________________
પર
કલામૃત ભાગ-૫
પહેલાંની વાતું છે, પોણોસો વર્ષ પહેલાંની ! આ...હા....હા....!
એ વખતે ‘લક્ષ્મણ’ અસાધ્ય થઈ ગયા. ‘રામ’ કહે છે કે, આનો ઉપાય (શું) ? કો’કે કીધું કે, તમારા રાજમાં એક બાઈ છે. ભરત’ને જે રાજમાં સોંપ્યુ છે (તેમાં છે). પોતે તો વનમાં હતા ને ? એ બાઈ પાસે એવી શક્તિ છે કે, એ અહીં આવે તો તરત એની વિદ્યાથી) ઊતરી જશે. (‘રામચંદ્રજી” કહે છે), બોલાવો ! જાઓ ! ભરત’ને કહો. રાજાની દીકરી જ્યાં અંદર આવી (તો ત્યાં) હજારો માણસને ઘા વાગેલા. જ્યાં અંદર ગી (અને) હવા (આવી ત્યાં) ઘા રૂઝાઈ ગયા અને જ્યાં લક્ષ્મણ’ પાસે આવી, આવી ત્યાં એકદમ વિદ્યા ઊતરી ગઈ ! ઊઠેને પૂછે છે) ક્યાં ગયો ‘રાવણ’ ? મારવા(ના ભાવમાં) સૂતો હતો ને ? (એટલે પૂછે છે) ક્યાં ગયો ‘રાવણ’ ? આહા..હા...! એ પછી જઈને ‘રાવણ’ને મારી નાખે છે. આ બધી સ્થિતિ ! છતાં એ તો મોટા વાસુદેવ પુરુષો હતા ને ! મારી નાખ્યા છતાં પાછા બાળવા પોતે ગયા ! એ તો મહાપુરુષ હતા ને ? અમારી પદવી આવડી મોટી એટલે બીજો કોઈ ઉપાય નથી. અમારી સામે કોઈ ઊભો રહી શકે એ અમારી પદવી નથી. એ કા૨ણે અમારે આ કરવું પડ્યું.
અહીં કહે છે... આ..હા..હા...! એવી સ્થિતિની દશામાં પણ જો સમિકતી હોય તો એને ભય લાગતો નથી. વિશેષ કહેશે... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)
(શાર્દૂલવિક્રીડિત)
एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः । नैवान्यागतवेदनैव हि भवेत्तद्धीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति । । २४ - १५६ । ।
ખંડાન્વય સહિત અર્થ :- “ સ્વયં સતતં સા જ્ઞાનં વિત્તુતિ (#:) સમ્યગ્દષ્ટિ જીવ (સ્વયં) પોતાની મેળે (સતત) નિરંતરપણે (સવા) ત્રણે કાળે (જ્ઞાન) જ્ઞાનને અર્થાત્ જીવના શુદ્ધ સ્વરૂપને (વિન્દ્રતિ) અનુભવે છે – આસ્વાદે છે. કેવું છે જ્ઞાન ? (સદ્દન) સ્વભાવથી જ ઉત્પન્ન છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? નિઃશં:) સાત ભયથી મુક્ત છે. જ્ઞાનિન: તદ્દી: : ત:' (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને (તી:) વેદનાનો ભય (ત:) ક્યાંથી હોય ? અર્થાત્ નથી હોતો; કારણ કે ‘સદ્દા અનાત્ત્ત:’ સર્વદા ભેદજ્ઞાને બિરાજમાન છે જે પુરુષો,