળવે.. હળવે...! આ.હા..હા...! ભાઈ ! પ્રભુનો અંતરનો માર્ગ એવો છે અત્યારે એને સાંભળવા મળતો નથી. અત્યારે તો આ ભક્તિ કરો ને વ્રત કરો ને તપસ્યા કરો ને અપવાસ કરો ને આહાર છોડો ને લૂખા આહાર કરો ને આંબેલ કરો તમારે ધર્મ થશે (એવું ચાલે છે). અરે.. ભાઈ ! એ બધી ક્રિયાઓ તો રાગની મંદતા હોય તો એ પુણ્ય છે, એ ધર્મ નહિ. ભાઈ ! ઝીણી વાત છે, પ્રભુ !
અહીંયા તો રાગની ક્રિયાથી પણ પ્રભુ અંદર નિર્મળાનંદ શુદ્ધ ચૈતન્યઘન છે તે અંદર ભિન્ન બિરાજે છે. આહા..હા...! અરે..! કોઈ દિ' જોયું નથી, જાણ્યું નથી.
પ્રશ્ન :- ઈ જોયા વિના એ છે એમ કહેવો કેમ ?
સમાધાન :- પણ જોયા પહેલા જાણે તો ખરો કે, આ જાણનારી એક ચીજ છે કે નહિ ? શ૨ી૨ને જાણે, વાણીને જાણે, આ બાયડી, છોકરા, કુટુંબ છે એમ જાણે, હોં ! મારા છે એમ પ્રશ્ન નહિ. જાણના૨ની કોઈ સત્તા છે કે નહિ ? એ એમ કહે કે, હું નથી જણાતો. પણ નથી જણાતો એવો નિર્ણય કોણે કર્યો ? એ જ્ઞાને નિર્ણય કર્યો. જ્ઞાનસ્વરૂપી ભગવાન ! એની એને ખબરું નથી. આ..હા..હા...! શાસ્ત્રની ગમે એટલી ધારણા હો અને ક્રિયાકાંડના દયા, દાન, વ્રત, ભક્તિના ગમે તેટલા પરિણામ હો પણ એ વસ્તુથી (આત્મા) ચીજ ભિન્ન છે. આહા..હા...!
?
એ અહીં કહે છે, સમ્યક્દષ્ટ જીવને શુદ્ધ સ્વરૂપ(નો અનુભવ છે). એ ત્રિકાળી શુદ્ધ